મુંબઈ સહિતના અનેક શહેરોમાં સફળ પ્રયોગો બાદ હવે કેન્સર અને કવિતાને સમાવતું નાટક `કોશેટો` રાજકોટમાં ભજવાયું. આ નાટક દરમિયાન ઉપસ્થિત કેન્સર દર્દીઓની આંખમાં આંસુ હતા. આ નાટક તેઓને પોતીકું લાગ્યું. આવો, આ નાટકની ક્ષણોને વાગોળીએ.
ગુજરાતમાં રાજકોટના રતનપરમાં ગઈકાલે રાજપૂત સમાજનું ‘ક્ષત્રિય અસ્મિતા મહાસંમેલન’ યોજાયું હતું, જેમાં મોટી સંખ્યામાં રાજપૂત સમાજણા લોકો હાજર રહ્યા હતા. જો પરષોત્તમ રૂપાલાની ટિકિટ ન કપાઈ તો આવનારી ચૂંટણીમાં BJPનો બહિષ્કાર કરવાની ચીમકી સમાજના લોકોએ ઉચ્ચારી હતી.
15 April, 2024 01:24 IST | Rajkot | Gujarati Mid-day Online Correspondent
જયારે સૌરાષ્ટ્રનાં રંગીલા રાજકોટીની વાત આવે ત્યારે સ્પેશ્યલ મરી મસાલા યુક્ત હિંગથી ભરપૂર વણેલા ગાંઠિયા સાથે તીખો પપૈયાનો સંભારો અને તળેલા મરચાં, ગોરધનભાઈની બટાકાની કાતરી સાથે છુંદો, ચેવડો અને લીલી ચટણી, રાજકોટના સ્પેશ્યિલ માવાના પેંડા અને મસ્ત મજાની ખાજલી તો વળી કેમ ભુલાય. રાજકોટ રેલવે સ્ટેશનની નજીકના વિસ્તાર ખાણીપીણીની દૃષ્ટિએ ઘણો સમૃદ્ધ છે જ્યાં અનેક પ્રકારની ગુજરાતી, પંજાબી વાનગીઓ પીરસતા ભોજનાલય ધમધમી રહ્યા છે. એમાં પણ જયારે સૌરાષ્ટ્રના અલગ-અલગ ગામે ફરીને આવતા ગુજરાતીઓ રાજકોટ આવે છે, ત્યારે ઘર જેવા ભોજનની ઝંખના કરતાં હોય છે.
ગુજરાતમાં રેસ્ટોરન્ટ્સ અને સ્ટ્રીટ ફુડ વિશે લખનારાઓમાં પૂજા સાંગાણીનું નામ જાણીતું છે. મિડ-ડે અખબારમાં લગલગાટ બે વર્ષ સુધી ખાઇ પીને મોજ નામની કોલમથી તેઓએ ગુજરાતી ફુડને સ્વાદ રસિયાઓ સમક્ષ રજૂ કર્યું ત્યારે હવે તેઓ ડિજિટલી સ્વાદની "જ્યાફત" આપણી સાથે શૅર કરશે. ફૂડી પૂજા ગાંધીનગરમાં જન્મ્યાં અને વડોદરામાં ઉછર્યાં. અંગ્રેજી સાહિત્યમાં માર્સ્ટર્સ કરનારા પૂજા ગુજરાતી અને અંગ્રેજી બંન્ને ભાષામાં કોન્ટેન્ટ રાઇટિંગ કરતાં આવ્યા છે. તે ફૂડ રાઇટર જ નહીં પણ ફૂડ બ્લોગર પણ છે અને સોશ્યલ મીડિયા સ્ટ્રેટેજિસ્ટ તરીકે પણ કામ કરે છે. ફૂડ બ્લોગર, ફૂડ લેખિકા અને સોશિયલ મિડીયા સ્ટ્રેટેજીસ્ટ તરીકે પોતાના અનુભવનો લોકોને લાભ આપે છે. તેઓ સોશ્યલ મીડિયા પર પણ પોતાના લખાણો મુકે છે તથા તેમના કામને પગલે બે એવોર્ડ પણ તેઓ મેળવી ચૂક્યાં છે. નવા રેસ્ટરન્ટ્સ ખૂલે કે કોઇ નવો ફૂડ ટ્રેન્ડ હોય તે અચૂક ત્યાં પહોંચે અને સ્વાદ રસિકોને માર્ગદર્શન પણ આપતા રહે છે. ચાલો માણીએ જ્યાફત. (તસવીરો – પૂજા સાંગાણી)
રાજકોટમાં રહેતી ગુજરાતી છોકરીએ નાની ઉંમરે મોટી સિદ્ધિ હાંસલ કરી છે. માત્ર ૯ વર્ષની ઉંમરે આ છોકરી અજય દેવગણ (Ajay Devgn)ની આગામી ફિલ્મ ‘ભોલા’ (Bholaa) સાથે બોલિવૂડમાં ડેબ્યૂ કરવા જઈ રહી છે. આ વાત છે હિરવા ત્રિવેદી (Hirva Trivedi)ની જેણે ૬ વર્ષની કુમળી વયે મનોરંજન જગતમાં પગ મૂક્યો અને ત્રણ જ વર્ષમાં પોતાની અથાક મહેનતથી હરણફાળ ભરી.
30 January, 2023 06:27 IST | Mumbai | Karan Negandhi
ઓસ્કરથી લઈ વિશ્વ સ્તર પર ગુજરાતી ફિલ્મનો પડઘો પાડનારા નિર્દેશક પાન નલિન, સૌરાષ્ટ્ર-કાઠિવાડની જે ધરતી પર જન્મ્યાં છે તે જ ધરાના અનેક યુવાનો અભિનય ક્ષેત્રે ડગ માંડી રહ્યાં છે. તેમાંના એક યુવા કલાકાર છે જેનિશ બુદ્ધદેવ. તેમણે અનેક હિન્દી સીરિયલ અને ગુજરાતી ફિલ્મ `ધમણ`માં કામ કર્યું છે. નજીકના સમયમાં બની શકે કે તે સૌથી લોકપ્રિય સીરિયલ `તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા` માં ટપુના પાત્રમાં જોવા મળે. ત્યારે ચાણો આપણે જાણીએ કે જેનીશ બુદ્ધદેવ કોણ છે અને કેવી રીતે તે અભિનય ક્ષેત્રમાં આગળ વધી રહ્યાં છે.
19 January, 2023 06:03 IST | Mumbai | Nirali Kalani
"હમ દેખ નહીં શકતે ઔર ઈતને સારે લોગ હમે દેખને આયે હૈ" આ શબ્દો છે એ નેત્રહીન યુવતીના જેણે રેમ્પ પર વૉક કરી લોકોને સ્તબ્ધ કરી દીધાં હતાં. રાજકોટમાં એક ફેશન શૉનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રહીન યુવતીએ ફુલ કોન્ફિડન્સ સાથે રેમ્પ કર્યુ હતું. આ શૉનું આયોજન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ફેશન એન્ડ જ્વેલરી ડિઝાઇન દ્વારા કરવામાં આવ્યું હતું. જે પોતાના દરેક શૉ વખતે સમાજને કંઈક સંદેશો આપવાનો આશય ધરાવે છે.
21 December, 2022 04:13 IST | Rajkot | Nirali Kalani
વિજય દિવસ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી હતી. ત્યારે રાજકોટની આત્મીય યુનિવર્સિટી ખાતે પણ વિજય દિવસની ઉજવણી માટે એક કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. જેમાં મહેમાન તરીકે પૂર્વ નેવી ઓફિસર મનન ભટ્ટ તથા યુનિવર્સિટીના ડિપ્યુટી રજિસ્ટરાર શ્રી આશીષ કોઠારી અને ડૉ વિજયેશ્વર મોહન હાજર રહ્યાં હતાં.
ગુજરાત હાઈકોર્ટ એડવોકેટ્સ એસોસિએશનના પ્રમુખ, એડવોકેટ બ્રિજેશ ત્રિવેદીએ 06 જૂને રાજકોટના TRP ગેમ ઝોનમાં આગની ઘટના અંગે કહ્યું કે કોર્ટે આ ઘટના પર ઘણા પ્રશ્નો ઉઠાવ્યા અને એ પણ પૂછ્યું કે શા માટે IPC 302 લાગુ કરવામાં આવી નથી. “કોર્ટે આ બાબતને ખૂબ ગંભીરતાથી લીધી છે. કોર્ટે રાજ્ય સરકારને પૂછ્યું કે શા માટે માત્ર જુનિયર સ્તરના અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવ્યા અને શહેરના મ્યુનિસિપલ કમિશનરને કેમ નહીં. તેમણે એ પણ પૂછ્યું કે આ કેસમાં 302 આઈપીસી શા માટે લાગુ કરવામાં આવી નથી. બ્રિજેશ ત્રિવેદીએ જણાવ્યું હતું કે, SIT ટૂંક સમયમાં કોર્ટ સમક્ષ તેનો રિપોર્ટ રજૂ કરે તેવી અપેક્ષા છે.
રાજકોટની દુઃખદ આગની ઘટના અંગે અપડેટ આપતા પોલીસ કમિશનર રાજુ ભાર્ગવે માહિતી આપી હતી કે ગઈ રાત સુધી તેઓએ 27 મૃતદેહો બહાર કાઢ્યા છે. 27 મૃતદેહોના ડીએનએ નમૂનાઓ એકત્રિત કરવામાં આવ્યા હતા અને 26 મેના રોજ ડિરેક્ટોરેટ ઓફ ફોરેન્સિક સાયન્સિસ (ડીએફએસ) ગુજરાતને નમૂના લેવા માટે મોકલવામાં આવ્યા હતા. પીડિતાના સંબંધીએ ન્યાયની માંગ કરતા કહ્યું કે જે લોકો જવાબદાર છે તેમને સજા મળવી જોઈએ. એફએસએલની ટીમ 27 મેના રોજ રાજકોટ ખાતે ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગની ઘટનામાં તપાસના ભાગરૂપે સ્થળ પર પહોંચી હતી. ટીઆરપી ગેમિંગ ઝોનમાં આગની દુઃખદ ઘટના અંગે રાજકોટ એસીપી રાધિકા ભારાઇએ 27 મેના રોજ જણાવ્યું હતું કે અત્યાર સુધીમાં તમામ 27 મૃતદેહોમાંથી ચાર લોકોની ઓળખ કરવામાં આવી છે અને તેમના મૃતદેહો તેમના પરિવારોને સોંપવામાં આવ્યા છે. દરમિયાન ફાયર બ્રિગેડ વડોદરાના ચીફ ફાયર ઓફિસર પાર્થ બ્રહ્મભટ્ટે માહિતી આપી હતી કે ગુજરાત સરકારના આગામી આદેશ સુધી શહેરના ગેમ ઝોન બંધ રહેશે. 25 મેના રોજ થયેલા એક જીવલેણ અકસ્માતમાં 27 લોકોના મોત થયા હતા. રાજકોટ ટીઆરપી ગેમિંગ ઝોનમાં ભીષણ આગ, બાળકો સહિત 27ના મોત ગુજરાત પોલીસે આ સંબંધમાં તેના માલિક અને મેનેજર સહિત છ લોકો સામે કેસ નોંધ્યો છે.
This website uses cookie or similar technologies, to enhance your browsing experience
and provide personalised recommendations. By continuing to use our website, you agree
to our Privacy Policy and Cookie Policy. OK