Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પિટબુલ સહિત જે ૨૩ પ્રજાતિના શ્વાન પાળવા પર ‍પ્રતિબંધ મુકાયેલો એ સર્ક્યુલર પર કર્ણાટકમાં સ્ટે

પિટબુલ સહિત જે ૨૩ પ્રજાતિના શ્વાન પાળવા પર ‍પ્રતિબંધ મુકાયેલો એ સર્ક્યુલર પર કર્ણાટકમાં સ્ટે

22 March, 2024 10:35 AM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્ર સરકારે ૧૨ માર્ચે રાજ્યોને કહ્યું હતું કે શ્વાનના હુમલાથી માણસોનાં મૃત્યુ થયાં હોવાના વધી રહેલા કેસને પગલે ૨૩ પ્રકારના બ્રીડની આયાતને રોકવામાં આવે

પિટબુલની તસવીર

What`s Up!

પિટબુલની તસવીર


કેન્દ્ર સરકારે પિટબુલ સહિતના આશરે ૨૩ જાતના શ્વાનને માનવજીવન માટે ખતરનાક ગણાવીને એને રાખવા તથા એના વેચાણ અને બ્રીડિંગ માટે લાઇસન્સ કે પરવાનગી નહીં આપવા ૧૨ માર્ચે બહાર પાડેલા સર્ક્યુલરને કર્ણાટક હાઈ કોર્ટે સ્ટે આપ્યો છે. કેન્દ્રના સર્ક્યુલરમાં જણાવવામાં આવ્યું હતું કે આવા પેટ ડૉગ્સના બ્રીડની નસબંધી કરી દેવામાં આવે. સર્ક્યુલરના વિરોધમાં ડૉગ બ્રીડર કિંગ સોલોમન ડેવિડે કરેલી પિટિશનની સુનાવણી વખતે જસ્ટિસ એમ. નાગપ્રસન્નાએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારે આ નિર્ણય શા માટે કર્યો એનો આધાર જણાવવો પડશે. જ્યાં સુધી તેઓ દસ્તાવેજ રજૂ કરતા નથી ત્યાં સુધી સ્ટે જારી રહેશે. 


કેન્દ્ર સરકારે ૧૨ માર્ચે રાજ્યોને કહ્યું હતું કે શ્વાનના હુમલાથી માણસોનાં મૃત્યુ થયાં હોવાના વધી રહેલા કેસને પગલે ૨૩ પ્રકારના બ્રીડની આયાતને રોકવામાં આવે, એટલું જ નહીં, આ ખતરનાક શ્વાનના બ્રીડિંગ અને વેચાણ પર પણ રોક લગાવવામાં આવે. આ ૨૩ શ્વાનની જાતમાં રોટવિલર અને પિટબુલનો સમાવેશ છે. કેન્દ્ર સરકારે સ્પષ્ટ કર્યું હતું કે આ શ્વાનોની મિક્સ બ્રીડ અને ક્રૉસ બ્રીડ પર પ્રતિબંધ લગાવવામાં આવે.


Whatsapp-channel Whatsapp-channel

22 March, 2024 10:35 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK