દિલ્હીના વિન્ટર પૉલ્યુશનના સંદર્ભમાં દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલે રાષ્ટ્રીય રાજધાનીમાં પ્રદૂષણ સામે લડવા માટે 15-પોઇન્ટની વિન્ટર એક્શન પ્લાનની જાહેરાત કરી છે. પ્રેસ કોન્ફરન્સને સંબોધતા કેજરીવાલે કહ્યું હતું કે, “વિન્ટર પોલ્યુશનમાં થતો વધારો અટકાવવા માટે અમે 15-પોઇન્ટનો વિન્ટર એક્શન પ્લાન તૈયાર કર્યો છે.” તેમણે દિલ્હીના લોકોને તેમના મોબાઈલ ફોનમાં ગ્રીન દિલ્હી એપ ઇન્સ્ટોલ કરવા અને શહેરમાં પ્રદૂષણ સંબંધિત ફરિયાદો નોંધવા વિનંતી કરી.