Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Vantara

લેખ

વીડિયોમાંથી લેવાયેલ સ્ક્રીન ગ્રૅબ

જામનગરથી દ્વારકા માટેની પદયાત્રા વખતે અનંત અંબાણીએ બચાવી કતલખાને લઈ જવાતી મરઘીઓ

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ (RIL)ના ચૅરપર્સન મુકેશ અંબાણીનો નાનો દીકરો 140 કિલોમીટરની પદયાત્રા કરી રહ્યો છે. તે જામનગરથી દ્વારકા જઈ રહ્યો છે. આજે એટલે કે 1 એપ્રિલના રોજ તેની પદયાત્રાનો પાંચમો દિવસ છે.

02 April, 2025 06:59 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
રાહુલ ગાંધી અને નરેન્દ્ર મોદી (ફાઇલ તસવીર)

એક જ દિવસે PM નરેન્દ્ર મોદી અને રાહુલ ગાંધી આવશે ગુજરાત પ્રવાસે, જાણો વિગતો

PM Narendra Modi to visit Navsari: PM મોદી 7-8 માર્ચે ગુજરાત પ્રવાસે રહેશે. 7 માર્ચે સુરતમાં લિંબાયત ખાતે જનસભા અને કીટ વિતરણ કરશે. 8 માર્ચે નવસારીમાં આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ કાર્યક્રમમાં હાજરી આપશે.

06 March, 2025 06:59 IST | Navsari | Gujarati Mid-day Online Correspondent
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે જામનગર પહોંચ્યા હતા (તસવીર: એજન્સી)

વડા પ્રધાન નરેન્દ્ર મોદી પહોંચ્યા જામનગરના વનતારા, પછી સોમનાથની મુલાકાત પણ લેશે

PM Narendra Modi Gujarat Visit: વડા પ્રધાન નરેન્દ્ર મોદી વનતારાની મુલાકાત લીધા પછી ગીર સોમનાથ જિલ્લામાં સોમનાથ મહેડવ મંદિરમાં પ્રાર્થના કરશે. ત્યારબાદ તેઓ શ્રી સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરશે જે પ્રખ્યાત ધાર્મિક સ્થળનું સંચાલન કરે છે.

03 March, 2025 07:05 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
અનંત અંબાણી

પશુ કલ્યાણ માટે કાર્યરત અનંત અંબાણીની ‘વનતારા’ને `પ્રાણી મિત્ર` ઍવોર્ડ એનાયત

Award to Vantara: અનંત અંબાણીની વનતારા સંસ્થા ભારત સરકાર દ્વારા `કોર્પોરેટ` શ્રેણી હેઠળ પશુ કલ્યાણના કામો માટે જાણીતી છે, તેને `પ્રાણી મિત્ર` એવૉર્ડ મળ્યો છે.

28 February, 2025 07:02 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

ફોટા

નૅની લલિતા ડી’સિલ્વાએ શૅર કરેલ અનંતના નાનપણના ફોટોઝ (તસવીર સૌજન્ય: સોશિયલ મીડિયા)

Happy Birthday Anant Ambani: નૅનીએ શૅર કરી અનંતના બાળપણની અનસીન તસવીરો

અનંત અંબાણી 10 એપ્રિલના તેમનો 30મો જન્મદિવસ ઉજવી રહ્યા છે અને આ ખાસ દિવસને વધુ યાદગાર બનાવતી એક ભાવુક પળ સામે આવી છે. તેમના નૅની લલિતા ડી’સિલ્વાએ અનંતના નાનપણના દુર્લભ ફોટોઝ સોશિયલ મીડિયા પર શૅર કર્યા છે અને સાથે જ એક સુંદર મેસેજ પણ લખ્યો છે. આ તસવીરો અને સંદેશો માત્ર અનંતના બાળપણની મીઠી યાદો જ નહિ, પણ તેમના પ્રાણીઓ પ્રત્યેના પ્રેમ અને સમર્પણને પણ ઉજાગર કરે છે.

10 April, 2025 07:02 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
નરેન્દ્ર મોદી

શેરની સાથે સવાશેર

જામનગરમાં વન્ય જીવોના સંરક્ષણ, સંવર્ધન અને સારવાર માટે અનંત અંબાણીએ શરૂ કરેલા અદ્ભુત સેન્ટર વનતારાનું ગઈ કાલે સત્તાવાર ઉદ્ઘાટન કર્યું વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ, જુઓ ફોટોઝ

06 March, 2025 06:58 IST | Jamnagar | Gujarati Mid-day Correspondent
વનતારા 2,000 કરતાં વધુ પ્રાણીઓની પ્રજાતિઓ અને 1.5 લાખથી વધુ બચાવેલા, લુપ્તપ્રાય પ્રાણીઓનું ઘર છે. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

Photos: PM મોદીની વનતારા મુલાકાત, સિંહના બચ્ચા સાથે રમી તેમને પીવડાવ્યું દૂધ

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ વનતારામાં વિવિધ સુવિધાઓનું અન્વેષણ કર્યું. પીએમએ અહીં પુનર્વસન કરાયેલા વિવિધ પ્રાણીઓ સાથે એકદમ નજીકથી જોવાનો આનંદ માણ્યો હતો. અહીં કિલક કરી જુઓ પીએમ મોદીની વનતારા મુલાકાતનો સંપૂર્ણ વીડિયો. (તસવીરો: પીટીઆઇ અને વીડિયોમાંથી સ્ક્રીન શૉટ)

05 March, 2025 07:03 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent
ત્રણ હાથીઓને કાર્ગો પ્લેન વડે વનતારા લાવવામાં આવ્યા.

Phots જામનગરના વનતારા સેન્ચુરીમાં થયું ટ્યુનિશિયાના ત્રણ આફ્રિકન હાથીઓનું સ્વાગત

હાથીઓને જરૂરિયાતો પૂરી પાડી તેમની કાળજી લઈ તેમનું પાલન-પોષણ કરતાં ઘરની વ્યવસ્થા કરવા માટે મર્યાદિત સંસાધનો સાથે, ટ્યુનિશિયાના એક ખાનગી પ્રાણી સંગ્રહાલયે વનતારાની મદદ માગી હતી. વિશ્વના સૌથી પ્રતિષ્ઠિત વન્યજીવ બચાવ કેન્દ્રોમાંના ગુજરાતના જામનગરમાં આવેલા અનંત અંબાણીના વનતારા ખાતે ત્રણ આફ્રિકન વન હાથીઓ લાવવામાં આવ્યા છે. જેમાં બે માદા અને એક નર 28 થી 29 વર્ષની ઉંમરના છે અને અહીં તેમને એક દયાળુ નવું ઘર મળવાનું છે.

01 November, 2024 03:19 IST | Jamnagar | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

ગુજરાત: જામનગરથી દ્વારકાધીશ મંદિર જવા માટે અનંત અંબાણી `પદયાત્રા` પર નીકળ્યા

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના ડિરેક્ટર અનંત અંબાણી, જામનગરથી દ્વારકાધીશ મંદિર સુધીની `પદયાત્રા` પર છે. તેમણે કહ્યું, "પદયાત્રા અમારા જામનગર સ્થિત ઘરથી દ્વારકા સુધી છે... તે છેલ્લા 5 દિવસથી ચાલી રહી છે અને અમે બીજા 2-4 દિવસમાં પહોંચીશું... મારી પદયાત્રા ચાલી રહી છે. ભગવાન દ્વારકાધીશ આપણને આશીર્વાદ આપે... હું યુવાનોને કહેવા માંગુ છું કે ભગવાન દ્વારકાધીશમાં શ્રદ્ધા રાખો અને કોઈપણ કાર્ય કરતા પહેલા ભગવાન દ્વારકાધીશને યાદ કરો, તે કાર્ય ચોક્કસપણે કોઈપણ અવરોધ વિના પૂર્ણ થશે અને જ્યારે ભગવાન હાજર હોય છે, ત્યારે ચિંતા કરવાની કોઈ વાત નથી."

01 April, 2025 08:07 IST | Jamnagar
પીએમ મોદીએ વનતારામાં પશુ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

પીએમ મોદીએ વનતારામાં પશુ બચાવ કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રવિવારે રાજ્યની મુલાકાત દરમિયાન ગુજરાતના જામનગરમાં વનતારા પશુ બચાવ અને પુનર્વસન કેન્દ્રનું ઉદ્ઘાટન કર્યું. આ કેન્દ્ર રિલાયન્સ જામનગર રિફાઇનરી સંકુલમાં 3000 એકર જમીનને આવરી લે છે અને 1.5 લાખથી વધુ બચાવેલા પ્રાણીઓ અને 2,000 પ્રજાતિઓનું ઘર છે, જેમાંથી ઘણી પ્રજાતિઓ લુપ્તપ્રાય સ્થિતિમાં છે. ત્યાં, પીએમ મોદીએ પુનર્વસિત પ્રાણીઓમાંથી કેટલાક સાથે વાતચીત કરવામાં સમય વિતાવ્યો, તેમના રક્ષણ અને સંભાળ માટેના કેન્દ્રના પ્રયાસો પર પ્રકાશ પાડ્યો. વધુ વિગતો માટે વિડિઓ જુઓ.

04 March, 2025 05:28 IST | Jamnagar
અનંત અંબાણીએ `વનતારા`નું કર્યું અનાવરણ, કહ્યું વન્યજીવની રક્ષા એ જ માનવતા

અનંત અંબાણીએ `વનતારા`નું કર્યું અનાવરણ, કહ્યું વન્યજીવની રક્ષા એ જ માનવતા

રિલાયન્સ અને રિલાયન્સ ફાઉન્ડેશનના બૉર્ડ મેમ્બર અનંત અંબાણીએ `વનતારા` (વન્યજનના તારા) પ્રોગ્રામનું અનાવરણ કર્યું છે. આ દરમિયાન તેમણે આ રેસ્ક્યૂ સેન્ટરનો મૂળ હેતુ શું છે અને આ સંપૂર્ણ વનતારામાં કઈ કઈ સુવિધાઓ છે તે વિશે માહિતી આપી છે.

26 February, 2024 05:59 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK