Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Bhavnagar

લેખ

ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો ઊંચે

ઉનાળાની શરૂઆતમાં જ ગુજરાતમાં ગરમીનો પારો ચડ્યો ઊંચે

તાપમાન ૪૦થી ૪૩ ડિગ્રી સુધી પહોંચવાની અને સૌરાષ્ટ્ર-કચ્છ, ઉત્તર અને દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોમાં હીટવેવ ફ‍ૂંકાવાની શક્યતા

12 March, 2025 03:34 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
યાત્રા મિત્ર

હવે પાલિતાણા યાત્રા કરવા જાઓ અને ડોલીવાળો જો હેરાન કરે તો ઑનલાઇન ફરિયાદ થઈ શકશે

જૈનોના પવિત્ર તીર્થધામમાં યાત્રાળુઓની ડોલીની બાબતમાં થતી હેરાનગતિનું કાયમી નિરાકરણ લાવવા માટે અગ્રણી જૈન સંસ્થાઓએ ‘યાત્રા મિત્ર’ નામનું ચૅટબૉટ લૉન્ચ કર્યું છે.

15 February, 2025 07:25 IST | Gandhinagar | Ruchita Shah
રાજપરામાં ખોડિયાર માતાજીનાં દર્શન.

આજે ખોડિયાર માતાના પ્રાગટ્‍યદિને રાજપરાના ઐતિહાસિક મંદિરે ઊમટશે ભક્તોની ભીડ

મંદિર સાથે જોડાયેલો છે ભાવનગરના રાજવીઓનો ઇતિહાસ અને દંતકથાઓ: નાના-મોટા ડુંગરાઓની વચ્ચે આવેલા માતાજીના મંદિર પાસે તાતળિયો ધરો આવેલો છે

05 February, 2025 11:10 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત

ગુજરાતનાં પાંચ શહેરમાં યોજાશે જુનિયર ટાઇટન્સની બીજી સીઝન

ગુજરાત ટાઇટન્સની ફ્રૅન્ચાઇઝીએ ૧૪ વર્ષથી ઓછી ઉંમરનાં બાળકોમાં આઉટડોર સ્પોર્ટ‍્સ માટેનો જુસ્સો જગાવવાના હેતુથી જુનિયર ટાઇટન્સની બીજી સીઝનની જાહેરાત કરી છે.

16 January, 2025 11:46 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
વરુઓના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યાં શૂલપાણેશ્વર અભયારણ્ય

વરુઓના વસવાટ માટે પસંદગીનું સ્થળ બન્યાં શૂલપાણેશ્વર અભયારણ્યનાં જંગલો

ગુજરાતના ૧૩ જિલ્લામાં વરુનો વસવાટ : ૨૦૨૩માં થયેલી વસ્તીગણતરી પ્રમાણે ગુજરાતમાં ૨૨૨ વરુ

31 December, 2024 11:56 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
અકસ્માત સ્થળનું નિરીક્ષણ કરી પરિસ્થિતિનો તાગ મેળવતા અધિકારીઓ (તસવીર સૌજન્ય: એક્સ)

ભાવનગર હાઇવે પર ગોઝારો અકસ્માત- 6નાં મોતથી અરેરાટી- અનેક જણ ઘાયલ

Bhavnagar Road Accident: ૬ જેટલા મૃતદેહોને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તે ઉપરાંત ૭-૮ જેટલા લોકોની સારવાર અત્યારે ચાલી રહી છે.

17 December, 2024 12:33 IST | Bhavnagar | Gujarati Mid-day Online Correspondent
ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સ

૬ મહિનામાં ૮ ગુના ઉકેલી આપ્યા છે ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સે

છેલ્લા ૬ મહિનામાં બનેલા વિવિધ ગુનાઓમાંથી ૮ ગુના ઉકેલવામાં ગુજરાત પોલીસના સ્નિફર ડૉગ્સે મહત્ત્વનો રોલ ભજવ્યો છે અને હત્યા, રેપ, ચોરી તેમ જ ડ્રગ્સના ગુના ઉકેલવામાં બીના, પેની, પાવર અને ગિગલી નામના શ્વાનો પોલીસને હેલ્પફુલ બની રહ્યા છે.

04 December, 2024 01:03 IST | Gandhinagar | Gujarati Mid-day Correspondent
લગ્નની કંકોતરી પર આ સૂત્ર છપાવ્યું છે એટલું

યોગી-મોદીના ફોટો સાથે ‘બટોગે તો કટોગે’ સૂત્રવાળી કંકોતરી વાઇરલ

ઉત્તર પ્રદેશમાં મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ‘બટોગે તો કટોગે’નો નારો આપ્યો હતો એ સૂત્ર આજકાલ વધુ ચર્ચામાં આવ્યું છે.

11 November, 2024 02:17 IST | Bhavnagar | Gujarati Mid-day Correspondent

ફોટા

`કોશેટો` નાટકની અદભૂત ક્ષણો જે કેમેરામાં કંડારાઈ છે

રાજકોટમાં `કોશેટો` નાટક જોતાં જ કેન્સર દર્દીઓની પીડા કવિતાનો પરપોટો થઈને ફૂટી

મુંબઈ સહિતના અનેક શહેરોમાં સફળ પ્રયોગો બાદ હવે કેન્સર અને કવિતાને સમાવતું નાટક `કોશેટો` રાજકોટમાં ભજવાયું. આ નાટક દરમિયાન ઉપસ્થિત કેન્સર દર્દીઓની આંખમાં આંસુ હતા. આ નાટક તેઓને પોતીકું લાગ્યું. આવો, આ નાટકની ક્ષણોને વાગોળીએ.

14 November, 2024 12:34 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
જલારામ મંદિર, બોરિવલી

આસ્થાનું એડ્રેસ: દરજી પરિવાર સાચવી રહ્યો છે મુંબઈ સ્થિત જલાબાપાના આ મંદિરને

તાજેતરમાં જ બોરિવલી પૂર્વમાં આવેલ જલારામ મંદિરમાં જલારામ બાપા ની ૨૨૫મી જન્મજયંતીની અતિ ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો, આવો આજે આ નાનકડા પણ છેલ્લા ૪૫ વર્ષથી લોકોની આસ્થાનું એડ્રેસ બનેલા આ મંદિરની જાણી-અજાણી વાતોથી રૂબરૂ થઈએ. માયાનગરી મુંબઈમાં અનેકવિધ ફરવા લાયક સ્થળો છે. મોટા-મોટા મૉલ્સ, સિનેમાઘરો, બીચ પર લોકો એન્જૉય કરવા પહોંચી જતાં હોય છે. આ બધાની વચ્ચે મુંબઈમાં કેટલાય જૂના-જાણીતાં ધાર્મિક સ્થળો આવેલા છે. આ આસ્થાના સ્થાનો પોતાનો ભવ્ય ઇતિહાસ લઈને આજે પણ અડીખમ ઊભા છે. ભલે આ નગરી માયાનગરી કહેવાતી હોય પણ અહીં એટલાં જ સુંદર દેવી-દેવતાઓના મંદિર, મસ્જિદ, દેરાસરો, ગુરુદ્વારા, ચર્ચ વગેરે ધાર્મિક સ્થળો પણ આવેલા છે જ્યાં અનેક શ્રદ્ધાળુઓ પરિવારસહ બે ઘડી શાંતિનો પોરો ખાવા પહોંચી જાય છે. ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ તમારી માટે લઈને આવ્યું છે ‘આસ્થાનું એડ્ર્સ’ જ્યાં અમે તમને દર મહિનાના પહેલા અને ત્રીજા મંગળવારે વિવિધ ધાર્મિક સ્થળોની મુલાકાતે લઈ જશું. જો તમારી આસપાસ પણ આવું જ કોઈ ધાર્મિક સ્થળ હોય તો તેની માહિતી અમને `dharmik.parmar@mid-day.com` પર મોકલી આપશો.

12 November, 2024 10:01 IST | Mumbai | Dharmik Parmar
કવિ કરસનદાસ લુહાર

કવિવાર: એક ટેકરી પહેલુંવહેલું નાહી માથાબોળ...! કવિ કરસનદાસ લુહાર

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ. આજે આપણે ગુજરાતી ભાષાના હોનહાર કવિ કરસનદાસ લુહાર વિશે વાત કરવી છે. ભાવનગરના આ કવિ પાસેથી આપણને અનેક સુંદર કવિતા, ગીતો મળ્યાં છે. ‘નિરંકુશ’ ઉપનામધારી આ કવિએ મોટેરા અને બાળકો બંનેને ગમે તેવા કાવ્યો આપ્યા છે. ‘જય જવાન’, ‘લીલો અભાવ’, `જળકફન’ જેવા સંગ્રહો આપનાર આ કવિની કેટલીક કાવ્યકણિકાઓ માણીએ.

26 March, 2024 09:59 IST | Mumbai | Dharmik Parmar
ગાંઠિયા અને ભૂંગળા બટેટા

જ્યાફતઃ બેટેટી-ભુંગળા, દાળપુરી અને પાંવ ગાંઠિયા જેવી મજેદાર વાનગીઓ ભાવનગરની ભેટ

આખા ગુજરાતનો નાસ્તો એક તરફ અને ભાવનગરનો બીજી તરફ. ભાવનગરમાં જાત જાતની ચટણીના આધારે એવો મસ્ત નાસ્તો મળે છે કે ન પૂછોને વાત. એમા ય તે બટેટીને ભુંગળાની વાત આવે ત્યારે ભાવેણાવાસીઓના કાન સરવા થઇ જાય. ભાવનગરના ગાંઠિયા તો આખા વિશ્વમાં પ્રસિધ્ધ છે જ વળી ત્યાં દરરોજ સવારે નાસ્તામાં મળતી દાળ પુરી તો જીભમાં ચટાકો લાવી દે તેવી સ્વાદિષ્ટ હોય છે. તો આજે આપણે વાત કરીશું ભાવગરના નાસ્તાના વૈભવની. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

23 February, 2024 04:39 IST | Mumbai | Chirantana Bhatt
ખાજલી - તસવીર: પૂજા સાંગાણી

જ્યાફત: ભાવનગરની 110 વર્ષ જૂની પેઢીની માવા જેવી મીની ખાજલીના સ્વાદનો જવાબ નથી

કલાનગરી ભાવનગર એટલે ગુજરાત રાજ્યનું એક એવું શહેર જે વૈવિધ્યથી સભર હોવાની સાથે ત્યાં  ખાણીપીણીમાં કલાકારી જોવા મળે છે. અગાઉ આપણે નરશીદાસ બાવાભાઈના સુપ્રસિદ્ધ ભાવનગરી સ્પેશ્યલ ગાંઠિયાની વાત કરી હતી. ફકત ભારત દેશમાં જ નહીં, પરંતુ વિદેશમાં પણ ભાવેણાની આગવી ઓળખ ગણાતા સ્વાદિષ્ટ ગાંઠિયાથી લઈ ભૂંગળા બટાકા, પાઉં ગાંઠિયા કે પછી દાળ પુરીના વ્યવસાય સાથે શહેરીજનોનો અજોડ નાતો જોવા મળી રહ્યો છે. ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)

15 September, 2023 06:31 IST | Ahemdabad | Gujarati Mid-day Online Correspondent
કવિ જટિલ વ્યાસ

કવિવાર : જેના દિલને વાગ્યા છે વસંતનાં ફટાણાં - જટિલ વ્યાસ

‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઉજવીએ.   સરસ શ્રાવણ મહિનો બેસી ગયો છે અને વ્રત-તહેવારોની પણ શરૂઆત થઈ ગઈ છે ત્યારે આજે તમારી સામે ભાવનગરના એવા જ એક સશક્ત ગઝલકારને રજૂ કરવા છે જેમના શબ્દો વાંચ્યા પછી તમને પણ એમના શબ્દો પર શ્રદ્ધા બેસી જશે. હા, આ કવિ છે જટિલ વ્યાસ. આ કવિએ વિનયન શાખામાં સ્નાતકની પદવી મેળવી હતી. તેમ જ આ કવિએ પશ્ચિમ રેલવે ભાવનગરમાં સર્વિસ કરી હતી. કુલ ત્રણ સંગ્રહો તેમના નામે મળે છે. એક ‘કાવ્યાંગ’ના જે 1945માં પ્રકાશિત થયો હતો. આ પ્રથમ સંગ્રહથી જ તેઓએ ગઝલકારો અને કાવ્ય રસિકોનું ધ્યાન ખેંચ્યું હતું. અન્ય સંગ્રહ ‘સંસ્પર્શ’ જે 1968માં બહાર પડયો હતો. અને તેમનો ત્રીજો સંગ્રહ તેમના મૃત્યુ પછી પ્રકાશિત થયો હતો એ છે ‘અનાયાસ’ એવી માહિતી છે કે આ સંગ્રહની પ્રેસ કૉપી તૈયાર કર્યા બાદ કવિ ટૂંકી બીમારીને કારણે મૃત્યુ પામ્યા હતા.

05 September, 2023 12:11 IST | Mumbai | Dharmik Parmar
રાખડીઓ બનાવતા કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળાના વિદ્યાર્થીઓ

Raksha Bandhan 2023 : ભાવનગર અંધ ઉદ્યોગ શાળાના નેત્રહીન બાળકોએ બનાવી અવનવી રાખડી

આજે ઠેર ઠેર અનેક એવી સંસ્થાઓ કાર્યરત છે જે સમાજના કોઈ જુદા જ વર્ગની સમસ્યાઓના ઉકેલ માટે પ્રયત્ન કરતી હોય છે. માત્ર સમસ્યાઓ જ હલ કરવી એટલું જ નહીં પણ તેઓના વિકાસ માટે કટિબદ્ધ હોય. હા, ભાવનગરની એક સંસ્થા છે કૃષ્ણકુમારસિંહજી અંધ ઉદ્યોગ શાળા. આ એક એવી સંસ્થા છે જે પ્રજ્ઞાચક્ષુ મિત્રો માટે કામ કરે છે. બાલમંદિરથી લઈને બારમા ધોરણ સુધીના શિક્ષણથી લઈને તેઓને અનેક ઉદ્યોગલક્ષી પ્રવૃત્તિઓ કરાવે છે. થોડાક જ દિવસમાં રક્ષાબંધનનો પવિત્ર તહેવાર આવી રહ્યો છે ત્યારે આ સંસ્થાના પ્રજ્ઞાચક્ષુ મિત્રોએ અવનવી રાખડીઓ બનાવીને સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. આ સંસ્થાના સંચાલક લાભુભાઈ ભાઈએ ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ સાથે ખાસ વાતચીત કરી હતી.

14 August, 2023 04:51 IST | Bhavnagar | Dharmik Parmar
પ્રતીકાત્મક તસવીર (આઈસ્ટોક)

ગુરૂપૂર્ણિમા 2023: પત્રલેખનથી વૉટ્સએપ મેસેજ સુધી આજે બદલાઈ ઉજવણીની રીત

એવું કોઈ જ ન હોઈ ન શકે જેના જીવન પર કોઈ ગુરુનો પ્રભાવ ન હોય. દરેક વ્યક્તિના જીવનમાં કોઈક ને કોઈક ગુરુનો ફાળો રહેલો હોય છે. જન્મદાતા મા-બાપથી લઈને શાળાના, કોલેજના શિક્ષકોનો વ્યક્તિગત વિકાસમાં ખૂબ જ મોટો ફાળો રહેલો હોય છે. આ ગુરુ કોઈપણ હોઈ શકે. જેના જીવનમાંથી કે કાર્યોમાંથી આપણને પ્રેરણા કે બળ મળે એ તમામ ગુરુની કેટેગરીમાં આવી શકે. માણસ ગમે તેટલો મોટો બની જાય પરંતુ એ પોતાના ગુરુના ઋણ કોઈ દિવસ ભૂલતો નથી. જે ભૂલે એ માણસ શાનો? માત્ર આ ગુરૂપૂર્ણિમાના અવસર પર ગુરુને યાદ કરવા તેમ નથી. ગુરુ તો પળેપળ આપણી કેડી પર દીવાદાંડી બનીને ઊભા જ હોય છે. બસ આ ગુરુનું સ્મરણ કરીએ અને તેમના જીવનમાંથી પ્રેરણા મેળવીએ એ જ સાચી ગુરુદક્ષિણા ગણાય. આજે ગુરૂપૂર્ણિમાના આ શુભ અવસરે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ દ્વારા મુંબઈના અને ગુજરાતનાં કેટલાક પ્રોફેસરો સાથે ખાસ વાતચીત કરવામાં આવી હતી. આવો, આજે અનેક વિદ્યાર્થીઓના ઘડતરના પાયા સમાન પ્રોફેસરો પાસેથી જાણીએ કે એમના જીવનમાં કયા ગુરુનો પ્રભાવ રહેલો છે. આ પ્રોફેસરો જ્યારે વિદ્યાર્થી અવસ્થામાં કઈ રીતે ગુરૂપૂર્ણિમા ઊજવતાં એની રસપ્રદ વાતો માણીએ

03 July, 2023 04:48 IST | Mumbai | Dharmik Parmar

વિડિઓઝ

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના સીએમ ભૂપેન્દ્ર પટેલ ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજર

ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 18 ડિસેમ્બરે ભાવનગરમાં આદિ વીર છરી પાલિત સંઘના કાર્યક્રમમાં હાજરી આપી હતી. તેમણે ડોરી કામદાર સમૃદ્ધિ યોજના સહાય કાર્યક્રમ માટે 25000 રૂપિયાનો ચેક પણ આપ્યો હતો.

19 December, 2024 04:21 IST | Ahmedabad
Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: ભાવનગરના ઉદ્યાનમાં કાળિયાર અને અન્ય પ્રાણીઓ આકર્ષણનું કેન્દ્ર

Gujarat Tourism: સૌરાષ્ટ્રના ભાલ પ્રદેશમાં 1976માં સ્થપાયેલ બ્લેક બક નેશનલ પાર્ક 34.08 કિમીના વિસ્તારમાં ફેલાયેલો છે. સપાટ જમીન, સૂકાં ઘાસ અને કાળિયારનાં ટોળાં હંમેશા આ ઉદ્યાનમાં મુલાકાતીઓને આકર્ષે છે, જે ઘાસની જમીનની ઇકોસિસ્ટમ ધરાવે છે. કાળિયાર, વરુ અને ઓછા ફ્લોરિકન (એક બસ્ટાર્ડ) માટે સફળ સંરક્ષણ કાર્યક્રમો ચાલુ છે. વધુ જાણવા માટે જુઓ આખો વીડિયો...

17 December, 2023 01:06 IST | Gujarat

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK