ઉત્તર પ્રદેશના મુખ્ય પ્રધાન યોગી આદિત્યનાથે ઈમરજન્સીની 50મી વર્ષગાંઠ નિમિત્તે કૉંગ્રેસ અને પૂર્વ વડા પ્રધાન ઈન્દિરા ગાંધીની ટીકા કરી હતી. સીએમ યોગીએ બંધારણીય સંસ્થાઓમાં વિશ્વાસના અભાવને ટાંકીને ચહેરા બદલ્યા હોવા છતાં કૉંગ્રેસ પર ડિક્ટેટરશિપ પાત્ર જાળવી રાખવાનો આરોપ લગાવ્યો હઓટ. આદિત્યનાથે 25 જૂન, 1975ના ઐતિહાસિક મહત્ત્વ પર ભાર મૂક્યો હતો, જ્યારે ઈન્દિરા ગાંધીની સરકારે કટોકટી જાહેર કરી હતી, અને તેમણે બંધારણનું ગળું દબાવવાનો આરોપ મૂક્યો હતો. તેમણે ઇમરજન્સીની નિંદા કરતો ઠરાવ પસાર કરવા બદલ લોકસભાના સ્પીકર ઓમ બિરલાની પ્રશંસા કરી હતી. આદિત્યનાથે દાવો કર્યો હતો કે કૉંગ્રેસે 75 વર્ષમાં બંધારણમાં 75 સુધારા કર્યા છે અને તેમના વર્તમાન નેતૃત્વ પર બંધારણીય બાબતો અને અનામત મુદ્દે દેશને ગેરમાર્ગે દોરી રહ્યા છે.