Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > કબૂતર ઉડાડીને ખાલી મકાન શોધતો, પછી ચોરી કરતો હતો બૅન્ગલોરનો ચોર

કબૂતર ઉડાડીને ખાલી મકાન શોધતો, પછી ચોરી કરતો હતો બૅન્ગલોરનો ચોર

Published : 11 October, 2024 06:06 PM | Modified : 11 October, 2024 06:09 PM | IST | Bengaluru
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નાગરથપેટમાં રહેતા ૩૮ વર્ષના મંજુનાથે શહેરમાં ૫૦ ચોરી કરી હોવાનું પોલીસ માને છે. મંજુનાથની ચોરી કરવાની ટેક્નિક સાંભળીને પોલીસ પણ ચિકત થઈ ગઈ હતી.

 મંજુનાથ

અજબગજબ

મંજુનાથ


બૅન્ગલોર પોલીસે એક ચોરને પકડ્યો છે. નાગરથપેટમાં રહેતા ૩૮ વર્ષના મંજુનાથે શહેરમાં ૫૦ ચોરી કરી હોવાનું પોલીસ માને છે. મંજુનાથની ચોરી કરવાની ટેક્નિક સાંભળીને પોલીસ પણ ચિકત થઈ ગઈ હતી. મંજુનાથ ચોરી કરવા માટે કબૂતર ઉડાડતો હતો. જ્યાં પણ બંધ મકાન દેખાય ત્યાં કબૂતર છૂટાં મૂકી દેતો. પછી કબૂતર કોઈ જગ્યાએ બેસી જાય પછી કબૂતર લેવાના બહાને જતો અને મકાન બંધ હોય તો ચોરી કરી લેતો અને જો કોઈ સામે આવી જાય તો ‘મારાં કબૂતર લેવા આવ્યો છું’ કહીને ત્યાંથી જતો રહેતો. તે બંધ મકાનમાંથી ઘરેણાં અને રોકડની ચોરી કરતો અને થોડા સમય પછી પોતાના વતન હોસુરમાં જઈને વેચી દેતો. મંજુનાથ પહેલાં પણ પકડાઈ ગયો હતો, પણ છૂટ્યા પછી ફરી પાછો ચોરીના રવાડે ચડી ગયો હતો.


Whatsapp-channel Whatsapp-channel

11 October, 2024 06:09 PM IST | Bengaluru | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK