Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સ્પોર્ટ્સ સમાચાર > ક્રિકેટ > આર્ટિકલ્સ > મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન

મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન

19 November, 2023 12:52 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પાછળની સાઇડે આવેલા હનુમાન મંદિરના ઈશ્વરદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા ભારતીય ખેલાડીઓને વિજયી ભવઃના હનુમાનજીદાદાના આશીર્વાદ છે.

મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન

World Cup

મૅચ શરૂ થાય એ પહેલાં સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં થશે હવન


આજે ભારત અને ઑસ્ટ્રેલિયા વચ્ચે આઇસીસી મેન્સ ક્રિકેટ વર્લ્ડ કપનો ફાઇનલ મુકાબલો શરૂ થાય એ પહેલાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આવેલા હનુમાન મંદિરમાં હવન યોજાશે અને ભારત વર્લ્ડ કપ જીતી જાય એ માટે હનુમાનજીદાદાની પૂજા-પ્રાર્થના કરાશે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમની અંદર પાછળની સાઇડે આવેલા હનુમાન મંદિરના ઈશ્વરદાસજી મહારાજે ‘મિડ-ડે’ને કહ્યું હતું કે ‘બધા ભારતીય ખેલાડીઓને વિજયી ભવઃના હનુમાનજીદાદાના આશીર્વાદ છે. ખેલાડીઓ મૅચ જીતીને ભારતનું નામ રોશન કરે. આ વખતે બધા એવું સરસ રમ્યા છે કે એકેય મૅચ હાર્યા નથી અને હવે ક્રિકેટજગતમાં આવો પહેલો અવસર છે કે ભારત ફાઇનલ મૅચ જીતી જાય તો એ એક રેકૉર્ડ બનશે. બધા ભારતીય ખેલાડીઓને શુભકામના. બધા સાધુસંતોના આશીર્વાદ છે કે આપણી ટીમ જીતે. અમે સવારે પૂજા કરીને હવન કરીશું અને ત્યાર બાદ બપોરે પણ પ્રાર્થના કરીશું.’


Whatsapp-channel Whatsapp-channel

19 November, 2023 12:52 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK