માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.
મુંબઈ એક એવું શહેર છે જેણે પોતાના ખોળામાં અનેક નાત-જાતના લોકોને ઉછેર્યા છે. એના જ પ્રતાપે દરેક ધર્મ અને સંસ્કૃતિની ઝલક અહીં નજરે ચઢે છે. એમાં ચીની સંસ્કૃતિ પણ કેમ પાછળ રહે? હા, આજે તમને મુંબઈમાં ચીની લોકોનું જ નહીં પણ સૌ કોઈ માટે આસ્થાનું એડ્રેસ બનેલ એક ચીની મંદિરમાં લઈ જવા છે. આ ચાઇનીઝ ટેમ્પલ છે `ક્વાંગ કુંગ ટેમ્પલ` એન તે મુંબઈના મઝગાવ વિસ્તારમાં આવેલું છે. તો ચાલો એની સફરે જઈએ અને જાણીએ કે કી રીતે તે મુંબઇમાં અસ્તિત્વમાં આવ્યું?
28 May, 2024 10:00 IST | Mumbai | Dharmik Parmar