વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ 23 મેના રોજ પંજાબના પટિયાલામાં જાહેર રેલીનું સંબોધન કર્યું હતું. રેલી દરમિયાન, પીએમ મોદીએ પંજાબમાં કૉંગ્રેસ અને આપ પર આકરા શાબ્દિક પ્રહાર કરતાં કહ્યું કે પંજાબમાં દિલ્હીની `કટ્ટર` ભ્રષ્ટ પાર્ટી અને શીખ રમખાણોના દોષી પક્ષ એકબીજાને વિરુદ્ધ બતાવીને ચૂંટણી લડી રહ્યા છે, પરંતુ હકીકત એ છે કે `પંજો` અને `ઝાડુ` બે પક્ષો છે પરંતુ બંને એક જ દુકાનના છે. તેમણે વધુમાં કહ્યું કે ‘કંઈ પણ નિવેદન આપો, પરંતુ દિલ્હીમાં તેઓ એકબીજાને ખભા પર લઈને નાચી રહ્યા છે`.