Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > મંદિરમાં રાખેલી બાલદીમાં હનુમાનજી પ્રગટ થયા

મંદિરમાં રાખેલી બાલદીમાં હનુમાનજી પ્રગટ થયા

Published : 06 July, 2024 01:38 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પૂજારી એ બાલદીનું પાણી ઢોળવા ગયા ત્યારે તેમને એમાં હનુમાનજીની આકૃતિ દેખાઈ

ચમત્કાર

અજબગજબ

ચમત્કાર


ઉત્તર પ્રદેશના આગરા-દેવરી રોડ પર આવેલા હરિકન્ના ગામમાં અંધશ્રદ્ધાનો એક નવો ‘ચમત્કાર’ જોવા મળ્યો છે. તાજેતરમાં આ ગામવાસીઓને બાલદીમાં ભરેલા પાણીની અંદર હનુમાનજીની મૂર્તિ જાતે જ પ્રગટ થયેલી જોવા મળી અને બસ પછી તો એ જોવા માટે ભારે ભીડ ઊમટી પડી હતી. લોકો ઢોલક-મંજીરા લઈને એ બાલદીની ફરતે ભજન-કીર્તન કરવા માંડ્યા. જોકે પાણીમાં આ આકૃતિ કઈ રીતે બની, કોઈએ બનાવી કે એમાં કોઈ ચીજ નાખી છે એની કોઈને ખબર નથી. ગામવાસી સત્યેન્દ્ર ફોજદારના કહેવા મુજબ ગામના હનુમાનજીના મંદિર પરિસરમાં એક બાલદી મુકાયેલી હતી. વરસાદના પાણીથી એ બાલદી ભરાઈ ગઈ. જ્યારે પૂજારી એ બાલદીનું પાણી ઢોળવા ગયા ત્યારે તેમને એમાં હનુમાનજીની આકૃતિ દેખાઈ. આ છબિ જોઈને તેઓ ભાવવિભોર થઈ ગયા. પછી તો ગામના લોકો રામનામના જાપ અને હનુમાન ચાલીસાનું રટણ કરવા માંડ્યા.


Whatsapp-channel Whatsapp-channel

06 July, 2024 01:38 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK