કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ રાજસ્થાનના અનુપગઢમાં એક જાહેર સભાને સંબોધિત કરતી વખતે લોકોને દેશમાંથી ગરીબી દૂર કરવાની ખાતરી આપી હતી અને દાવો કર્યો હતો કે `એક ઝટકે સે હમ ગરીબી કો હિન્દુસ્તાનસે મીટા દેંગે.`
"વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરોડપતિઓ અને અબજોપતિઓની લોન માફ કરી દીધી છે, અમે આ દેશના ગરીબોને મદદ કરીએ છીએ. અમે દરેક ગરીબ પરિવારની એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપીશું. જો તમે ગરીબ પરિવારના છો તો અમે તમારા પરિવારની એક મહિલાને વર્ષે એક લાખ રૂપિયા આપીશું અને જ્યાં સુધી તમારો પરિવાર ગરીબી રેખામાંથી બહાર ન આવે ત્યાં સુધી અમે આ કરીશું,” રાહુલ ગાંધીએ કહ્યું.