પશુ અધિકારો માટે ચળવળ ચલાવતી સંસ્થા ‘સ્ટ્રીટડૉગ્સબૉમ્બે’એ ઇન્સ્ટાગ્રામમાં આ વિશે માહિતી આપી છે. પોસ્ટમાં કહ્યા પ્રમાણે ઓમકાર જગતાપ નામના માણસે આ કૃત્ય કર્યું છે.
અજબગજબ
માલિકે પાલતુ શ્વાનને ખૂબ માર્યા પછી ઝાડ પર લટકાવી ફાંસી આપી દીધી હતી
પુણેના પિરંગુટ વિસ્તારમાં અમાનવીય અને ઘૃણાસ્પદ ઘટના બની છે. માલિકે પાલતુ શ્વાનને ખૂબ માર્યા પછી ઝાડ પર લટકાવી ફાંસી આપી દીધી હતી. પશુ અધિકારો માટે ચળવળ ચલાવતી સંસ્થા ‘સ્ટ્રીટડૉગ્સબૉમ્બે’એ ઇન્સ્ટાગ્રામમાં આ વિશે માહિતી આપી છે. પોસ્ટમાં કહ્યા પ્રમાણે ઓમકાર જગતાપ નામના માણસે આ કૃત્ય કર્યું છે. ફાઉન્ડેશને કહ્યું હતું કે જગતાપ પરિવારે એને મારી નાખવાની ધમકી આપી હતી એટલે અધિકારીઓને તાત્કાલિક કૂતરાને જગતાપ પરિવાર પાસેથી લઈ જવા કહેવાયું હતું પરંતુ મદદ માટે અધિકારીઓ પહોંચ્યા ત્યારે કૂતરું ઝાડ પર લટકેલું મળી આવ્યું હતું. શિવસેના UBTના નેતા આદિત્ય ઠાકરેએ પણ આ ઘટનાની ટીકા કરી છે અને પુણે પોલીસને ગુનેગારો સામે કડક કાર્યવાહી કરવા અપીલ પણ કરી છે.