Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Punjab

લેખ

પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્ય

એક ઓવરમાં ૬ સિક્સર પણ ફટકારી ચૂક્યો છે પ્રિયાંશ આર્ય

મંગળવારે CSK સામે ૩૯ બૉલમાં સેન્ચુરી ફટકારનારા પંજાબ કિંગ્સના પ્રિયાંશ આર્યએ ગયા વર્ષે એક T20 મૅચમાં એક ઓવરમાં ૬ સિક્સર ફટકારી દીધી હતી. પ્રિયાંશે ૨૦૨૪માં દિલ્હી પ્રીમિયર લીગની એક મૅચમાં મનન ભારદ્વાજ નામના સ્પિનરની ઓવરમાં આ ધમાલ મચાવી હતી.

11 April, 2025 06:52 IST | Chennai | Gujarati Mid-day Correspondent
ઝીશાન અખ્તર

પંજાબમાં BJPના નેતાના ઘરે બ્લાસ્ટ કરવાના મામલામાં બાબા સિદ્દીકીનો હત્યારો પકડાયો

જાલંધર પોલીસ પાસેથી આરોપી ઝીશાન અખ્તરનો તાબો લેશે મુંબઈ પોલીસ

10 April, 2025 07:01 IST | Punjab | Gujarati Mid-day Correspondent
પ્રિયાંશ આર્યે અનકૅપ્ડ પ્લેયર તરીકે સૌથી ફાસ્ટેસ્ટ IPL સેન્ચુરી કરવાનો રેકૉર્ડ કર્યો

પંજાબે પહેલી પાંચ વિકેટ ગુમાવ્યા બાદ સૌથી વધુ ૧૩૬ રન કરવાનો રેકૉર્ડ કર્યો

પંજાબે છ વિકેટ ગુમાવીને કરેલા ૨૧૯ રન સામે પાંચ વિકેટે ૨૦૧ રન બનાવીને ૧૮ રને હાર્યું ચેન્નઈ. ૨૦૧૯ બાદ સળંગ અગિયારમી વાર ચેન્નઈ ૧૮૦ પ્લસ રનનો ટાર્ગેટ ચેઝ કરવામાં નિષ્ફળ રહ્યું.

09 April, 2025 09:35 IST | Chennai | Gujarati Mid-day Correspondent
રિકી પૉન્ટિંગે અને મહેન્દ્ર સિંહ ધોની

ધોનીને રિટાયરમેન્ટ વિશે શું સલાહ આપી પૉન્ટિંગે?

પંજાબ કિંગ્સના હેડ કોચ અને ભૂતપૂર્વ ઑસ્ટ્રેલિયન કૅપ્ટન રિકી પૉન્ટિંગે ભારતના ભૂતપૂર્વ કૅપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીના રિટાયરમેન્ટ પર મોટું નિવેદન આપ્યું છે. ૪૩ વર્ષનો ધોની વર્તમાન IPL સીઝનમાં તેની નબળી બૅટિંગ કારણે ટીકાઓથી ઘેરાયેલો છે.

09 April, 2025 06:55 IST | Chennai | Gujarati Mid-day Correspondent

ફોટા

લુધિયાનામાં દલિત સંગઠનો દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ અવરોધિત કરવામાં આવ્યો હતી, જેને લીધે લોકોને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. (તસવીરો: પીટીઆઇ)

પંજાબમાં ડૉ આંબેડકરની પ્રતિમા તોડવાની ઘટનાના વિરોધમાં અનેક શહેર બંધ, જુઓ તસવીરો

પંજાબના અમૃતસરમાં પ્રજાસત્તાક દિવસે બંધારણના ઘડવૈયા ડૉ. ભીમ રાવ આંબેડકરની પ્રતિમા તોડવામાં આવી હોવાની ઘટના બની હતી. આ ઘટનાનો વીડિયો પણ સામે આવ્યો હતો, જેમાં એક વ્યક્તિ ડૉ આંબેડકરની મુર્તિને હથોડાથી તોડતો દેખાઈ રહ્યો છે. આ ઘટનાને લઈને દલિત સમુદાયમાં ભારે ગુસ્સો છે. જેના વિરોધમાં  આજે લુધિયાણા, જલંધર, મોગા, ફગવાડા, નવાશહેર અને હોશિયારપુરમાં સવારે 9 થી સાંજે 5 વાગ્યા સુધી બંધ જાહેર કરવામાં આવ્યો છે. (તસવીરો: પીટીઆઇ)

28 January, 2025 03:22 IST | Amritsar | Gujarati Mid-day Online Correspondent
દિલજીત દોસાંઝ માટે મુંબઈમાં સ્ટેજને રોશન કરવા માટે સ્ટેજ તૈયાર છે. (તસવીર: મિડ-ડે)

પૉપ સિંગર દિલજિત દોસાંજના `દિલ-લુમિનાટી` કોન્સર્ટ માટે મુંબઈ તૈયાર, જુઓ તસવીરો

પંજાબી સુપરસ્ટાર અને પૉપ સિંગર દિલજીત દોસાંજના ખૂબ જ પોપ્યુલર ‘દિલ-લુમિનાટી’ કોન્સર્ટ ગુરુવારે મુંબઈમાં થયો હતો. દિલજીતના કોન્સર્ટ શરૂ થાય પહેલા લોકોએ એક્સાઈટમેન્ટ વ્યક્ત કરી હતી. (તસવીર સૌજન્યઃ મિડ-ડે)

19 December, 2024 08:38 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
પૂજા સાંગાણી અને ગોપાલ હોટલ, ત્યાંના ફૂડની તસવીરોનો કૉલાજ

જ્યાફત: ખાત્રજ ચોકડી નજીકની ગોપાલ હોટલ એટલે સ્વાદિષ્ટ ભોજનનો અનોખો અનુભવ

અમદાવાદ અને તેની ફરતે આવેલા વિસ્તારોમાં વિશિષ્ટ થીમ પર આધારિત રેસ્ટોરન્ટ્સનો ક્રૅઝ દિવસે ને દિવસે વધતો જ રહ્યો છે. લોકો હવે માત્ર ખાવાની મજા લેવા જ નહીં, પરંતુ આકર્ષક વાતાવરણમાં, નવીનતાથી ભરપૂર અને મનોરંજન સાથે પરિવાર અને મિત્રો જોડે જમવાનું પસંદ કરે છે. જો તમે આવી કોઈ જગ્યા શોધતા હોવ તો અમદાવાદને અડીને આવેલા મહેમદાવાદ નજીક ખાત્રજ ચોકડી પાસે ગોપાલ હોટલ આવેલી છે. અમદાવાદથી આશરે 25 કિલોમીટર દૂર, ડાકોર રોડ પર મહેમદાવાદ પાસે, વાત્રક નદીના કિનારે 73 ફૂટ ઉંચું સિદ્ધિવિનાયક મંદિર આવેલું છે. અહીં દર્શન માટે આવતા શ્રદ્ધાળુઓ માટે જમવા અંગે ઘણીવાર પ્રશ્ન ઉદ્દભવે છે, કારણકે મંદિરની કેન્ટીન સિવાય અન્ય વિકલ્પ મળવો મુશ્કેલ છે. મંદિર બહાર તરત જ ગરમ ઉતરતી તાજી કેળાની વેફર્સનો સ્વાદ જરુર અજમાવવા જેવો છે. બીજી બાજુ જમવા માટે હોટલ ગોપાલ છે, જે તેની અનોખી "જંગલ થીમ" અને "ડિઝની થીમ" માટે જાણીતી છે.  ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

18 October, 2024 05:25 IST | Mahemdavad | Gujarati Mid-day Online Correspondent
તસવીરો: પીટીઆઈ

પંજાબના ફતેહગઢ સાહિબ ખાતે બે ગુડ્સ ટ્રેનો અથડાતાં લોકો પાયલોટ ઘાયલ, જુઓ તસવીરો

પોલીસે જણાવ્યું કે રવિવારે વહેલી સવારે અહીંના સરહિંદ વિસ્તારમાં માધોપુર નજીક બે માલગાડીઓ અથડાયા બાદ બે લોકો ઘાયલ થયા હતા.

02 June, 2024 08:22 IST | Chandigarh | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

વિરોધ કરી રહેલા કૉંગ્રેસ કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કૅનનનો ઉપયોગ કર્યો

વિરોધ કરી રહેલા કૉંગ્રેસ કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કૅનનનો ઉપયોગ કર્યો

21 માર્ચે ચંદીગઢમાં પંજાબ સરકાર સામે વિરોધ કરી રહેલા કૉંગ્રેસ કાર્યકરોને વિખેરવા માટે પોલીસે વોટર કૅનનનો ઉપયોગ કર્યો. કૉંગ્રેસ કાર્યકરો મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય આપવાની વચનબદ્ધ યોજના પૂર્ણ ન થવા બદલ વિરોધ કરી રહ્યા હતા. પંજાબ કૉંગ્રેસના પ્રમુખ અમરિંદર સિંહ રાજા વારિંગે જણાવ્યું હતું કે, "અમે પંજાબ વિધાનસભાનો `ઘેરાવ` કરવાનો નિર્ણય લીધો છે અને છેલ્લા ત્રણ વર્ષથી, રાજ્ય સરકાર પંજાબની મહિલાઓ સાથે છેતરપિંડી કરી રહી છે અને મહિલાઓને દર મહિને 1,000 રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવાની વચનબદ્ધ યોજના પૂર્ણ કરી રહી નથી..."

21 March, 2025 08:07 IST | Amritsar
અમૃતસર બ્લાસ્ટ: ઠાકુરદ્વારા મંદિરમાં બ્લાસ્ટ બાદ અમૃતસર પોલીસ કમિશનરનો દાવો

અમૃતસર બ્લાસ્ટ: ઠાકુરદ્વારા મંદિરમાં બ્લાસ્ટ બાદ અમૃતસર પોલીસ કમિશનરનો દાવો

14 માર્ચે, અમૃતસરના ખંડવાલામાં ઠાકુરદ્વારા મંદિરમાં બે અજાણ્યા બાઇક સવારોએ કથિત રીતે મંદિર પર શંકાસ્પદ વિસ્ફોટક ફેંક્યા બાદ વિસ્ફોટ થયો હતો. પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું હતું કે તેઓએ બન્નેને શંકાસ્પદ વસ્તુ ફેંકતા અને પછી ઘટનાસ્થળેથી ભાગી જતા જોયા હતા. આ ઘટના CCTVમાં કેદ થઈ હતી, અને કોઈને ઈજા થઈ ન હતી, પરંતુ પોલીસ તાત્કાલિક આ મામલાની તપાસ કરવા પહોંચી હતી. “અમને સવારે 2 વાગ્યે માહિતી મળી હતી. અમે તરત જ ઘટનાસ્થળે પહોંચ્યા હતા. ફોરેન્સિક ટીમને બોલાવવામાં આવી હતી... અમે CCTV તપાસ્યું હતું અને નજીકના લોકો સાથે વાત કરી હતી. વાત એ છે કે પાકિસ્તાનની ISI આપણા યુવાનોને પંજાબમાં અશાંતિ ફેલાવવા માટે લલચાવે છે. અમે થોડા દિવસોમાં આ કેસ શોધીશું અને યોગ્ય કાર્યવાહી કરીશું. હું યુવાનોને ચેતવણી આપું છું કે તેઓ તેમના જીવન બરબાદ ન કરે... અમે ગુનેગારોને જલદી પકડી લઈશું...,” ગુરપ્રીત સિંહ ભુલ્લરે કહ્યું.

15 March, 2025 05:50 IST | Amritsar
અમેરિકાના ડિપોર્ટ કરાયેલા ભારતીયોનું બીજું ગ્રૂપ અમૃતસર પહોંચ્યું...

અમેરિકાના ડિપોર્ટ કરાયેલા ભારતીયોનું બીજું ગ્રૂપ અમૃતસર પહોંચ્યું...

૧૬ ફેબ્રુઆરીના રોજ, ગેરકાયદેસર રીતે અમેરિકા સ્થળાંતર કરનારા ૧૧૯ ભારતીય નાગરિકોના બીજા બૅચને લઈને એક વિમાન અમૃતસર એરપોર્ટ પર ઉતર્યું. અમેરિકાના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના શપથ ગ્રહણ પછી ડિપોર્ટીઝનો આ બીજો બૅચ છે. સ્થળાંતર કરનારાઓના સંબંધીઓએ દાવો કર્યો હતો કે તેમને એજન્ટો દ્વારા છેતરવામાં આવ્યા હતા જેમણે તેમને જાણ કરી ન હતી કે તેમને `ડંકી` રૂટ દ્વારા યુએસ અને યુકે મોકલવામાં આવી રહ્યા છે. અગાઉ, ૫ ફેબ્રુઆરીના રોજ, યુએસ એરફોર્સનું એક વિમાન ડિપોર્ટ કરેલા ભારતીય નાગરિકોને અમૃતસર લાવ્યું હતું. પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ખાતરી આપી હતી કે ડિપોર્ટીઝ સાથે સારો વ્યવહાર કરવામાં આવશે અને તેમના પરત ફરવા અને રહેવા માટે તમામ જરૂરી વ્યવસ્થા કરવામાં આવી છે.

16 February, 2025 04:54 IST | Amritsar
આરબીઆઈ પ્રતિબંધ પછી મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની લાઇનો

આરબીઆઈ પ્રતિબંધ પછી મુંબઈની ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની બહાર ગ્રાહકોની લાઇનો

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વારા ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકને નવી લોન આપવા પર પ્રતિબંધ મૂક્યાના એક દિવસ પછી, સુપરવાઇઝરી ચિંતાઓ અને ધિરાણકર્તાની તરલતાની સ્થિતિને કારણે, ગભરાયેલા ગ્રાહકો ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકની શાખાઓની બહાર મોટી સંખ્યામાં ભેગા થયા, જેમાંથી ઘણાની બચત બેંકમાં બંધાયેલી છે. અચાનક બેંકિંગ પ્રતિબંધથી ગ્રાહકો ચિંતામાં મુકાઈ ગયા છે કે શું તેઓ બેંકમાંથી તેમના પૈસા પાછા મેળવી શકશે. ન્યૂ ઈન્ડિયા કો-ઓપરેટિવ બેંકના ગ્રાહક સીમા વાઘમારે કહે છે, "અમે ગઈકાલે જ પૈસા જમા કરાવ્યા હતા, પરંતુ તેઓએ કંઈ કહ્યું નહીં... તેઓએ અમને કહેવું જોઈતું હતું કે આવું થવાનું છે... તેઓ કહી રહ્યા છે કે અમને અમારા પૈસા 3 મહિનામાં મળી જશે... અમારી પાસે EMI ચૂકવવાના છે, અમને ખબર નથી કે અમે તે બધું કેવી રીતે કરીશું..."

14 February, 2025 05:46 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK