Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ફરીથી તાજમહલ લીલો પડી રહ્યો છે...

ફરીથી તાજમહલ લીલો પડી રહ્યો છે...

02 December, 2023 02:00 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ફરીથી ચમકદાર આરસના પથ્થર પર લીલાશ જામવા માંડી છે અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના  નિષ્ણાતો સફેદીની ચમક જેવા આરસ પર જામતી લીલને દૂર કરવાના નુસખા શોધી રહ્યા છે.

તાજ મહેલ

What`s up!

તાજ મહેલ


દુનિયાની ૭ અજાયબીઓમાંનો એક એવો તાજમહલ ફરી એની ચમક ગુમાવી રહ્યો છે. ફરીથી ચમકદાર આરસના પથ્થર પર લીલાશ જામવા માંડી છે અને આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયાના  નિષ્ણાતો સફેદીની ચમક જેવા આરસ પર જામતી લીલને દૂર કરવાના નુસખા શોધી રહ્યા છે. નિષ્ણાતોએ ગોલ્ડી ચિરોનોમસ નામના ઇન્સેક્ટસ શોધી કાઢ્યાં છે જે માર્બલની સરફેસ પર લીલી ચરક છોડી રહ્યાં છે. પહેલી વાર ૨૦૧૫માં આ જીવાતને આઇડેન્ટિફાય કરવામાં આવી હતી જેનાથી માર્બલ પર ડાર્ક બ્રાઉન કે ગ્રીન ડાઘા પડે છે. દર વખતે આ ડાઘ દૂર કરવાના કામચલાઉ રસ્તા વાપરવામાં આવ્યા છે. તાજના માર્બલને મુલતાની માટીના પૅક લગાવીને સાફ કરવામાં આવે તો ડાઘ નીકળી જાય છે, પરંતુ દર ૬ મહિને ફરીથી એ જ સમસ્યા ઊભી થાય છે. ૨૦૨૦માં આવું નહોતું જોવા મળ્યું, કેમ કે એ વખતે આગરામાં પૉલ્યુશનનું પ્રમાણ ખૂબ ઓછું હતું. યમુના નદીના પ્રદૂષણને પણ તાજમહલની ખૂબસૂરતીમાં વિઘ્ન માનવામાં આવી રહ્યું છે. એએસઆઇના નિષ્ણાત રાજકુમાર પટેલનું કહેવું છે કે જીવાતની લીંડીઓને ડિસ્ટિલ વૉટરથી સાફ કરીને ચોખ્ખા કપડાથી ઘસીને સાફ કરવાથી ડાઘ નીકળી શકે છે.


Whatsapp-channel Whatsapp-channel

02 December, 2023 02:00 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK