ફૂડ અને ફિલ્મસ્ટાર - આ એક એવો વિષય છે જે હંમેશા કૂતુહલ જગાડે. આપણા મનગમતા એક્ટર્સ સવારે ઉઠીને ચા કે કૉફી પીતાં હશે કે પછી નારિયેળ પાણી? કે પછી ગોખરું અને આમળાંના પાવડર વાળો ઉકાળો? એમના ફૂડ ક્રેવિંગ્ઝ કોઇ ફાઇવ-સ્ટાર હોટેલના ફેન્સી ફૂડના હશે કે પછી વડા-પાંવ અને સેવ પુરીના હશે? આપણે ઘણીવાર આપણા ગમતા એક્ટર્સની તસવીરો કે વીડિયો અમુક રેસ્ટોરન્ટ્સની બહાર જોઇએ તો આપણને એમ થાય કે ચાલો આપણે પણ ત્યાં એક આંટો મારી આવીએ. આમ તો ફિલ્મસ્ટાર્સ પણ તમારી-મારી જેમ જ ફૂડના રસિયા હોય છે પણ માળું તેમની પ્રોફેશનને કારણે ક્યારેક તેમણે ડાયટ પર ઉતરી જઇને વજન ઉતારવું પડે તો ક્યારેક વજન વધારવાનું હોય તો આંકરાતિયાની જેમ ખાવું ય પડે. શૂટ માટેના ટ્રાવેલિંગમાં નવા પ્રકારની ડિશીઝ ટ્રાય કરવાથી માંડીને ઘરની ખિચડીને ચાહનારા ફૂડી એક્ટર્સની પ્લેટ અને પૅલેટ બંન્નેને ઓળખીએ. ઘણીવાર શૂટિંગ દરમિયાન મનગમતું ભોજન ખાવા મળે છે તો ક્યારેય ભુખ્યા રહેવાનો પણ સમય આવે છે. ઘણીવાર શૂટિંગના સ્થળોની આસપાસના ફૂડ જોઈન્ટ્સ એક્સપ્લોર કરે છે. ફિલ્મસ્ટારના ફૂડ પ્રત્યેના પ્રેમ અને તેમના મનપસંદ ફૂડ જોઈન્ટ વિશે તમે પણ જાણી શકો તે માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ લઈને આવ્યું છે, સાપ્તાહિક કૉલમ ‘ફૂડ, ફન એન્ડ ફિલ્મસ્ટાર’.
‘સોનુ તને મારા પર ભરોસો નઈ કે’ ફૅમ અભિનેત્રી નિજલ મોદી (Nijal Modi) આજે આપણી સાથે તેમનો ફૂડ પ્રેમ શૅર કરે છે.
11 January, 2025 04:00 IST | Mumbai | Rachana Joshi
અનન્યા પાંડે, સોનુ સૂદ, આયુષ્માન ખુરાના, તાહિરા કશ્યપ, રાજકુમાર રાવ, પત્રલેખાથી લઈને બૉલિવૂડના અનેક સેલેબ્સે ગણેશ ચતુર્થી નિમિત્તે તેમના ઘરે ભગવાન ગણેશની મુર્તિ સ્થાપિત કરી હતી. પોતાના ઘરે સ્થાપિત કરેલી બાપ્પાની મુર્તિ સાથે આ સેલેબ્સે તસવીરો શૅર કરી હતી. (તસવીરો: મિડ-ડે)
Pankaj Udhas Prayer Meet: પ્રખ્યાત ગઝલ ગાયક પંકજ ઉધાસનું સોમવારે નિધન થયું હતું. મંગળવારે એટલે આજે પંકજ ઉધાસના અંતિમ સંસ્કાર બાદ મુંબઈમાં તેમના માટે પ્રાર્થના સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન, ગાયિકા અનુરાધા પૌડવાલ સહિત પંકજ ઉધાસના નજીકના મિત્રો અને ઇન્ડસ્ટ્રીના તેમના ચાહકોએ સિંગરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.
સુપ્રસિદ્ધ ગઝલ ગાયક પંકજ ઉધાસનું 26 ફેબ્રુઆરી, સોમવારે લાંબી માંદગી બાદ નિધન થયું હતું. તેમના અંતિમ સંસ્કાર આજે તેમના મુંબઈ સ્થિત નિવાસ સ્થાને કરવામાં આવ્યા. અંતિમ સંસ્કાર પહેલા, ઘણા સેલેબ્સે શોકગ્રસ્ત પરિવારને સંવેદના આપવા પહોંચ્યા હતા.
બોલિવૂડ અભિનેતા સોનુ સૂદ, રાજકારણી આશિષ શેલાર, બહુમુખી પ્રતિભાશાળી અભિનેતા રાજકુમાર રાવ અને બહુપ્રતિભાશાળી ફરહાન અખ્તર વહેલી સવારે મતદાન કરવા માટે બહાર નીકળતા જોવા મળ્યા હતા. આકસ્મિક રીતે પોશાક પહેરીને છતાં પણ આત્મવિશ્વાસ છલકાવતા, તેઓએ લોકશાહી પ્રક્રિયામાં ભાગ લેવાના મહત્વ પર ભાર મૂક્યો. મતદાન મથક પર તેમની હાજરી માત્ર તેમની નાગરિક જવાબદારીને જ પ્રકાશિત કરતી નથી પણ અન્ય લોકો માટે તેમના મતના અધિકારનો ઉપયોગ કરવા માટે પ્રેરણારૂપ પણ બની હતી.
સોનુ સૂદનું અદભૂત ઇકો-ફ્રેન્ડલી ગણપતિ વિસર્જન મુંબઈમાં તેમના ઘરે યોજાયું હતું, શાનદાર કાળા કુર્તામાં સોનુ સૂદ, તેમની સુંદર પત્ની, સોનાલી સૂદ અને તેમના બે વ્હાલા લાગે તેવા દીકરાઓ ઈશાન અને અયાન સાથે વિસર્જનની વિધિ કરાઇ હતી. સોનુએ આ સેલિબ્રેશન વિશે વાત કરી સાથે એકતાનો પ્રોત્સાહન આપવા માટે ભગવાન ગણેશનું મહત્વ જણાવ્યું અને ઉમેર્યું કેવી રીતે આ તહેવાર આપણને દ્રઢતા અને પ્રેમ વિશેના અમૂલ્ય પાઠ શીખવે છે. ઉપરાંત, તેમણે જેકલીન ફર્નાન્ડીઝ સાથેની તેમની આગલી ફિલ્મ `ફતેહ`ની પણ વાત કરી, જે 2025 માં રિલીઝ થવાની છે.
રણધીર કપૂર, ભાગ્યશ્રી, શ્રેયસ તલપડે, સોનુ સૂદ, ફરાહ ખાન, રાજકુમાર રાવ સહિત ઘણા બૉલિવૂડના દિગ્ગજ કલાકારોએ ભગવાન ગણેશના આશીર્વાદ મેળવવા અને આનંદની ઉજવણીમાં ભાગ લેવા માટે લાલબાગચા રાજાની મુલાકાત લીધી હતી. સૌએ ત્યાં પ્રાર્થના કરી હતી. જુઓ સંપૂર્ણ વીડિયો
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK