Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ગાવસકર નૅશનલ ડ્યુટી માટે IPL ફ્રૅન્ચાઇઝીનો સાથ છોડનાર વિદેશી ખેલાડીઓ પર ભડક્યા

ગાવસકર નૅશનલ ડ્યુટી માટે IPL ફ્રૅન્ચાઇઝીનો સાથ છોડનાર વિદેશી ખેલાડીઓ પર ભડક્યા

13 May, 2024 07:09 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

IPL એકમાત્ર લીગ છે જે વિદેશી ખેલાડીના ક્રિકેટ બોર્ડને કમિશનના ૧૦ ટકા આપે છે.

સુનીલ ગાવસકર

IPL 2024

સુનીલ ગાવસકર


નૅશનલ ડ્યુટી માટે પોતાના દેશ પાછા જઈ રહેલા વિદેશી ખેલાડીઓ IPL ફ્રૅન્ચાઇઝીઓ માટે માથાનો દુખાવો બન્યા છે. ઇંગ્લૅન્ડના ક્રિકેટરો પ્લેઑફની મૅચ દરમ્યાન T20 વર્લ્ડ કપ માટે પોતાની ટીમ સાથે જોડાવા IPLમાંથી બહાર થવાના છે. અંગ્રેજી ‘મિડ-ડે’ના લેખ દ્વારા દિગ્ગજ ભારતીય ક્રિકેટર સુનીલ ગાવસકર આવા વિદેશી ખેલાડીઓ પર ભડક્યા છે. લિટલ માસ્ટરે આ લેખમાં લખ્યું હતું કે તેઓ IPLની આગળ નૅશનલ ડ્યુટીને રાખવાના વિરોધમાં નથી, પરંતુ જો કોઈ ખેલાડીએ આખી સીઝન સાથે રહેવાનું વચન આપ્યું હોય અને તેના બોર્ડે તેને પરવાનગી આપી હોય તો તેઓ અચાનક છોડીને જઈ શકે નહીં. ૭૪ વર્ષના ગાવસકરનું માનવું છે કે જો ખેલાડીઓ હજી પણ આવું કરે છે તો ફ્રૅન્ચાઇઝી પાસે પગલાં લેવાની સત્તા હોવી જોઈએ. આ ખેલાડીઓના પગારમાં કાપ મૂકવાની સત્તા ફ્રૅન્ચાઇઝીઓને આપવા તેમણે ભારતીય ક્રિકેટ બોર્ડને સલાહ આપી હતી. IPL એકમાત્ર લીગ છે જે વિદેશી ખેલાડીના ક્રિકેટ બોર્ડને કમિશનના ૧૦ ટકા આપે છે. ગાવસકરે એમાં પણ કાપ મૂકવા જણાવ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

13 May, 2024 07:09 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK