Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > બજેટને કારણે અમરાવતીમાં જમીનની કિંમતમાં થઈ શકે છે ૫૦ ટકાનો વધારો

બજેટને કારણે અમરાવતીમાં જમીનની કિંમતમાં થઈ શકે છે ૫૦ ટકાનો વધારો

27 July, 2024 02:27 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

અમરાવતીને આંધ્ર પ્રદેશનું કૅપિટલ બનાવવા માટે બજેટમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે.

પ્રતીકાત્મક તસવીર

લાઇફમસાલા

પ્રતીકાત્મક તસવીર


બજેટને કારણે આંધ્ર પ્રદેશના અમરાવતીમાં જમીનની કિંમતમાં ૫૦ ટકાનો વધારો આગામી બે મહિનામાં થઈ શકે છે. અમરાવતીને આંધ્ર પ્રદેશનું કૅપિટલ બનાવવા માટે બજેટમાં ૧૫,૦૦૦ કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે. આ બજેટ અમરાવતીને ડેવલપ કરવા માટે છે. બજેટ બાદ એક એકર જમીન જે બેથી ત્રણ કરોડ રૂપિયામાં મળતી હતી એના હવે ડબલ થઈ ગયા છે. કેટલાક વિસ્તારમાં થોડા દિવસમાં જમીનના ભાવ ડબલ થઈ ગયા છે અને બાકીના તમામ વિસ્તારોમાં પણ આવતા બે મહિનામાં જમીનની કિંમતમાં ૫૦ ટકા વધારો થશે એવી ચર્ચા છે. અમરાવતીને ડેવલપ કરવા માટે ૫૦,૦૦૦ કરોડ રૂપિયાની જરૂર છે. આંધ્ર પ્રદેશની સરકારે અત્યાર સુધી ૯૮૦૦ કરોડ ખર્ચી નાખ્યા છે. કેન્દ્ર સરકારે ૧૫,૦૦૦ કરોડ ફાળવ્યા છે, પણ જે પ્રમાણે ભાવ વધી રહ્યા છે એ જોતાં ૫૦,૦૦૦ કરોડ રૂપિયા કરતાં પણ વધુ રૂપિયાની જરૂર પડી શકે છે. આવતાં પાંચ વર્ષમાં અમરાવતીને કૅપિટલ બનાવવાનું પ્લાનિંગ ચાલી રહ્યું છે.


Whatsapp-channel Whatsapp-channel

27 July, 2024 02:27 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK