Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર


A

લેખ

પ્રતીકાત્મક તસવીર સૌજન્ય AI

હેં! અમેરિકા યોજી રહ્યું છે ‘સ્પર્મ રેસ’, લોકો જોવા આવશે અને સટ્ટો પણ લગાવશે

Sperm Race USA: સ્પર્મ રેસિંગ નામના આ સ્ટાર્ટઅપે અમેરિકાના લૉસ ઍન્જલસમાં હૉલિવુડ પેલેડિયમની અંદર આ સૂક્ષ્મ રેસનું આયોજન કર્યું છે. આ રેસ 25 એપ્રિલના રોજ યોજાશે. આ રેસમાં, બે શુક્રાણુઓનો ઉપયોગ કરવામાં આવશે જે જુદા જુદા લોકોના હશે.

17 April, 2025 05:31 IST | Los Angeles | Gujarati Mid-day Online Correspondent
પ્રતીકાત્મક તસવીર

કોઈ પણ પ્રકારના રોગને દૂર કરવા પ્રાણિક ઊર્જા હીલિંગ માટે જરૂરી છે

દુનિયામાં શક્તિશાળી ઉપચાર પદ્ધતિ એટલે આપણી પોતાની જીવ ઊર્જાનો ઉપયોગ. જીવ ઊર્જાનો ઉપયોગ ત્રણ રીતે કરી શકાય. શ્વાસોચ્છ્વાસ દ્વારા, નિદ્રા દ્વારા અથવા આપણા મગજમાં ઉત્પન્ન થતી શક્તિ દ્વારા. શ્વાસોચ્છ્વાસને પ્રાણાયામ કહીને એનો અપભ્રંશ કરવામાં આવ્યો છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

કઈ રીતે કેરી ખાવાથી બ્લડ-શુગર નહીં વધે?

ઉનાળો ગમવાનું એકમાત્ર કારણ હોય તો એ ફળોનો રાજા કેરી છે. આ સીઝનમાં કેરીનો ભરપૂર આસ્વાદ માણવા મળે. કેરી નાનાથી લઈને મોટા બધાને જ પસંદ હોય છે. જોકે ઘણી વાર ડાયાબિટીઝના દરદીઓ કેરી ખાવાને લઈને અવઢવમાં હોય છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

રોઝ વૉટર - ટોનર એક, ફાયદા અનેક

સ્કિનને હેલ્ધી રાખવા માટે યંગ એજથી ટોનર લગાવવાની સલાહ અપાતી હોય છે ત્યારે બેઝિક ટોનરનું કામ કરતા રોઝ વૉટરમાં એવી પ્રૉપર્ટીઝ છે જે ત્વચાને અઢળક ફાયદા આપે છે : કાકડીનું, ગ્રીન ટીનું અને રાઇસ વૉટરનું ટોનર પણ સ્કિન માટે સારું છે અને ઘરે બનાવી શકાય છે.

17 April, 2025 01:53 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

છાશ ક્યારે પીવી, કેવી પીવી અને કેટલી પીવી?

વાનગી કોઈ પણ બને, પણ ભોજન કર્યાની તૃપ્તિ છાશ પીધા બાદ જ મળે છે. ગુજરાતી ઘરોમાં બારેમાસ પીવાતી છાશ ઉનાળામાં શરીર માટે અમૃત સમાન છે એમ કહેવું ખોટું ન કહેવાય. ઉનાળામાં અમૃત સમાન ગણાતી છાશ વિશે જાણી લો બધેબધું

17 April, 2025 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય: AI)

કલિયુગમાં સંભવામિ યુગે યુગે નહીં, સંભવામિ ક્ષણે ક્ષણે થાય એની જરૂર છે

શ્રીમદ ભાગવતના યુવા કથાકાર આશિષ વ્યાસ છેલ્લાં ૧૭ વર્ષથી યુવા પેઢીને સાચો માર્ગ ચીંધવાનું કામ કરી રહ્યા છે.

17 April, 2025 01:52 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક તસવીર

ખાણીપીણીમાં PHD કરો તો ૧૦૦ વર્ષ જિવાય?

ના... ના... અહીં કોઈ ડિગ્રીની ચર્ચા નથી, પ્રાકૃતિક આહારની વાત છે અને એ ડાયટ સિસ્ટમનું નામ છે પ્લૅનેટરી હેલ્થ ડાયટ એટલે કે PHD.

17 April, 2025 01:52 IST | Mumbai | Ruchita Shah
ઇબ્રાહિમ અલી ખાન અને પલક તિવારી

તે બહુ સારી મિત્ર અને બહુ સ્વીટ છે, ધૅટ્સ ઑલ

પલક તિવારી સાથેની રિલેશનશિપ વિશે ઇબ્રાહિમે કરી સ્પષ્ટતા. ઇબ્રાહિમે ઍક્ટિંગની કરીઅરની શરૂઆત કરી એના ઘણા સમય પહેલાંથી ચર્ચા હતી કે તે ઍક્ટ્રેસ શ્વેતા તિવારીની દીકરી પલક તિવારીને ડેટ કરી રહ્યો છે અને બન્ને એકબીજા માટે બહુ સિરિયસ છે.

17 April, 2025 01:06 IST | Mumbai | Gujarati Mid-day Correspondent

ફોટા

ભવન્સ કલ્ચર સેન્ટરના કર્તાહર્તા શ્રી લલિત શાહ અને ગઝલોત્સવનું મંચ

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના `ગઝલોત્સવ`થી મુંબઈ ગઝલમય બન્યું! જુઓ તસવીરો

ભવન્સ કલ્ચરલ સેન્ટર અંધેરીના ઉપક્રમે વર્ષ ૨૦૦૮થી ચાલતી કાવ્યસંપદા શ્રેણી અંતર્ગત ત્રિદિવસીય અભૂતપૂર્વ ગઝલોત્સવ તારીખ ૧૧, ૧૨ અને ૧૩ એપ્રિલે સફળતાપૂર્વક સંપન્ન થયો. ત્રણ દિવસના આયોજનમાં કુલ નવ સત્રના સોળ કલાકમાં ૪૬ કલાકારોએ ભાગ લીધો. આ ગઝલોત્સવ નરેન્દ્રભાઈ પારેખ, ભીખુભાઈ ચિતલિયા, પ્રવીણ મહેતા, જયશ્રી સંઘવી, હિતેન ભાલરિયા તથા અન્ય સહ્રદયી મિત્રોની સહાયથી પાર પડ્યો હતો. આવો, આ ઉત્સવની સ્મૃતિ કરીએ તસવીરોમાં!

17 April, 2025 11:00 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
અરબાઝ અને શુરા ખાન

ફરી પિતા બનવા પર અરબાઝ ખાને કર્યો ખુલાસો, હૉસ્પિટલમાં પત્ની સાથે ગયો હતો ઍક્ટર

અરબાઝ ખાન આ દિવસોમાં ફરી એકવાર પોતાના અંગત જીવનને લઈને ચર્ચામાં આવ્યો છે. તાજેતરમાં, અરબાઝ ખાન અને તેની પત્ની શૂરા ખાનને એક મેટરનિટી ક્લિનિકની બહાર જોવા મળ્યા હતા. એવું માનવામાં આવે છે કે આ કપલ ટૂંક સમયમાં માતા-પિતા બનશે છે. જોકે તેમણે આ બાબતે હવે ખુલાસો કર્યો છે. (તસવીર: સેલેબ્સ સોશિયલ મીડિયા)

17 April, 2025 06:55 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent
સ્વાસ્થ્યાસનના તેતાલીસમા એપિસોડમાં યોગ નિર્દેશક મોના દેસાઈ (તસવીર ડિઝાઈન: કિશોર સોસા)

Swasthyasan: શરીરના પંચ તત્વોને ઍક્ટિવ કરે આ મુદ્રા અને કરવામાં છે એકદમ સિમ્પલ

Swasthyasan: વડીલોના મુખેથી અવારનવાર કહેવાતી `પહેલું સુખ તે જાતે નર્યા` કહેવત ક્યાંક આડે હાથ મૂકાઇ ગઈ હોય એવું નથી લાગતું? આજની બીઝી લાઈફમાં પોતાના સ્વાસ્થ્ય તરફ સેવાતું દુર્લક્ષ આખરે કોઈ ગંભીર બીમારી કે માનસિક તણાવમાં ફેરવાઈ જાય છે. દવાઓના લાંબા પ્રિસ્ક્રીપ્શન પકડાવતા ડૉકટરો સામે રોદણાં રોવા કરતાં અત્યારથી જાગી જઈએ તો, શરીર ને મનમાં ઘર કરી ગયેલી બીમારીનો મૂળથી છેદ ઉડાડી શકાય છે. માત્ર દિવસની પંદર મિનિટ પોતાના સ્વાસ્થ્ય સુખાકારી માટે યોગસન ન કરી શકો? હવે તમને થશે કયું આસન? ક્યારે કરવું ને કેવી રીતે? તો, તમારે કોઈ મોંઘાદાટ એક્સપર્ટને શોધવાના નથી..કે નથી ઉથલાવવાના કોઈ પાનાંઓ. કારણકે, ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે લઈને આવ્યું છે `સ્વાસ્થ્યાસન`ની ખાસ રજુઆત. અહીં અમે તમારી માટે દર સપ્તાહે કોઈ એક યોગસનની તમામ મુદ્રાઓની ટેક્નિક સાથે સરળ શબ્દોમાં વાત કરીશું. જે તમારી સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓનો અંત લાવશે, એ પણ ખિસ્સું ખાલી કરાવ્યાં વગર. આજે આપણે વાત કરીશું ‘પંચમુખ મુદ્રા’ વિશે, પંચમુખ મુદ્રાના ફાયદા, નુકસાન, કોણે, ક્યારે અને કેવી રીતે કરાય તે બધા વિશે. આ તસવીરો સાથે જ તમને ગુજરાતી મિડ-ડેના ઈન્સ્ટાગ્રામ પેજ પર આ આસનની રીલ જોવા મળશે. આ રીલમાં તમે જોઈ શકશો કે કેવી રીતે એક પછી એક સ્ટેપ્સ કરવા. રીલ જોવા માટે અહીં ક્લિક કરો.

16 April, 2025 02:00 IST | Mumbai | Viren Chhaya
સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીર: મિડ-ડે)

લખનઉની સરકારી હૉસ્પિટલની આગના ભયાવહ દ્રશ્યો આવ્યા સામે, 200 જેટલા દર્દીઓ ખસેડાયા

સોમવારે મોડી રાત્રે લખનઉની લોક બંધુ હૉસ્પિટલમાં આગ લાગી હતી, જેના કારણે અધિકારીઓએ તાત્કાલિક કાર્યવાહી શરૂ કરી હતી. આગ ઝડપથી કાબૂમાં લેવામાં આવી હતી. આ દુર્ઘટનામાં એક દર્દીનું મૃત્યુ થયું હતું તો બેને ઈજા થઈ હતી. સારી બાબતે એ છે કે તમામ દર્દીઓને સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 03:39 IST | Lucknow | Gujarati Mid-day Online Correspondent
કેતકી સૈયા, કિચન-એક્સપર્ટ, શીતલ હરસોરા, કિચન-એક્સપર્ટ

ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે, તમે કયા ભરવાના?

રેડીમેડ લોટના જમાનામાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. પરંતુ દર વર્ષે આ ગૃહિણીઓને પ્રશ્ન તો થાય જ છે કે કયા પ્રકારના ઘઉં લેવા? તમારા જાણીતા કરિયાણાવાળાની સલાહથી ઘઉં ખરીદો એ પહેલાં જાણી લઈએ કિચન-એક્સપર્ટ્‍સ પાસેથી ઘઉંની જુદી-જુદી જાતો વિશે, જે તમને કયા ઘઉં લેવા એ નિર્ણયમાં મદદરૂપ થશે ઘઉંની પાતળી ફૂલકા રોટલી વગર કોઈ ગુજરાતી થાળીની કલ્પના કરી શકે ખરા? વિચારો કે પરોઠાં, થેપલાં, ભાખરી, પૂરી, શીરો, લાપસી, ઓરમું, સુખડી જીવનમાં હોત જ નહીં તો આપણું શું થાત? બાળકોને જો બ્રેડ, પાસ્તા, બિસ્કિટ, કેક, પીત્ઝા, પફ-પેસ્ટ્રી ખાવા ન મળે તો તેમનું શું થાય? મિલેટની મહાનતા આપણને બધાને ખબર જ છે પણ ઘઉં આપણા દૈનિક આહારનો એક અતિ મહત્ત્વનો ભાગ છે એ વાત અવગણી શકાય નહીં. ડાયટ કરતા હોઈએ ત્યારે ૧૫-૨૦ દિવસ ઘઉં વગર રહી શકાય, પણ જીવનભર ઘઉંને અવગણવાનો વિચાર જ કેટલો અશક્ય છે. ઘઉંમાં રહેલા ગ્લુટનને ભલે ખૂબ વખોડવામાં આવ્યું હોય પણ હકીકત એ છે કે ઘઉં આપણા દુશ્મન નથી, એ આપણા ખોરાકનું મૂળભૂત ધાન્ય છે. ઘઉં ભરવાની સીઝન આવી ગઈ છે. રેડીમેડ લોટના બદલાતા જતા વિશ્વમાં બને કે ઘણાં મૉડર્ન ઘરોમાં ઘઉં ભરાતા ન હોય, પણ હજી જે ગૃહિણીઓને પોતાના પરિવારની હેલ્થની વધુ કાળજી હોય છે તે આજે પણ મહેનત કરીને ઘઉંને આખું વર્ષ સાચવે છે. ઘરે જ ઘઉં દળે છે અથવા ચક્કીમાં પિસાવે છે. મોટા ભાગે કયા પ્રકારના ઘઉં લેવા એ ગૃહિણીઓ એમના વિશ્વાસુ દુકાનદારો પાસેથી જાણતી હોય છે. વર્ષોનો અનુભવ પણ એમાં કામે લગાડે છે. ઘઉની આટલી બધી જાતોમાં કઈ જાતની શું વિશેષતા હોય અને કયા ખરીદવા સારા એ વિશે આજે માંડીને વાત કરીએ. ઘઉંમાંથી આપણને કાર્બોહાઇડ્રેટ્સ, પ્રોટીન અને ફાઇબર ભરપૂર માત્રામાં મળે છે. એ સિવાય જરૂરી વિટામિન્સ, મિનરલ્સ જેમ કે B કૉમ્પ્લેક્સ, આયર્ન, ઝિન્ક પણ મળે છે. ભારતમાં ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ, પંજાબ, હરિયાણા, રાજસ્થાન, બિહાર અને ગુજરાતમાં ઘઉંનું પ્રોડક્શન મુખ્યત્વે થાય છે. ઘઉંને ભરવાની પરંપરા વિશે વાત કરતાં કિચન-એક્સપર્ટ કેતકી સૈયા કહે છે, ‘આમ તો ભારતમાં ઘઉં જુદી-જુદી સીઝનમાં થતા જ રહે છે પરંતુ આ સમયે એને ભરવાની પરંપરા એટલે છે કારણ કે અત્યારે જે ઘઉં આવે એને રવી પાક કહેવાય. જાન્યુઆરી-ફેબ્રુઆરી મહિના સુધી એ ઊગી જાય અને પછી માર્કેટમાં આવે. રવી પાક તરીકે મળતા ઘઉં ભરવા લાયક ગણાય. ફક્ત ગુજરાતી ઘરોમાં જ નહીં, સમગ્ર ભારતમાં જ્યાં-જ્યાં ઘઉં બારે માસ ખવાય છે ત્યાં-ત્યાં એને માર્ચ, એપ્રિલ અને મે મહિનામાં ભરવામાં આવે છે. ઘઉં ભરવાનું એક મહત્ત્વનું કારણ એ છે કે તાજા ઘઉંની રોટલી ખૂબ સારી બનતી નથી. થોડા ઘઉં ભરી રાખવામાં આવે, થોડા જૂના થાય તો એની રોટલી સારી બને છે. એકદમ તાજા ઘઉં હોય તો એની રોટલી તૂટી જાય, ચીકણી થાય.’

15 April, 2025 02:18 IST | Mumbai | Jigisha Jain
પ્રતીકાત્મક તસવીર

ઘરે જ ફેશ્યલ કરીને મેળવો પાર્લર જેવો ગ્લો

પાર્લરમાં જઈને કેમિકલવાળી પ્રોડક્ટ્સથી ફેશ્યલ ન કરાવવું હોય તો તમે ઘરના રસોડામાં સરળતાથી મળી જતી કેટલીક બેઝિક નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરી શકો છો. સેવન-સ્ટેપ ફેશ્યલ કરીને તમે પાર્લરના ફેશ્યલ જેવો જ ગ્લો મેળવી શકો છો ઘરમાં નૅચરલ સામગ્રીનો ઉપયોગ કરીને ફેશ્યલ કરવાના અનેક ફાયદા છે. એનાથી તમારો ચહેરો ડીપ ક્લીન થાય છે. ત્વચા પરથી ગંદકી, ડેડ સ્કિન હટી જાય છે. ચહેરો કોમળ અને ચમકદાર બને છે. મહિનામાં એક વાર તમે આ રીતે ઘરમાં ફેશ્યલ કરી શકો છો. ઘરે ફેશ્યલ કરવા માટે અહીં જણાવેલાં સાત સ્ટેપ ફૉલો કરવાં જરૂરી છે. જો તમને ત્વચા સંબંધિત કોઈ સમસ્યા હોય કે અહીં જણાવેલાં કોઈ ઇન્ગ્રિડિયન્ટ્સની ઍલર્જી હોય તો ઘરે ફેશ્યલ કરવાનું ટાળો અથવા તો પહેલાં તમારા ડર્મેટોલૉજિસ્ટની સલાહ લઈને પછી જ આગળ વધો.

15 April, 2025 02:00 IST | Mumbai | Gujarati Mid-day Correspondent
કવિ અદમ ટંકારવી

કવિવાર : યાદોનાં પરફ્યુમ્સ ઉડાડતા ગુજરાતી ભાષાના કવિ અદમ ટંકારવી

આજે આપણે મૂળ ભરૂચના ટંકારિયા ગામના કવિની વાત કરવી છે. તમે સમજી જ ગયા હશો કે વાત થઈ રહી છે અદમ ટંકારવીની. મુંબઇની જયહિન્દ કોલેજમાંથી તેઓ સ્નાતક થયા ને પછી બ્રિટિશ કાઉન્સિલની સ્કૉલરશિપથી યુ.કે.ની લેન્કાસ્ટર યુનિવર્સિટીમાંથી ભાષાશાસ્ત્રમાં અનુસ્નાતક પદવી પણ મેળવી. ગુજરાતની અનેક શૈક્ષણિક સંસ્થાઓમાં તેમનું માતબર પ્રદાન રહ્યું છે. બ્રિટનમાં સ્થાયી થયેલા અદમ ટંકારવીએ અનેક ગુજલિશ પ્રયોગો કર્યા, જે ભાષાની મોંઘી જણસ છે. આજે તેમની તેવી જ વૈવિધ્યસભર રચનાઓ માણીશું. ‘ગુજરાતી ભાષા મરી પરવારી છે’ ‘ગુજરાતી ભાષા વેન્ટિલેટર પર છે’ આવા વાક્યો તમે સાંભળ્યા હશે. કદાચ તમે પણ આવું જ વિચારતા હશો. પરંતુ ગુજરાતી ભાષા કેટલાય કવિ-લેખક-પત્રકારોના ખોળે રમી-રમીને ઊછરી છે અને આવી સમૃદ્ધ ભાષા બળાપાનો ભોગ નથી બનતી. આપણે જીવ બાળવાને બદલે ભાષાના વારસાનો દિવો કરી તેનો મનમાં અને હૈયામાં ઉજાસ કરીએ.  ગુજરાતી કવિતાઓનો રસાસ્વાદ આવો જ એક પ્રયાસ છે, જેના થકી આવી મહામૂલી ભાષાની ઉત્તમ રચનાઓ અને તેના સર્જકોને ફરી જીવીએ, ફરી મમળાવીએ. આ કવિતાના શબ્દોની પાંખે બેસી કોઇ નવા બ્રહ્માંડની સફર કરી શકાય એ માટે ગુજરાતી મિડ-ડે ડૉટ કૉમ આપની માટે ગુર્જર ભાષાના જાણીતા કવિઓના જીવન-કવન અને કવિતાઓ લઈને આવ્યું છે આ ‘કવિવાર’માં. આવો સાથે મળી દર બીજા અને ચોથા મંગળવારે ‘કવિવાર’ ઊજવીએ.

15 April, 2025 12:09 IST | Mumbai | Dharmik Parmar
દાદરના ચૈત્યભૂમિ ખાતે સરકાર સહિત વિપક્ષના ઘણા નેતાઓ ભેગા થયા હતા (તસવીરો: મિડ-ડે)

મહારાષ્ટ્રમાં નેતાઓએ મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે ડૉ. આંબેડકરને શ્રદ્ધાંજલિ અર્પણ કરી

મહારાષ્ટ્રના રાજ્યપાલ સીપી રાધાકૃષ્ણન અને મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસે સોમવારે ડૉ બાબાસાહેબ આંબેડકરને તેમની 134મી જન્મજયંતિ પર મુંબઈમાં ચૈત્યભૂમિ ખાતે પુષ્પાંજલિ અર્પણ કરી હતી. (તસવીરો: મિડ-ડે)

15 April, 2025 06:57 IST | Mumbai | Gujarati Mid-day Online Correspondent

વિડિઓઝ

ઇડી દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ બાદ કોંગ્રેસનો વિરોધ

ઇડી દ્વારા રાહુલ અને સોનિયા ગાંધીની પૂછપરછ બાદ કોંગ્રેસનો વિરોધ

કોંગ્રેસના કાર્યકરોએ ૧૬ એપ્રિલે દિલ્હીમાં કોંગ્રેસ કાર્યાલયની બહાર કેન્દ્ર સરકાર સામે વિરોધ પ્રદર્શન કર્યું હતું. નેશનલ હેરાલ્ડ કેસમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી સામે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ દ્વારા ચાર્જશીટ દાખલ કર્યા બાદ આ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. આ દરમિયાન, પાર્ટી રાજ્ય મુખ્યાલય ખાતે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની કચેરીઓ સામે અને સંબંધિત રાજ્યોમાં જિલ્લા સ્તરે કેન્દ્ર સરકારની કચેરીઓ સામે કેન્દ્ર સરકાર સામે રાષ્ટ્રવ્યાપી વિરોધ પ્રદર્શન કરી રહી છે.

17 April, 2025 04:03 IST | New Delhi
રોબર્ટ વાડ્રાન રાજકારણમાં જોડાવાનો સંકેત, ભાજપ પર લક્ષિત રાજકીય પ્રચારનો આરોપ

રોબર્ટ વાડ્રાન રાજકારણમાં જોડાવાનો સંકેત, ભાજપ પર લક્ષિત રાજકીય પ્રચારનો આરોપ

જેમ જેમ ED એ રોબર્ટ વાડ્રાને ત્રીજા દિવસે સમન્સ પાઠવ્યું, ભારતીય ઉદ્યોગપતિ અને કોંગ્રેસના સાંસદ પ્રિયંકા ગાંધીના પતિ રોબર્ટ વાડ્રાએ 17 એપ્રિલે તેને ભાજપનું રાજકીય અભિયાન ગણાવ્યું. તેમણે એમ પણ કહ્યું કે જો તેઓ રાજકારણમાં પ્રવેશ કરશે તો ભાજપ કાં તો વંશવાદની વાત કરશે અથવા EDનો દુરુપયોગ કરશે. "આ ભાજપનો રાજકીય પ્રચાર છે કે સોનિયાજી અને રાહુલ સામે ચાર્જશીટ દાખલ કરવામાં આવી છે, અને મને તે જ દિવસે સમન્સ પાઠવવામાં આવ્યું હતું. તેથી, તેઓ મીડિયા દ્વારા એવું દર્શાવી રહ્યા છે કે અમે કંઈક ખોટું કરી રહ્યા છીએ. જનતા જાણે છે, તેઓ બધું જાણે છે અને સમજે છે. આવી બાબતોનો અર્થ સ્પષ્ટ છે, તે આપણને વધુ મજબૂત બનાવે છે. આનું કોઈ પરિણામ નહીં આવે કારણ કે તેમાં કંઈ નથી. જો તેઓ કંઈક બનાવટી બનાવવા અને કંઈક ખોટું બતાવવા અથવા કરવા માંગતા હોય, તો હું તેને નિયંત્રિત કરી શકીશ નહીં પરંતુ સત્ય એ છે કે તેમની પાસે કંઈ નથી," રોબર્ટ વાડ્રાએ કહ્યું. "ચોક્કસ...જો લોકો ઈચ્છે તો, હું મારા પરિવારના આશીર્વાદથી જોડાઈશ...હું કોંગ્રેસ માટે સખત મહેનત કરીશ...આ (ED સમન્સ) ચાલુ રહેશે કારણ કે અમે આંદોલન કરીએ છીએ, અમે લોકો માટે લડીએ છીએ, અમે અન્યાય સામે છીએ અને અમે લડતા રહીશું. તેથી, આ ચાલુ રહેશે," તેમણે રાજકારણમાં જોડાવા પર ઉમેર્યું. "જો હું રાજકારણમાં પ્રવેશ કરીશ, જે દરેક વ્યક્તિ ઇચ્છે છે, તો તેઓ (ભાજપ) કાં તો રાજવંશની વાત કરશે અથવા EDનો દુરુપયોગ કરશે. આ મુશ્કેલી ત્યારે શરૂ થઈ જ્યારે, થોડા દિવસો પહેલા, મેં સોશિયલ મીડિયા દ્વારા લઘુમતીઓ પરના અત્યાચાર અંગે સંદેશા આપ્યા હતા. આ બીજું કંઈ નથી. જ્યારથી મેં કહ્યું હતું કે લોકો મને રાજકારણમાં પ્રવેશવા માંગે છે, ત્યારથી આ મુશ્કેલી શરૂ થઈ. પરંતુ ED સમન્સનો કોઈ આધાર નથી...," તેમણે ઉમેર્યું.

17 April, 2025 03:58 IST | New Delhi
WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

WB CM મમતા બેનર્જીએ યોગી આદિત્યનાથની ટીકા કરી, તેમને `સબસે બડા ભોગી` કહ્યા

પશ્ચિમ બંગાળ મમતા બેનર્જીએ મુર્શિદાબાદ હિંસા અંગેના તેમના તાજેતરના નિવેદન પર ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ પર આકરા પ્રહારો કર્યા હતા.

17 April, 2025 03:55 IST | Kolkata
WB મુર્શિદાબાદના સ્થાનિકોએ વકફ કાયદાના વિરોધ વચ્ચે હિંસાનો ભયાનક અનુભવ શેર કર્યો

WB મુર્શિદાબાદના સ્થાનિકોએ વકફ કાયદાના વિરોધ વચ્ચે હિંસાનો ભયાનક અનુભવ શેર કર્યો

હિંસા અંગે મુર્શિદાબાદના એક સ્થાનિક ઉજ્જવલ ગુપ્તાએ કહ્યું કે, "અહીં જે પણ થયું છે તે ખોટું છે. વકફ કાયદાનો વિરોધ કરવાના નામે ઘટના બની, લૂંટફાટ થઈ અને હિન્દુઓના ઘરો અને મંદિરોમાં તોડફોડ થઈ. તે ખોટી વાત છે. પરંતુ પરિસ્થિતિ હવે નિયંત્રણમાં છે. આપણે બધા અહીં સાથે રહીએ છીએ, પરંતુ જો કોઈ બહારથી આવે છે અને મુસ્લિમો ઉશ્કેરતા હોય તો આપણે બધા સાથે રહીએ છીએ." મુર્શિદાબાદના અન્ય એક સ્થાનિક, સદાકત અલીએ કહ્યું, "અહીં જે બન્યું તે એકદમ ખોટું છે. કેટલાક લોકો બહારથી આવ્યા અને આ બધું કર્યું. અહીં લોકો શાંતિથી સાથે રહે છે... બહારના લોકોએ હિંદુઓ અને મુસ્લિમોના ઘરોમાં તોડફોડ કરી હતી. તેઓએ મુસ્લિમોની દુકાનો પણ લૂંટી હતી..." હિંસા અંગે અન્ય એક સ્થાનિક ઝુલ્ફીકાર અહેમદે કહ્યું હતું કે, "અમે જે શાંતિપૂર્ણ વિરોધનું આયોજન કર્યું હતું તે કાયદાને સમર્થન આપતા નથી. વક્ફના વિરોધના નામે થતી લૂંટ અને ગુંડાગીરી સારી નથી અમે ઇચ્છીએ છીએ કે આ વિસ્તારમાં શાંતિ અને સ્થિતિ સામાન્ય થાય.

17 April, 2025 03:48 IST | Kolkata
હરિયાણા જમીન કેસમાં ઇડીની તપાસ પહેલા રોબર્ટ વાડ્રાએ શું કહ્યું ?

હરિયાણા જમીન કેસમાં ઇડીની તપાસ પહેલા રોબર્ટ વાડ્રાએ શું કહ્યું ?

હરિયાણા જમીન કેસમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટની પૂછપરછ પહેલા, ઉદ્યોગપતિ રોબર્ટ વાડ્રાએ દાવો કર્યો હતો કે તેમને હરિયાણાના ભૂતપૂર્વ મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટર તરફથી ક્લીન ચિટ મળી છે.

17 April, 2025 03:41 IST | Chandigarh
સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

સુધાંશુ ત્રિવેદીએ નેશનલ હેરાલ્ડ કૌભાંડ માટે કોંગ્રેસ પર પ્રહાર કર્યા

ભાજપના સુધાંશુ ત્રિવેદીએ 15 એપ્રિલે નેશનલ હેરાલ્ડ કૌભાંડ પર રાહુલ અને સોનિયા ગાંધી પર આકરા પ્રહારો કર્યા હતા. એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ નેશનલ હેરાલ્ડ મની લોન્ડરિંગ કેસના સંદર્ભમાં કોંગ્રેસના ટોચના રાહુલ ગાંધી અને સોનિયા ગાંધી સામે ફરિયાદ (ચાર્જશીટ) દાખલ કર્યા પછી આ વાત સામે આવી છે. આ ચાર્જશીટમાં કોંગ્રેસ નેતા સેમ પિત્રોડા, સુમન દુબે અને અન્ય લોકો સહિત અનેક કંપનીઓના નામ પણ છે. આ મામલો 25 એપ્રિલે દિલ્હી રાઉઝ એવન્યુ કોર્ટમાં સંજ્ઞાન પર દલીલો માટે સૂચિબદ્ધ કરવામાં આવ્યો છે.

16 April, 2025 02:45 IST | New Delhi
EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

EAM જયશંકરે 26/11 ના મુંબઈ હુમલા પર પાકિસ્તાન પર પ્રહાર કર્યા

ગુજરાતના આણંદમાં એક સાંજે, વિદેશ મંત્રી ડૉ. એસ. જયશંકરે કહ્યું, "કાશ હું કહી શકું કે પાકિસ્તાન બદલાઈ ગયું છે. તેઓ, કમનસીબે, ઘણી રીતે ખરાબ ટેવો ચાલુ રાખે છે. તેઓ ભારત તરફ ખૂબ જ નકારાત્મક વલણ અપનાવી રહ્યા છે."

16 April, 2025 01:15 IST | Anand

"મારી દુકાનમાં આગ લાગી...", મુર્શિદાબાદ હિંસા પછી પીડિતો `ભયાનક` અનુભવ શેર કર્યો

સમસેરગંજના એક સ્થાનિક દુકાનદાર, મોહમ્મદ ફરહાદે કહ્યું, "મારો જથ્થાબંધ દવાઓનો વ્યવસાય છે. મને ખબર નથી કે મારી દુકાનમાં કોણે તોડફોડ કરી. હું ગઈકાલે અહીં આવ્યો અને જોયું કે મારી દુકાનમાં આગ લાગી હતી, કોઈએ દુકાનનું શટર પણ તોડવાનો પ્રયાસ કર્યો... અમે બધા અહીં ખુશીથી સાથે રહીએ છીએ. આ બહારના કેટલાક લોકોએ કર્યું છે..." સ્થાનિક દુકાનદાર અધીર રવિ દાસે કહ્યું, "મારી દુકાન સંપૂર્ણપણે નુકસાન થયું છે. કંઈ બચ્યું નથી. જો વહીવટ મદદ કરશે, તો અમે દુકાન ખોલી શકીશું નહીંતર કંઈ કરી શકીશું નહીં. દુકાનમાં 6-7 લાખ રૂપિયાનો સામાન હતો, બધું બળી ગયું છે. અમે શાંતિ ઇચ્છીએ છીએ. BSF અહીં હોવાથી પરિસ્થિતિ સામાન્ય છે. જો BSFને અહીંથી દૂર કરવામાં આવે તો શું થશે તે અમને ખબર નથી. અમને BSF જોઈએ છે અહીં કેમ્પ કરો..." એક સ્થાનિક દુકાનદાર હબીબ-ઉર-રહેમાને કહ્યું, "સમસેરગંજમાં પરિસ્થિતિ હવે સામાન્ય છે. વહીવટીતંત્ર અમને અમારી દુકાનો ખોલવા અને શિસ્તબદ્ધ રહેવાનું કહી રહ્યું છે. BSF અને CRPF તૈનાત થયા પછી પરિસ્થિતિ બદલાઈ ગઈ છે..."

15 April, 2025 06:43 IST | Kolkata

This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK