ગાંગુલીની તબિયત ફરી લથડતાં હૉસ્પિટલમાં દાખલ
ગાંગુલીની તબિયત ફરી લથડતાં હૉસ્પિટલમાં દાખલ
બીસીસીઆઇના અધ્યક્ષ અને ભૂતપૂર્વ ક્રિકેટ કૅપ્ટન સૌરવ ગાંગુલીની તબિયત ફરીથી ખરાબ થઈ ગઈ છે. સૌરવ ગાંગુલીને ફરીથી હૉસ્પિટલમાં લઈ જવામાં આવ્યો છે. થોડા સમય પહેલાં જ તેની એન્જિયોપ્લાસ્ટી થઈ હતી.
સૌરવ ગાંગુલીને ગઈ કાલે અચાનક છાતીમાં દુઃખાવો થયા બાદ તેને કલકત્તાની અપોલો હૉસ્પિટલ લઈ જવામાં આવ્યો છે.
નોંધનીય છે કે થોડા સમય પહેલાં જ ગાંગુલીને અટૅક આવ્યા બાદ કલકત્તાની વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો.
વુડલૅન્ડ્સ હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ સૌરવ ગાંગુલીએ હૉસ્પિટલના સ્ટાફ અને ડૉક્ટરોનો આભાર માન્યો હતો. તેમણે કહ્યું હતું કે ‘હવે હું પૂરી રીતે સ્વસ્થ અનુભવ કરી રહ્યો છું. હું સારવાર માટે હૉસ્પિટલના ડૉક્ટરોનો આભાર માનું છું. હવે હું બિલકુલ ઠીક છું.’ હાલમાં હૉસ્પિટલમાંથી રજા મળ્યા બાદ ગાંગુલીએ ઘરમાં આરામ કરવાનો રહેશે. આ દરમિયાન ઘરે જ ગાંગુલીના સ્વાસ્થ્યનું ધ્યાન રાખવામાં આવશે.

