Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > પતિ દરરોજ નાહતો નહોતો એટલે પત્ની લગ્ન પછીના ૪૦ દિવસમાં જ પિયર જતી રહી

પતિ દરરોજ નાહતો નહોતો એટલે પત્ની લગ્ન પછીના ૪૦ દિવસમાં જ પિયર જતી રહી

17 September, 2024 02:30 PM IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પતિને રોજ નાહવાનું મન નથી થતું. પત્નીએ નાહ્યા વિના પૂજા કરવાની ના પાડી તો પણ તે માનતો નથી અને પૂજા કરે છે.

પ્રતીકાત્મક તસવીર

અજબગજબ

પ્રતીકાત્મક તસવીર


પત્ની રિસાઈને પિયર જતી રહે એની પાછળ મોટે ભાગે ગૃહક્લેશ, હેરાનગતિ, ત્રાસ વગેરે કારણો હોય છે, પણ આગરામાં એક પત્ની વિચિત્ર કારણ આગળ ધરીને પિયર ચાલી ગઈ છે. પત્નીનું કહેવું છે કે લગ્નને ૪૦ દિવસ થયા છે અને આ ૪૦ દિવસમાં પતિ માત્ર ૬ વાર જ નાહ્યો છે. પોતે ધાર્મિક હોવાથી સવારે નાહીને પૂજાપાઠ કરે છે. પતિ બાથરૂમમાં જાય છે, પણ નાહતો નથી. હાથ-પગ ધોઈને બહાર આવી જાય છે. વાળમાં પાણીવાળો હાથ ફેરવી દે છે અને પછી પૉલિશ કરે છે. પતિને રોજ નાહવાનું મન નથી થતું. પત્નીએ નાહ્યા વિના પૂજા કરવાની ના પાડી તો પણ તે માનતો નથી અને પૂજા કરે છે. ઊલટાનું પતિ કહે છે કે કોઈના કહેવાથી હું બાથરૂમમાં નહીં બેઠો રહું. વાત વણસી અને પત્ની પિયર જતી રહી. પત્નીએ પોલીસને ફરિયાદ કરી છે. હવે પરિવાર સલાહ-કેન્દ્રમાં બન્નેનું કાઉન્સેલિંગ કરશે અને પતિને નાહવાના ફાયદા સમજાવશે.


Whatsapp-channel Whatsapp-channel

17 September, 2024 02:30 PM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK