ફિલ્મમાં વિકી સંભાજી મહારાજનો તેમ જ રશ્મિકા યેસુબાઈની ભૂમિકામાં છે. આ ફિલ્મમાં અક્ષય ખન્ના ઔરંગઝેબ તરીકે જોવા મળશે. ડિરેક્ટર લક્ષ્મણ ઉતેકરની આ ફિલ્મ ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થશે.
નવા વર્ષ 2025નો આજે પહેલો દિવસ છે. આ પ્રથમ દિવસે જ દેશભરના અનેક મંદિર, ચર્ચ અને પવિત્ર ધાર્મિક સ્થળોએ ભક્તોની ભાડે ભીડ પ્રાર્થના કરવા માટે ઉમટી પડી હતી. અહીં લોકોએ અનેક ધાર્મિક વિધિઓમાં ભાગ લીધો અને નવા વર્ષની ઉજવણી શ્રદ્ધા, ભક્તિ અને ઉત્સાહપૂર્ણ ઉત્સવો સાથે કરી. (તસવીરો: મિડ-ડે)
01 January, 2025 04:18 IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent
વારાણસીમાં ગંગા નદીના કિનારે આવેલા ઘાટ પર ગઈ કાલે દેવદિવાળી નિમિત્તે સોળ લાખ દીવડા પ્રગટાવવામાં આવ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ દિવસે દેવતાઓ કાશીમાં ભવ્ય દીપોત્સવ જોવા માટે સ્વર્ગમાંથી ધરતી પર આવે છે. ટૂરિઝમ વિભાગ અને વારાણસી જિલ્લા પ્રશાસને દેવદિવાળીના ભવ્ય આયોજનની તૈયારી કરી હતી. કાશીના ઘાટ પર સોળ લાખ દીવાના ઝગમગાટની સાથે લેઝર શોનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ સાથે વારાણસીના સૌથી સુંદર માનવામાં આવતા નમો ઘાટ પર સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા. આ સિવાય ગંગાના સામા કિનારે ભવ્ય આતશબાજી પણ કરવામાં આવી હતી. ગઈ કાલે દસ લાખથી વધારે લોકો વારાણસીમાં આ ભવ્ય નજારો જોવા આવ્યા હતા. આ સાથે મંગળવારથી શરૂ થયેલા ગંગા મહોત્સવનું પણ ગઈ કાલે સમાપન થયું હતું.
16 November, 2024 04:09 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
કરીના કપૂર, તબુ અને ક્રિતી સૅનન સાથે હંસલ મેહતાની આગામી ફિલ્મ ‘ધ ક્રૂ’ની રીલીઝ ડેટ થઈ જાહેર તો વરુણ ધવન દેખાશે આ ઍકશન ફિલ્મમાં. કાર્તિક અને કિયારાની ફિલ્મનો બૉક્સ ઑફિસ પર કમાલ જોવા મળી રહ્યો છે, આ સિવાય બૉલિવૂડના અન્ય સમાચાર વાંચો તસવીરો સાથે...
અભિનેતા સુનીલ શેટ્ટીએ 2 જાન્યુઆરીએ પંજાબના અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી અને પ્રાર્થના કરી હતી. સુનીલ શેટ્ટીએ કહ્યું, "હું ખૂબ જ ખુશ છું કે મને નવા વર્ષની શરૂઆતમાં સુવર્ણ મંદિરની મુલાકાત લેવાની તક મળી... હું ખૂબ જ ખુશ છું કારણ કે મારા પુત્ર અહાન શેટ્ટીને ફિલ્મ "બોર્ડર 2"માં દિલજીત દોસાંજ સાથે કામ કરવાની તક મળી રહી છે.
અમૃતસરમાં સુવર્ણ મંદિર પરિસરમાં ગોળીઓ ચલાવવામાં આવી હતી જ્યાં પાર્ટીના વડા સુખબીર સિંહ બાદલ સહિત SAD નેતાઓ 2જી ડિસેમ્બરે શ્રી અકાલ તખ્ત સાહિબ દ્વારા તેમના માટે જાહેર કરાયેલ ધાર્મિક સજાઓ હેઠળ `સેવા`ઓફર કરી રહ્યા છે.
`ખાલિસ્તાન` પર દેશમાં ચાલી રહેલા તણાવ વચ્ચે કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ 02 ઓક્ટોબરે અમૃતસરમાં સુવર્ણ મંદિરની મુલાકાત લીધી હતી. કોંગ્રેસના નેતાએ મંદિરમાં પૂજા-અર્ચના કરી હતી અને સુવર્ણ મંદિરમાં `સેવા` પણ અર્પણ કરી હતી. આસામના સીએમ હિમંતા બિસ્વા સરમાએ રાહુલ ગાંધીની સેવાની મજાક ઉડાવવા માટે ‘ઓપરેશન બ્લુ સ્ટાર’નું આહ્વાન કર્યું હતું.
કૉંગ્રેસ નેતા રાહુલ ગાંધી 2 ઑક્ટોબરે પંજાબના અમૃતસર પહોંચ્યા હતા. તેમણે સુવર્ણ મંદિરમાં પ્રાર્થના કરી હતી. તે ‘સેવા’ના ભાગરૂપે ગુરુદ્વારા પરિસરમાં વાસણ ઘસતા પણ જોવા મળ્યા હતા. રાહુલ ગાંધી પંજાબની એક દિવસીય મુલાકાતે છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK