૨૦૧૧-’૧૨માં ૨૧.૨ ટકાનો ગરીબી દર હતો, જે છેલ્લાં દસ વર્ષ બાદ ૨૦૨૨-’૨૪માં ૮.૫ ટકા થયો
પ્રતીકાત્મક તસવીર
ભારતમાં ગરીબી રેખાનો દર છેલ્લાં દસ વર્ષમાં ઘણો ઓછો થયો છે. એક સ્ટડી મુજબ આ ડેટા બહાર આવ્યા છે. નૅશનલ કાઉન્સિલ ઑફ અપ્લાઇડ ઇકૉનૉમિક રિસર્ચ દ્વારા આ સ્ટડી કરવામાં આવ્યો છે. આ સ્ટડી મુજબ ભારતમાં કોરોના વાઇરસને કારણે ઘણી અસર થઈ હોવા છતાં ગરીબી રેખામાં નોંધપાત્ર ઘટાડો થયો હતો. ૨૦૦૪-’૦૫માં ગરીબી રેખા ૩૮.૬ ટકા હતી અને ત્યારથી એમાં ઘટાડો થવાનું શરૂ થયું હતું અને ૨૦૧૧-’૧૨માં એ ૨૧.૨ ટકા સુધી પહોંચી હતી. ભારત માટે એ સારી વાત છે કે આ ઘટાડો સતત થતો રહ્યો હતો અને એ ૨૦૨૨-’૨૪માં ૮.૫ ટકા પર પહોંચી ગયો છે. આ ટકાવારી ભારતની જનસંખ્યાને આધારે પણ છે. ઇકૉનૉમિક ગ્રોથ જ્યારે વધે છે ત્યારે ગરીબી રેખા નીચે જાય છે. આથી જેટલી વધુ તક લોકો માટે ઊભી થતી રહેશે એટલી ગરીબી રેખા નીચે જતી રહેશે.
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-desk-modified.png)
![Join Whatsapp Channel Whatsapp-channel](https://www.gujaratimidday.com/assets/images/whatsapp-mobile.png)