Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > ચીફ સિલેક્ટર, કૅપ્ટન અને હેડ કોચ વચ્ચે કોઈ પ્રકારના મતભેદ નથી : રાજીવ શુક્લા

ચીફ સિલેક્ટર, કૅપ્ટન અને હેડ કોચ વચ્ચે કોઈ પ્રકારના મતભેદ નથી : રાજીવ શુક્લા

Published : 15 January, 2025 09:58 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ ભારતીય ટીમમાં ચીફ સિલેક્ટર, કૅપ્ટન અને હેડ કોચ વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો.

રાજીવ શુક્લા

રાજીવ શુક્લા


ભારતીય ક્રિકેટ બોર્ડના ઉપ-પ્રમુખ રાજીવ શુક્લાએ ભારતીય ટીમમાં ચીફ સિલેક્ટર, કૅપ્ટન અને હેડ કોચ વચ્ચે કોઈ પણ પ્રકારના મતભેદ હોવાનો ઇનકાર કર્યો હતો. રોહિત શર્માના ખરાબ પ્રદર્શનને લઈને તેના અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે કૅપ્ટન્સીના મુદ્દે મતભેદ છે એવી પણ વાત ચર્ચામાં આવી હતી.


આવા મતભેદના સમાચાર વિશે વાત કરતાં રાજીવ શુક્લાએ કહ્યું હતું કે ‘આ સંપૂર્ણપણે ખોટી વાત છે. ચીફ સિલેક્ટર અજિત આગરકર અને હેડ કોચ ગૌતમ ગંભીર વચ્ચે કોઈ મતભેદ નથી. કૅપ્ટન રોહિત શર્મા અને કોચ વચ્ચે પણ કોઈ મતભેદ નથી. આ બધી બકવાસ છે જે મીડિયાના એક વર્ગ દ્વારા ફેલાવવામાં આવી રહી છે. રોહિતે કૅપ્ટન્સી કરતા રહેવાનો આગ્રહ રાખ્યો છે એ પણ ખોટું છે. તે કૅપ્ટન છે. ફૉર્મમાં રહેવું કે ન હોવું એ રમતનો અભિન્ન ભાગ છે. જ્યારે તેણે (રોહિતે) જોયું કે તે ફૉર્મમાં નથી ત્યારે તેણે પાંચમી ટેસ્ટ-મૅચમાંથી પોતાને બહાર કરી દીધો. અમે આગળ વધવાના માર્ગ અને વધુ સારું કેવી રીતે કરી શકાય એની એક સમીક્ષા-બેઠકમાં ચર્ચા કરી છે.’


Whatsapp-channel Whatsapp-channel

15 January, 2025 09:58 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub