Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે આ દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત

વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ હવે આ દિગ્ગજ ક્રિકેટરે કરી નિવૃત્તિની જાહેરાત

30 June, 2024 07:34 PM IST | Mumbai
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

વિન્દ્ર જાડેજાએ પોતાની પોસ્ટમાં T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે આ વર્લ્ડ કપ જીતવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું

રવિન્દ્ર જાડેજા. તસવીર: ઇન્સ્ટાગ્રામ

રવિન્દ્ર જાડેજા. તસવીર: ઇન્સ્ટાગ્રામ


Ravindra Jadeja Announces Retirement: વિરાટ કોહલી અને રોહિત શર્મા બાદ વધુ એક ભારતીય દિગ્ગજ ખેલાડીએ T20 ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી છે. આ દિગ્ગજનું નામ છે રવિન્દ્ર જાડેજા. ખૂબ જ શાનદાર ઓલરાઉન્ડર જડ્ડુએ ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ લખીને આ વિશે માહિતી આપી છે. રવિન્દ્ર જાડેજાએ પોતાની પોસ્ટમાં T20 વર્લ્ડ કપમાં ચેમ્પિયન બનવાનો પણ ઉલ્લેખ કર્યો છે. તેણે લખ્યું છે કે આ વર્લ્ડ કપ જીતવું એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. નોંધનીય છે કે વિરાટ કોહલી અને રોહિત શર્મા પહેલા જ T20 ઇન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી ચૂક્યા છે. વિરાટે મેન ઓફ ધ મેચનો એવોર્ડ મેળવતી વખતે આની જાહેરાત કરી હતી. દરમિયાન રોહિતે બાદમાં પ્રેસ કોન્ફરન્સમાં નિવૃત્તિની જાહેરાત કરી હતી.


 
 
 
 
 
View this post on Instagram
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Ravindrasinh jadeja (@royalnavghan)




ઇન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટ

રવિન્દ્ર જાડેજાએ પણ ઈન્સ્ટાગ્રામ પર લખેલી પોસ્ટમાં લોકોનો આભાર માન્યો છે. તેણે લખ્યું છે કે હૃદયથી કૃતજ્ઞતા સાથે, હું T20 આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિની જાહેરાત કરું છું. મેં હંમેશા મારા દેશ માટે મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે. હવે મારું આ યોગદાન અન્ય ફોર્મેટમાં પણ ચાલુ રહેશે. જડ્ડુએ લખ્યું કે T20 વર્લ્ડ કપ જીતવું એ એક સ્વપ્ન સાકાર થવા જેવું હતું. આ મારી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કારકિર્દીની પરાકાષ્ઠા છે. આ સાથે, અનુભવી ઓલરાઉન્ડરે સમર્થકો અને ચાહકોનો પણ આભાર વ્યક્ત કર્યો છે. રવિન્દ્ર જાડેજાએ લખ્યું છે કે અદ્ભુત યાદો, વખાણ અને સતત સમર્થન માટે આપ સૌનો આભાર.


ત્રણ મહાનુભાવોને વિદાય

રવિન્દ્ર જાડેજાની જાહેરાત અને T20 વર્લ્ડ કપમાં જીત બાદ ત્રણ મહાન ખેલાડીઓ એકસાથે વિદાય લઈ રહ્યા છે. વિરાટ કોહલી અને રોહિત શર્માએ ગઈકાલે જ આની જાહેરાત કરી હતી. આ રીતે ટીમમાં ત્રણ નવા ખેલાડીઓ માટે જગ્યા તો હશે જ, પરંતુ એક મોટી ખાલીપો પણ હશે. તમને જણાવી દઈએ કે એવું પણ અનુમાન લગાવવામાં આવી રહ્યું હતું કે રોહિત અને વિરાટ સાથે જાડેજાની આ છેલ્લી T20 ટૂર્નામેન્ટ હોઈ શકે છે. કોઈપણ રીતે, આ ત્રણના નામ ઝિમ્બાબ્વે પ્રવાસમાં પહેલાથી જ નહોતા. જો કે, અગાઉ પણ ટી-20 ફોર્મેટમાં યુવા ખેલાડીઓને સતત તક આપવામાં આવી રહી હતી.

કેપ્ટન રોહિત શર્માએ પણ જાહેર કરી રિટાયરમેન્ટ

આઇસીસી મેન્સ ટી-20 વર્લ્ડ કપ 2024ની ફાઇનલ મેચમાં સાઉથ આફ્રિકાને સાત રનથી હરાવીને ટીમ ઈન્ડિયાને વર્લ્ડ કપનો ખિતાબ જીતી લીધો છે. જો કે આ મેચ બાદ ભારતના દિગ્ગજ ખેલાડી વિરાટ કોહલીએ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી નિવૃત્તિ જાહેર કરી છે. વિરાટ કોહલીના પાછળ પાછળ ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માએ પણ ટી-20 ઇન્ટરનેશનલ ફોર્મેટમાંથી રિટાયરમેન્ટ જાહેર કરી છે. રિટાયરમેન્ટને લઈને 37 વર્ષના રોહિત શર્માએ કહ્યું હતું કે તે આ ફાસ્ટ ક્રિકેટ ફોર્મેટમાં યુવા ખેલાડીઓને તક આપવા માગે છે.

Whatsapp-channel Whatsapp-channel

30 June, 2024 07:34 PM IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK