માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
આજે તમને જે મંદિરમાં લઈ જવા છે તે સાવ નાનકડું મંદિર છે. પણ આ મંદિર પાસે પોતાનો ભવ્ય ઇતિહાસ છે. આ મંદિર પર અનેક શ્રદ્ધાળુઓની આસ્થા ટકેલી છે. વિલેપાર્લેમાં ચંદ્રાબાઈ બોરકર નામના એક મહિલા સાંઇ ભક્ત થઈ થઈ ગયા. તેઓએ પોતાના બંગલામાં આ મંદિરની સ્થાપના કરેલી. આજે પણ એ બંગલો એ જ આસ્થાની ધૂણી ધખવીને બેઠો છે. અત્યારે આ બંગલામાં ચંદ્રાબાઈ બોરકરની ત્રીજી-ચોથી અને પાંચમી પેઢી વસવાટ કરે છે. ચંદ્રાબાઈની ત્રીજી પેઢીના ઉજ્વલા બોરકરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે આ આસ્થાના એડ્રેસ વિષે વાત શૅર કરી હતી.
26 September, 2023 11:53 IST | Mumbai | Dharmik Parmar