Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


Health

લેખ

પ્રતીકાત્મક તસવીર

ખાણીપીણીમાં PHD કરો તો ૧૦૦ વર્ષ જિવાય?

ના... ના... અહીં કોઈ ડિગ્રીની ચર્ચા નથી, પ્રાકૃતિક આહારની વાત છે અને એ ડાયટ સિસ્ટમનું નામ છે પ્લૅનેટરી હેલ્થ ડાયટ એટલે કે PHD.

18 April, 2025 11:11 IST | Mumbai | Ruchita Shah
પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ પ્રકારના રોગને દૂર કરવા પ્રાણિક ઊર્જા હીલિંગ માટે જરૂરી છે

દુનિયામાં શક્તિશાળી ઉપચાર પદ્ધતિ એટલે આપણી પોતાની જીવ ઊર્જાનો ઉપયોગ. જીવ ઊર્જાનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય. શ્વાસોચ્છ્વાસ દ્વારા, નિદ્રા દ્વારા અથવા આપણા મગજમાં ઉત્પન્ન થતી શક્તિ દ્વારા. શ્વાસોચ્છ્વાસને પ્રાણાયામ કહીને એનો અપભ્રંશ કરવામાં આવ્યો છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

છાશ ક્યારે પીવી, કેવી પીવી અને કેટલી પીવી?

વાનગી કોઈ પણ બને, પણ ભોજન કર્યાની તૃપ્તિ છાશ પીધા બાદ જ મળે છે. ગુજરાતી ઘરોમાં બારેમાસ પીવાતી છાશ ઉનાળામાં શરીર માટે અમૃત સમાન છે એમ કહેવું ખોટું ન કહેવાય. ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશ વિશે જાણી લો બધેબધું

17 April, 2025 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

હેલ્ધી રિલેશનશિપ વજન વધારે?

હેલ્ધી રિલેશનશિપના અનેક ફાયદાઓ છે પણ અમુક રિસર્ચ એવું પણ કહે છે કે એને કારણે વ્યક્તિનું વજન વધે છે. ખાસ કરીને શરીરમાં થતા હૉર્મોનલ ચેન્જિસ, ઇમોશનલ ફૅક્ટર્સ, આદતોમાં આવેલા બદલાવને કારણે વેઇટ ગેઇન થાય છે. આમાં કેટલું તથ્ય છે એ એક્સપર્ટ પાસેથી જાણીએ

17 April, 2025 07:05 IST | Mumbai | Heena Patel
શર્મિલા ટાગોર

શર્મિલા ટાગોરની જેમ કૅન્સરને પકડી પાડો સ્ટે જ ઝીરો પર

કૅન્સરને ઊગતું જ ડામવું બહુ જરૂરી છે નહીંતર એ શરીરના અન્ય ભાગમાં ફેલાઈને ગંભીર નુકસાન પહોંચાડી શકે છે, એની સારવાર પણ અઘરી બની જાય છે

17 April, 2025 07:05 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક ફાઈલ તસવીર

બૅન્કમાં ૨.૫ કરોડ રૂપિયાની FD ધરાવતો ૪૨ વર્ષનો અપરિણીત માણસ નોકરીથી કંટાળી ગયો

સોશ્યલ મીડિયા રેડિટ પર ૪૨ વર્ષની એક માણસે મૂકેલી પોસ્ટ જોરદાર વાઇરલ થઈ છે અને લોકોએ એના પર ભાત-ભાતની પ્રતિક્રિયાઓ આપી છે

17 April, 2025 07:01 IST | New Delhi | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

આ રીતે પંચાત કરશો તો એ કામની છે

આમ તો પંચાત કરવી ખોટી વાત છે, પણ પંચાતને હેલ્ધી રીતે કરવામાં આવે તો એ આપણા માટે કામની વસ્તુ બની શકે છે. હેલ્ધી પંચાતથી તમને માનસિક શાંતિ મળે, મજબૂત સંબંધો બને અને વ્યક્તિગત વિકાસ થઈ શકે છે. તો ચાલો જાણી લઈએ હેલ્ધી પંચાત કરાય કઈ રીતે

16 April, 2025 01:34 IST | Mumbai | Heena Patel
પ્રતીકાત્મક તસવીર

કેળાં અને બ્રૉકલી વધારે ખાશો તો હાઈ બ્લડપ્રેશર ઘટાડવામાં મદદરૂપ થશે

તાજેતરમાં કૅનેડાની યુનિવર્સિટી ઑફ વૉટરલૂના રિસર્ચરોએ કરેલા વૈશ્વિક અભ્યાસમાં દાવો થયો છે કે બ્રૉકલી અને બનાના જેવી પોટૅશિયમથી ભરપૂર ફૂડ-આઇટમ્સ ભોજનમાં પ્રચુર માત્રામાં ઉમેરવાથી બ્લડપ્રેશર નીચું લાવવામાં મદદ મળે છે.

16 April, 2025 12:58 IST | Ottawa | Gujarati Mid-day Correspondent

ફોટા

કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain
બોલિવૂડ કલાકારો જે સ્વસ્થ અને ફિટ રહેવા માટે વિવિધ પ્રકારની રમતોમાં વ્યસ્ત રહે છે

વર્લ્ડ હેલ્થ ડે 2025: આ બૉલિવૂડ કલાકારો ફિટ રહેવા દરરોજ કરે છે ખાસ એક્ટિવિટી

ફિટનેસ વજન ઉપાડવાની સાથે શિસ્ત, દ્રઢતા અને હલનચલનને અપનાવતી જીવનશૈલી વિશે છે. ઘણા બૉલિવૂડ કલાકારો તેમની મનપસંદ પ્રવૃત્તિઓના માનસિક અને શારીરિક લાભોનો આનંદ માણવાની સાથે સાથે ફિટ રહેવા માટે સ્પોર્ટ્સ એક્ટિવિટીઝ પણ કરતાં રહે છે. આજે વિશ્વ આરોગ્ય દિવસ પર, ચાલો જાણીએ કેટલાક એવા કલાકારો વિશે જેઓ રમતગમત દ્વારા ફિટ રહે છે.

08 April, 2025 06:56 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના બેતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: સાંધાના કોઈપણ દુખાવાને મટાડવા માટે રામબાણ છે આ મુદ્રા

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સંધિ મુદ્રા’ વિશે. સંધિ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

04 April, 2025 07:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના એકતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: ‘હેપ્પી બેબી પોઝ’ જેટલું અનોખું નામ એટલા જ ઉત્તમ શારીરિક-માનસિક લાભ

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘આનંદ બાળાસન’ જેને ‘હેપ્પી બેબી પોઝ’ પણ કહેવાય છે, તેના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો.

27 March, 2025 03:10 IST | Mumbai | Viren Chhaya
સ્વાસ્થ્યાસનના ચાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કૂર્માસનના આવા ફાયદા કદાચ જ તમને ખબર હશે

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘કૂર્માસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

21 March, 2025 06:59 IST | Mumbai | Shilpa Bhanushali
સ્વાસ્થ્યાસનના આજના એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: આ સિમ્પલ યોગ મુદ્રાથી પગના દુખાવા મટી જશે, એકાગ્રતા પણ વધશે

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘સ્વસ્તિકાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા અહીં ક્લિક કરો

14 March, 2025 07:11 IST | Mumbai | Dharmik Parmar
હોળીનો તહેવાર

હૅવ અ સેફ હોલી

તમે ગમે એટલી તકેદારી રાખો પણ હોળી તહેવાર એવો છે કે સામા પક્ષેથી કોઈ આવીને રંગી જાય તો તમે રોકી ન શકો. કેમિકલયુક્ત રંગો પ્રત્યે લોકોની રુઝાન ઘટતી જાય છે એ પછીયે ચેતતો નર સદા સુખી. જાણી લો કે હોળીના નુકસાન કરી શકનારા કેમિકલયુક્ત રંગોથી તમારી સ્કિન, વાળ, આંખ, કાન, ફેફસાં વગેરે મહત્ત્વપૂર્ણ અવયવોનું રક્ષણ કેવી રીતે કરશો હોળીને ભરપૂર રીતે ત્યારે જ માણી શકાય જ્યારે એ સેફ્ટી સાથે રમવામાં આવે. હોળી રમ્યા પછી જો માંદા જ પડવાના હો તો હોળીની મજા એ માંદગી ખરાબ કરી શકે છે. હોળી પછી જો સ્કિન પર લાલ દાણા ઊભરી આવે કે હેરફૉલની તકલીફ વધી જાય કે આંખમાં ઇન્ફેક્શન થઈ જાય, કાનમાં ધાક પડી જાય કે પછી ઍલર્જી કે અસ્થમાના ઇશ્યુ આવી જાય તો એ હોળી હૅપી તો ન જ ગણી શકાય. એ માટે સૌથી પહેલો મહત્ત્વનો મુદ્દો એ છે કે રંગો પર ભલે વધુ ખર્ચો થાય પણ રંગો એકદમ ઑર્ગેનિક હોવા જરૂરી છે. ઘણા કહે છે કે અમે કેમિકલયુક્ત રંગો લેતા જ નથી, પણ આપણને એ જાણ નથી હોતી કે સસ્તા ગુલાલના નામે વેચાતા દેશી રંગોમાં પણ એટલું જ કેમિકલ નાખવામાં આવે છે. આજે સમજીએ કે જો તકલીફ વગરની એકદમ સેફ હોળી રમવી હોય તો શું ધ્યાન રાખવું જોઈએ. જાતને કવર-અપ કરીને જજોઆદર્શ રીતે કશું થાય અને એનો ઉપાય કરવો એના કરતાં સાવચેતી રાખવી જરૂરી, જેમાં આખી બાંયનાં અને ફુલ પગ ઢંકાઈ જાય એવાં કપડાં પહેરવાં. વાળ પણ એ રીતે કવર કરવા જેથી કાન પણ ઢંકાઈ જાય. આંખ માટે ગૉગલ્સ વાપરી શકો છો. એક્સપોઝર જેટલું ઘટાડશો એટલા ફાયદામાં રહેશો. ઍક્સિડન્ટથી બચવા માટે સરેન્ડર કરો એ બેસ્ટકોઈ રંગ લગાવવા આવે અને તમે રંગથી બચવા ભાગો એ જેટલું ફન લાગે છે એટલું જ રિસ્કી છે કારણ કે ભાગવાના ચક્કરમાં કશે વ્યક્તિ અથડાઈ જાય, પડી જાય કે વાગી જાય. આવા ઍક્સિડન્ટ ખૂબ જ સામાન્ય છે. બાળકોને ખાસ શીખવો કે કોઈ રંગ લગાવવા આવે ત્યારે એનો વિરોધ કરવાને બદલે ખુશી-ખુશી રંગ લગાવડાવે. આંખો અને મોઢું એકદમ ભીંસીને બંધ કરી રાખે જેથી રંગ અંદર ન જાય. પછી રંગ લૂછી નાખે કે એની મેળે જ ખરી જાય તો ચાલે. આ રીતે ઍક્સિન્ટથી બચી શકાય છે.

13 March, 2025 06:59 IST | Mumbai | Jigisha Jain
સ્વાસ્થ્યાસનના આડત્રીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: કમર, કાંડા અને પગને મજબૂત બનાવવામાં કારગર છે આ આસન

વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગાસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પૂર્વોત્તાનાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. આ રીલ જોવા માટે ક્લિક કરો અહીં.

07 March, 2025 07:00 IST | Mumbai | Shilpa Bhanushali

વિડિઓઝ

પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

પીકેએ મુખ્યમંત્રી નીતિશના સ્વાસ્થ્ય પર સવાલ ઉઠાવ્યા, તેઓ થાકેલા અને અસ્થિર...

જન સુરાજના વડા પ્રશાંત કિશોરે બિહારના મુખ્યમંત્રી નીતિશ કુમારના સ્વાસ્થ્ય અંગે ટીકા કરી અને બાદમાં તેમને "માનસિક રીતે અસ્થિર" ગણાવ્યા.

02 April, 2025 07:29 IST | Patna
Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

Swasthyasan: પીઠ, હાથ અને પગ મજબૂત બનાવે છે શલભાસન; અચૂક કરજો ટ્રાય

શલભાસન યોગ આસન પીઠ, હાથ અને પગમાં શક્તિ વધારે છે અને સાથે સાથે લવચીકતામાં પણ સુધારો કરે છે. તેના ફાયદા અને તેનો અભ્યાસ કેવી રીતે કરવો તે જાણો.

17 January, 2025 06:42 IST | Mumbai
પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

પત્ની અને તેના પરિવારે પુનીતને માનસિક ત્રાસ આપ્યો, મૃતકના પરિવારનું કહેવું

દિલ્હીના મોડલ ટાઉન વિસ્તારમાં મંગળવારે આત્મહત્યા દ્વારા મૃત્યુ પામેલા 40 વર્ષીય વેપારી માલિકના મૃત્યુ બાદ, મૃતકના પરિવારે પુનીત ખુરાના તરીકે ઓળખાતા તેની પત્ની અને તેના પરિવાર પર પુનીતને માનસિક ત્રાસ આપવાનો અને હેરાન કરવાનો આરોપ લગાવ્યો હતો. મૃતકની બહેન, પુનીતની પત્ની, તેની બહેન અને માતા-પિતા સાથે મળીને તેને માનસિક ત્રાસ આપતી હતી અને હેરાન કરતી હતી અને પુનીતે નોંધ પણ કરી હતી. એક વિડિયો જેમાં તેણે તેની સાથે જે સતામણીનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતોનો ઉલ્લેખ કર્યો હતો."તેણી, તેની બહેન અને તેના માતા-પિતાએ તેને માનસિક રીતે ત્રાસ આપ્યો હતો અને તેને હેરાન કર્યા હતા. લગભગ 59 મિનિટનું વિડિયો રેકોર્ડિંગ છે, જેમાં પુનીતે તેને જે કનડગતનો સામનો કરવો પડ્યો હતો તેની વિગતો દર્શાવી છે. મહિલાએ પુનીતનું સોશિયલ મીડિયા એકાઉન્ટ પણ હેક કરી લીધું હતું," બહેને કહ્યું.

02 January, 2025 05:28 IST | New Delhi
Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

Swasthyasan: શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય માટે છે આ આસન, ચોક્કસ કરજો ટ્રાય

અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘મેરુ વક્રાસન’ના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ વીડિયોમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા.

27 December, 2024 03:17 IST | Mumbai
વિનોદ કાંબલીએ સ્વાસ્થ્ય સંઘર્ષ વચ્ચે સમર્થન માટે સચિન તેંડુલકરનો આભાર માન્યો

વિનોદ કાંબલીએ સ્વાસ્થ્ય સંઘર્ષ વચ્ચે સમર્થન માટે સચિન તેંડુલકરનો આભાર માન્યો

ભૂતપૂર્વ ક્રિકેટર વિનોદ કાંબલીએ, તેમના હોસ્પિટલના પલંગ પરથી , સચિન તેંડુલકરનો તેમના સમર્થન બદલ આભાર વ્યક્ત કર્યો. સ્વાસ્થ્યના સંઘર્ષનો સામનો કરવા છતાં, કાંબલી સકારાત્મક અને આત્મવિશ્વાસ સાથે રહ્યો અને કહ્યું, "અમે ચેમ્પિયન છીએ." કાંબલીનો સંદેશ આ મુશ્કેલ સમયમાં તેના ભૂતપૂર્વ સાથી ખેલાડીની મદદ અને પ્રોત્સાહન માટે પ્રશંસાથી ભરેલો હતો. વધુ માહિતી માટે વિડિયો જુઓ.

24 December, 2024 09:51 IST | Mumbai
વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

વર્લ્ડ મેડિટેશન ડે: `મેડિટેશન લક્ઝરી નહીં, પણ જરૂરિયાત છે,`

આધ્યાત્મિક લીડર શ્રી શ્રી રવિશંકરે ન્યૂયોર્કમાં સંયુક્ત રાષ્ટ્રના મુખ્યાલયમાં પ્રથમ વખતના વર્લ્ડ મેડિટેશન ડેના ઉદ્ઘાટન સત્રમાં મુખ્ય વક્તવ્ય આપ્યું હતું. તેમના વક્તવ્ય દરમિયાન, તેમણે ભારપૂર્વક જણાવ્યું હતું કે ધ્યાન આજના વિશ્વમાં જરૂરી છે, તેને "માનસિક સ્વચ્છતા" તરીકે વર્ણવે છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે ધ્યાનને લક્ઝરી નહીં પણ જરૂરિયાત તરીકે જોવું જોઈએ. શ્રી શ્રી રવિશંકરે ધ્યાનના અસંખ્ય ફાયદાઓ વિશે પણ ચર્ચા કરી, એમ કહીને કે તે લોકોમાં સંવેદનશીલતા વધારે છે. તેમણે સૂચવ્યું કે ધ્યાન લોકોને અસામાજિક વર્તણૂકોમાં સામેલ થવાથી રોકવા માટે એક શક્તિશાળી સાધન તરીકે કામ કરે છે. “આજે, ધ્યાન એ લક્ઝરી નથી જેવું તે માનવામાં આવતું હતું, પરંતુ તે એક જરૂરિયાત છે. હું તેને માનસિક સ્વચ્છતા કહીશ. જેમ તમે દાંતની સ્વચ્છતા ધરાવો છો, તેમ અમારી પાસે માનસિક સ્વચ્છતા છે જેમાં ધ્યાન આપણને વધુ કેન્દ્રિત અને આક્રમકતા અને હતાશાથી દૂર રહેવામાં મદદ કરી શકે છે. માનસિક સ્વાસ્થ્ય કટોકટીએ આપણી વસ્તી પર મોટો પ્રભાવ પાડ્યો છે. એક તરફ, આપણી યુવા વસ્તી આવા આક્રમક વર્તનમાંથી પસાર થઈ રહી છે. બીજી બાજુ ડિપ્રેશન છે. ધ્યાન આપણને વધુ ફોકસ થવામાં મદદ કરે છે. તે આપણને એક જ સમયે સમજદારી અને સંવેદનશીલતા લાવે છે. કોઈપણ સંસ્કારી સમાજના બે મહત્ત્વના પરિબળો. આપણે આપણી જાત પ્રત્યે, સાથી વ્યક્તિ પ્રત્યે અને પર્યાવરણ પ્રત્યે પણ સંવેદનશીલ બનવાની જરૂર છે. ધ્યાન આપણને આપણા પર્યાવરણ વિશે વધુ સભાન બનાવે છે, અને આપણી આસપાસના લોકોની લાગણીઓ વિશે સભાન બનાવે છે. તે આપણને એવી અસામાજિક પ્રવૃત્તિઓથી દૂર રહેવામાં મદદ કરે છે જે પોતાને અને અન્યને નુકસાન પહોંચાડે છે”, શ્રી શ્રી રવિશંકરે કહ્યું.

21 December, 2024 04:09 IST | New York
ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે હોસ્પિટલની ઘટના માટે કહ્યું “કડક પગલાં..

ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે હોસ્પિટલની ઘટના માટે કહ્યું “કડક પગલાં.."

અમદાવાદમાં ખ્યાતી હોસ્પિટલની ઘટના અંગે 13 નવેમ્બરના રોજ ગુજરાતના આરોગ્ય મંત્રી રૂષિકેશ પટેલે જણાવ્યું હતું કે, "આરોગ્ય વિભાગને જાણ થઈ કે આવી ઘટના બની છે જ્યાં એક મલ્ટી-સ્પેશિયાલિટી હોસ્પિટલે મેડિકલ કેમ્પનું આયોજન કર્યું હતું અને એક ગામના લગભગ 17 દર્દીઓને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. હોસ્પિટલ... આ કેસમાં 2 લોકોના મોત થયા છે અને કેટલાક હજુ પણ હોસ્પિટલની અંદર છે આ સમગ્ર મામલામાં કડક પગલાં લેવામાં આવશે PMJAY... તે માત્ર બેદરકારીનો મામલો નથી, તે જાણી જોઈને કરવામાં આવેલ પ્રયાસ જેવું લાગે છે.

14 November, 2024 02:48 IST | Ahmedabad
Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

Swasthyasan: થાઈરોઇડ માટે તો રામબાણ! અપર બૉડીને પણ બનાવે છે સુડોળ

ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગાસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘બિતીલાસન-મર્જરીઆસન`ના ફાયદા, નુકસાન, કોણ, ક્યારે અને કેવી રીતે કરી શકે તે બધા વિશે...

13 November, 2024 06:00 IST | Mumbai

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK