Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > ભગવાનની મૂર્તિ ચોર્યા પછી દીકરો બીમાર પડ્યો એટલે ચોર મૂર્તિ પાછી મૂકી ગયો, માફીપત્ર પણ લખ્યો

ભગવાનની મૂર્તિ ચોર્યા પછી દીકરો બીમાર પડ્યો એટલે ચોર મૂર્તિ પાછી મૂકી ગયો, માફીપત્ર પણ લખ્યો

Published : 04 October, 2024 03:12 PM | Modified : 04 October, 2024 06:52 PM | IST | Uttar Pradesh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ચોરે રાધાકૃષ્ણ મંદિરમાંથી અષ્ટ ધાતુની પ્રતિમાની ચોરી કરી હતી. ચોરે મૂર્તિ ચોરતાં તો ચોરી લીધી, પણ પછી તેને બહુ ખરાબ-ખરાબ સપનાં આવવા માંડ્યાં. તેનો દીકરો માંદો પડી ગયો.

મૂર્તિ અને માફીપત્ર

અજબગજબ

મૂર્તિ અને માફીપત્ર


અગોચર જગતની વાત સામાન્ય માણસ માટે સમજવી બહુ અઘરી હોય છે. પ્રયાગરાજના એક ચોરને પણ અગોચર વિશ્વનો અનુભવ થયો છે. ચોરે રાધાકૃષ્ણ મંદિરમાંથી અષ્ટ ધાતુની પ્રતિમાની ચોરી કરી હતી. ચોરે મૂર્તિ ચોરતાં તો ચોરી લીધી, પણ પછી તેને બહુ ખરાબ-ખરાબ સપનાં આવવા માંડ્યાં. તેનો દીકરો માંદો પડી ગયો. ચોર સંકેત સમજી ગયો અને ભૂલ પણ સમજી ગયો. તેણે મંદિરથી થોડે દૂર હાઇવે પાસે મૂર્તિ મૂકી દીધી અને સાથે માફીપત્ર પણ લખ્યો હતો. ભૂલ કબૂલતાં ચોરે લખ્યું હતું, ‘મહારાજજી પ્રણામ, મારાથી બહુ મોટી ભૂલ થઈ ગઈ હતી. અજ્ઞાનતાને કારણે મેં ગૌ ઘાટ પરથી રાધાકૃષ્ણની મૂર્તિ ચોરી લીધી હતી. પછીથી બહુ ખરાબ સપનાં આવે છે, મારા દીકરાની તબિયત બગડી ગઈ છે. થોડા પૈસા માટે મેં ગંદું કામ કર્યું છે. વેચવા માટે મેં મૂર્તિ સાથે ચેડાં પણ કર્યાં છે. હું ભૂલની ક્ષમા માગીને મૂર્તિ અહીં મૂકું છે. મને માફ કરજો અને ભગવાનને પાછા મંદિરમાં મૂકી દેજો.’ મૂર્તિ પુનઃ સ્થાપિત કરી દેવાઈ છે અને પોલીસે તપાસ શરૂ કરી છે.


Whatsapp-channel Whatsapp-channel

04 October, 2024 06:52 PM IST | Uttar Pradesh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK