Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > રેલ-અકસ્માતોની ‘રેલ’ ન નીકળે એટલે બિહારમાં પાટાની પૂજા

રેલ-અકસ્માતોની ‘રેલ’ ન નીકળે એટલે બિહારમાં પાટાની પૂજા

01 August, 2024 11:07 AM IST | Jharkhand
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.

રેલવે ટ્રેક પર પૂજા

અજબગજબ

રેલવે ટ્રેક પર પૂજા


પહેલાં ઝારખંડમાં પછી બિહારમાં ટ્રેન-અકસ્માતો થયા. જૂન અને જુલાઈના બે મહિનામાં જ ટ્રેન-દુર્ઘટનાની ચાર ઘટના બની છે. ઝારખંડમાં જમશેદપુરથી ૮૦ કિલોમીટર દૂર પાટા પરથી ખડી ગયેલી માલગાડી સાથે મુંબઈ-હાવડા મેલ અથડાઈ હતી અને ૧૮ ડબા પાટા પરથી ઊતરી જતાં બે યાત્રીનાં મૃત્યુ થયાં હતાં. એના થોડા દિવસ પહેલાં ગોંડામાં ચંડીગઢ-દિબ્રૂગઢ એક્સપ્રેસ ખડી પડતાં ચાર મુસાફર મૃત્યુ પામ્યા હતા. આ અકસ્માતોની વણઝાર આગળ ન વધે એવી ભાવનાથી બિહારસ્થિત વૈશાલી જિલ્લાના હાજીપરમાં વિચિત્ર પૂજા થઈ ગઈ. રાષ્ટ્રીય જનતા દળના કાર્યકરો એક પૂજારીને રેલવે ટ્રૅક પર લઈ ગયા. પૂજારીએ ત્યાં મંત્રોચ્ચાર કર્યા અને હવે પછી રેલ-અકસ્માતની ‘રેલ’ ન નીકળે એ માટે ભગવાનને પ્રાર્થના કરી. કાર્યકરોના મતે ભગવાન વિશ્વકર્મા અને ભોળાનાથ જ આ ટ્રેન-દુર્ઘટનાઓથી બચાવી શકે એમ છે. જોકે પૂજા કરાવનારા રાજકીય કાર્યકરો હતા એટલે થોડીઘણી શોબાજી તો હોય જ. કાર્યકરોએ હાથમાં પ્રાર્થના લખેલાં પોસ્ટર લઈને સૂત્રો પણ પોકાર્યાં હતાં.


Whatsapp-channel Whatsapp-channel

01 August, 2024 11:07 AM IST | Jharkhand | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK