Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > ચિત્ર-વિચિત્ર > આર્ટિકલ્સ > માનતા પૂરી થઈ એટલે ઉજ્જૈનના ખેડૂતે દીકરાને ચલણી નોટોથી તોલીને દાન કર્યું

માનતા પૂરી થઈ એટલે ઉજ્જૈનના ખેડૂતે દીકરાને ચલણી નોટોથી તોલીને દાન કર્યું

14 September, 2024 11:23 AM IST | Ujjain
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

ત્રાજવામાં એક તરફ દસ લાખ ૮૩ હજાર રૂપિયાની ચલણી નોટો મુકાઈ ત્યારે તુલા સમતોલ થઈ હતી

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ

અજબગજબ

વાયરલ વીડિયોમાંથી સ્ક્રીન શૉટ


મધ્ય પ્રદેશના ઉજ્જૈન શહેરમાં ચતુર્ભુજ જાટ નામના એક ખેડૂતે પોતાના દીકરાની મનોકામના પૂર્ણ થાય તો તે દીકરાને તેજાજી મહારાજના મંદિરમાં દશમીના અવસરે ચલણી નોટોથી તોલીને એનું દાન કરશે. દીકરાની આ વિધિ કરવા માટે તેણે ઘણા સમયથી ૧૦-૧૦ રૂપિયાની નોટોનું બંડલ એકત્ર કરવાનું શરૂ કરી દીધું હતું. ગઈ કાલે જ્યારે તેની આ માનતા પૂરી થઈ રહી છે એવા સમાચાર ગામમાં ફેલાયા એટલે આ પ્રસંગના સાક્ષી બનવા લોકોની જબરી ભીડ જામી હતી.


ચતુર્ભુજ જાટે ચાર વર્ષ પહેલાં માનતા માની હતી અને હવે તેનો દીકરો ૩૦ વર્ષનો છે. વીર તેજાજી મંદિરમાં ગઈ કાલે તેની તુલાવિધિ થઈ હતી. ત્રાજવામાં એક તરફ દસ લાખ ૮૩ હજાર રૂપિયાની ચલણી નોટો મુકાઈ ત્યારે તુલા સમતોલ થઈ હતી. ખેડૂતે આ રાશિ મંદિરમાં દાન કરી દીધી હતી. 


Whatsapp-channel Whatsapp-channel

14 September, 2024 11:23 AM IST | Ujjain | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK