Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાં એટલે મા-બાપે દીકરીની જીવતેજીવ અંતિમક્રિયા કરી નાખી

દીકરીએ પ્રેમલગ્ન કરી લીધાં એટલે મા-બાપે દીકરીની જીવતેજીવ અંતિમક્રિયા કરી નાખી

Published : 19 March, 2025 12:45 PM | Modified : 20 March, 2025 07:05 AM | IST | Kolkata
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સ્વજન ગયા પછી તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું ઊંડું મહત્ત્વ છે, પરંતુ કોઈ જીવિત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું એ તેના પારિવારિક અને સામાજિક બહિષ્કારનું પ્રતીક છે.

માતા-પિતાએ તેમની જીવતી દીકરીનું શ્રાદ્ધ કર્યું

અજબગજબ

માતા-પિતાએ તેમની જીવતી દીકરીનું શ્રાદ્ધ કર્યું


પશ્ચિમ બંગાળના સોનાપુર ગ્રામપંચાયતમાં ગયા શનિવારે એક વિચિત્ર શ્રાદ્ધક્રિયાની વિધિ થઈ હતી જેમાં માતા-પિતાએ તેમની જીવતી દીકરીનું શ્રાદ્ધ કર્યું હતું. કારણ એ હતું કે દીકરીએ તેમની મરજી વિરુદ્ધ ભાગીને પ્રેમલગ્ન કરી લીધાં હતાં. આ વાત પરિવાર અને ગ્રામજનોને મંજૂર નહોતી. દીકરીને ખૂબ સમજાવી છતાં તે પાછી ફરવા તૈયાર નહોતી. ભવિષ્યમાં ગામની બીજી કોઈ દીકરી આવું ન કરે એ માટે દાખલો બેસાડવા પેરન્ટ્સે દીકરીની અંતિમક્રિયા કરવાનું નક્કી કરી લીધું અને એમાં આખું ગામ જોડાયું હતું. મૃત્યુ સમયે જેમ લોકો પોક મૂકીને રડે એમ જ છાજિયા લેવાયા અને દીકરીને અયોગ્ય સંતાન જાહેર કરીને તેને મૃત ઘોષિત કરી દેવામાં આવી. દીકરીનાં લગ્ન તેમને મંજૂર નથી એ દર્શાવવા માટે પ્રતીકાત્મક રીતે તેમણે આ પગલું ભર્યું હતું. સ્વજન ગયા પછી તેમના આત્માની શાંતિ માટે શ્રાદ્ધ કરવાનું ઊંડું મહત્ત્વ છે, પરંતુ કોઈ જીવિત વ્યક્તિનું શ્રાદ્ધ કરવું એ તેના પારિવારિક અને સામાજિક બહિષ્કારનું પ્રતીક છે.


Whatsapp-channel Whatsapp-channel

20 March, 2025 07:05 AM IST | Kolkata | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK