Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બંગાળનાં સિંહ અને સિંહણનાં નામ અકબર અને સીતા બદલીને કરવામાં આવ્યાં સૂરજ અને તનયા

બંગાળનાં સિંહ અને સિંહણનાં નામ અકબર અને સીતા બદલીને કરવામાં આવ્યાં સૂરજ અને તનયા

Published : 03 August, 2024 01:54 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

બંગાળની સરકાર દ્વારા કે ઝૂ દ્વારા એ નામ રાખવામાં નહોતાં આવ્યાં

સિંહ અને સિંહણ

લાઇફમસાલા

સિંહ અને સિંહણ


બંગાળનાં સિંહ-સિંહણનાં નામના વિવાદનો આખરે અંત આવ્યો છે. ફેબ્રુઆરીમાં ત્રિપુરાથી સિલિગુડી આવેલા એક ઝૂમાં સિંહ અને સિંહણને લાવવામાં આવ્યાં હતાં. એ સમયે સિંહનું નામ અકબર હતું અને સિંહણનું નામ સીતા હતું આથી વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા એનો વિરોધ કરવામાં આવ્યો હતો. એ માટે તેમણે કોર્ટના દરવાજા ખખડાવ્યા હતા. વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા કહેવામાં આવ્યું હતું કે અકબર તો મુગલ રાજા હતો. સીતા પ્રભુ રામનાં પત્ની હતાં અને હિન્દુ ધર્મમાં તેમને દેવી તરીકે પૂજવામાં આવે છે આથી બન્નેનાં નામ બદલવામાં આવે અને તેમને અલગ–અલગ રાખવામાં આવે એવી વિનંતી કોર્ટમાં કરવામાં આવી હતી. એ માટે કોર્ટે ચુકાદો આપ્યો છે કે બંગાળની સરકાર દ્વારા કે ઝૂ દ્વારા એ નામ રાખવામાં નહોતાં આવ્યાં એથી હવે તેઓ નામ બદલી શકે છે તેમ જ હિન્દુઓની લાગણીઓ દુભાઈ હોવાથી એ નામ બદલવું અનુકૂળ છે. આથી સિંહનું નામ હવે સૂરજ અને સિંહણનું નામ તનયા કરવામાં આવ્યું છે. તનયાનો અર્થ દીકરી થાય છે.


Whatsapp-channel Whatsapp-channel

03 August, 2024 01:54 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK