Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શું છે હીટ વેવ જે છીનવે છે લોકોના જીવ, ક્યારે થાય છે જાહેર? કયા રાજ્યો પ્રભાવિત

શું છે હીટ વેવ જે છીનવે છે લોકોના જીવ, ક્યારે થાય છે જાહેર? કયા રાજ્યો પ્રભાવિત

Published : 19 June, 2023 05:57 PM | IST | Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

હીટ વેવ સૌથી વધારે ગરમીના વાતાવરણનો સમય છે જે સામાન્ય રીતે બે અથવા તેનાથી વધારે દિવસ સુધી હોય છે. જ્યારે તાપમાન કોઈપણ આપેલા ક્ષેત્રના સામાન્ય સરેરાશ કરતા વધારે થઈ જાય છે તેને હીટ વેવ કહેવામાં આવે છે.

હીટ વેવ (ફાઈલ તસવીર)

Heat Wave

હીટ વેવ (ફાઈલ તસવીર)


હીટ વેવ (Heat Wave) સૌથી વધારે ગરમીના વાતાવરણનો સમય છે જે સામાન્ય રીતે બે અથવા તેનાથી વધારે દિવસ સુધી હોય છે. જ્યારે તાપમાન કોઈપણ આપેલા ક્ષેત્રના સામાન્ય સરેરાશ કરતા વધારે થઈ જાય છે તેને હીટ વેવ કહેવામાં આવે છે. આ ઘટનાઓ હવામાનમાં દરરોજ ફેરફારનો એક સ્વાભાવિક ભાગ છે.


હાલ દેશના અનેક ભાગ હીટ વેવમાં સંપડાયા છે. આ લૂને કારણે દેશના ત્રણ રાજ્યોમાં અનેક લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. જે રાજ્યોમાં વધારે મૃત્યુ થયા છે, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા સામેલ છે. આ દરમિયાન હીટ વેવના પ્રભાવને જોતા અનેક રાજ્યોએ ઊનાળાની રજાની તારીખોમાં ફેરફાર કર્યા છે.



જીવલેણ બની ચૂકેલી લૂ સામાન્ય જન જીવનને ખરાબ રીતે પ્રભાવિત કરી રહી છે. એવામાં એ જાણવું જરૂરી છે કે હીટ વેવ શું છે? આ ક્યારે જાહેર કરવામાં આવે છે? ભારતમાં હીટ વેવની સમય મર્યાદા શું છે? દેશમાં હીટ વેવથી પ્રભાવિત રાજ્ય કયા છે? હીટ વેવની સ્વાસ્થ્ય પર શું અસર પડે છે? હાલ કેમ ચર્ચામાં છે હીટ વેવ? આની અસર શું થઈ રહી છે? શું આ પહેલા પણ આવી સ્થિતિ પેદા થઈ છે? જાણો અહી..


શું છે હીટ વેવ?
હીટ વેવ એ અત્યંત ગરમ હવામાનનો સમયગાળો છે જે સામાન્ય રીતે બે કે તેથી વધુ દિવસો સુધી ચાલે છે. જ્યારે તાપમાન આપેલ વિસ્તારની સામાન્ય સરેરાશ કરતા વધી જાય છે, ત્યારે તેને હીટ વેવ કહેવામાં આવે છે. ગરમીના મોજા એ હવામાનમાં રોજબરોજના ફેરફારોનો કુદરતી ભાગ છે. જેમ જેમ પૃથ્વીની આબોહવા સતત ગરમ થઈ રહી છે, દિવસો અને રાત સામાન્ય કરતાં વધુ ગરમ થઈ રહ્યા છે અને ગરમીના મોજાની ઘટનાઓ વધી રહી છે. આનાથી મૃત્યુ અને રોગોનું જોખમ વધે છે.

ક્યારે જાહેર કરવામાં આવે છે લૂ?
ભારતીય હવામાન વિજ્ઞાન વિભાગ (IMD)ની વ્યાખ્યા પ્રમાણે, જ્યારે મેદાની વિસ્તારોનું અધિકતમ તાપમાન 40 ડિગ્રી સેલ્સિયસ સુધી અને પહાડી ક્ષેત્રોનું તાપમાન 30 ડિગ્રી સેલ્સિયસ સુધી પહોંચી જાય છે તો લૂ અનુભવાય છે. જો તાપમાન 47 ડિગ્રી સેલ્સિયલ સુધી પહોંચી જાય છે, તો આ જોખમી લૂની શ્રેણીમાં ગણાય છે. તટીય ક્ષેત્રમાં જ્યારે તાપમાન 37 ડિગ્રી સેલ્સિયસ થઈ જાય છે તો લૂ અનુભવાય છે.


ભારતમાં શું છે હીટ વેવની સમય મર્યાદા
આ ખાસ તો માર્ચથી જૂન દરમિયાન અને કેટલાક દુર્લભ કેસમાં જુલાઈમાં પણ થાય છે. ભારતમાં આ ગરમ હવાઓની ચરમસીમાનો મહિનો મે છે.

દેશમાં લૂથી પ્રભાવિત રાજ્ય કયા?
હીટ વેવ સામાન્ય રીતે માર્ચથી જૂન દરમિયાન ઉત્તર પશ્ચિમી ભારત, મધ્ય, પૂર્વ અને ઉત્તર પ્રાયદ્વીપીય ભારતના મેદાની વિસ્તારોમાં હોય છે. આમાં પંજાબ, હરિયાણા, દિલ્હી, ઉત્તર પ્રદેશ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, ઓડિશા, મધ્ય પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત મહારાષ્ટ્ર અને કર્માટકના કેટલાક ભાગ, આંધ્ર પ્રદેશ અને તેલંગણ સામેલ છે. ક્યારેક તે તમિલનાડુ અને કેરળમાં પણ થાય છે. ગરમીના મોજા માનવ અને પ્રાણીઓના જીવન પર પ્રતિકૂળ અસર કરે છે. જો કે, મે મહિનામાં મુખ્યત્વે રાજસ્થાન અને વિદર્ભ પ્રદેશમાં મહત્તમ તાપમાન 45 ડિગ્રી સેલ્સિયસથી ઉપર જોવા મળ્યું હતું.

હીટ વેવની સ્વાસ્થ્ય પર શું થાય છે અસર?
ભારતીય હવામાન વિભાગ (IMD) પ્રમાણે, ગરમીના મોજાની આરોગ્ય અસરોમાં સામાન્ય રીતે ડિહાઇડ્રેશન, ખેંચાણ, હીટસ્ટ્રોક વગેરેનો સમાવેશ થાય છે. 39 °C કરતા ઓછો તાવ, સોજો અને મૂર્છા એ સામાન્ય રીતે આંચકીના લક્ષણો છે. થાક, નબળાઈ, ચક્કર, માથાનો દુખાવો, ઉલટી, સ્નાયુમાં ખેંચાણ અને પરસેવો એ હીટ સ્ટ્રોકના સંકેતો છે. હીટસ્ટ્રોકના લક્ષણોમાં શરીરનું તાપમાન 40 °C અથવા તેથી વધુ, હુમલા અથવા કોમાનો સમાવેશ થાય છે. આ એક જીવલેણ સ્થિતિ માનવામાં આવે છે.

હાલ કેમ ચર્ચામાં છે હીટ વેવ?
અનેક રિપૉર્ટ્સમાં લૂને કારણે દેશના ત્રણ રાજ્યોમાં 100થી વધારે લોકોના મોતનો દાવો કરવામાં આવ્યો છે. જે રાજ્યોમાં આ મોત થયા છે, તેમાં ઉત્તર પ્રદેશ, બિહાર અને ઓડિશા પણ સામેલ છે. બિહારમાં લૂને કારણે 45 અને ઓડિશામાં 20 લોકોના મોતના સમાચાર છે પણ આની અધિકારિક પુષ્ટિ નથી કરવામાં આવી. બલિયાના સરકારી હૉસ્પિટલમાં જ છેલ્લા ત્રણ  દિવસમાં 54 લોકોના મોતના દાવા પર બલિયાના સરકારી હૉસ્પિટલના સીએમઓ ડૉ. એસ કે યાદવે જણાવ્યું કે 15 જૂને હોસ્પિટલમાં 154 દર્દી દાખલ થયા હતા, જેમાંથી 23ના મોત થયા હતા. 16 જૂને 137 લોકો દાખલ થયા, જેમાંથી 20 દર્દીઓના મોત થયા હતા. તો, 17 જૂને 11 દર્દીઓના મોત થયા હતા. જો કે મોતનું કારણ લૂ જ છે એની પુષ્ટિ થઈ નથી. સ્વાસ્થ્ય વિશેષજ્ઞોનું કહેવું છે કે જે લોકોના મોત થયા છે, તે પહેલાથી બીમાર હતા અને ગરમી તેમ જ લૂને કારણે તેમની બીમારી ગંભીર થઈ, જે તેમના મોતનું કારણ બની.

ગરમીના મોજાની અસર શું છે?
ગરમીને જોતા બિહારના ઘણા જિલ્લાઓમાં ધોરણ 12 સુધીની શાળાઓ 24 જૂન સુધી બંધ કરી દેવામાં આવી છે. બિહારમાં હીટવેવે છેલ્લા 11 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો છે. અગાઉ 2012માં 19 દિવસ સુધી સતત હીટવેવ રહી હતી. આ વખતે 20 દિવસથી હીટવેવ ચાલી રહી છે. ગોવા, છત્તીસગઢ, મધ્યપ્રદેશ અને આંધ્રપ્રદેશમાં પણ આકરી ગરમીને જોતા ઉનાળુ વેકેશન લંબાવવામાં આવ્યું છે.

શું પહેલા પણ પેદા થઈ ચૂકી છે આવી સ્થિતિ?
ભારતમાં અલગ-અલગ મહિનાઓ દરમિયાન પારામાં થયેલા વધારાએ વર્ષોના કેટલાય રેકોર્ડ તોડ્યા છે. 2016, 2009, 2017, 2010 અને 2022 ભારતમાં છેલ્લા પંદર વર્ષમાં રેકોર્ડ પરના પાંચ સૌથી ગરમ વર્ષ હતા. IMDએ જણાવ્યું હતું કે 15માંથી 11 સૌથી ગરમ વર્ષો 2008 અને 2022 વચ્ચે નોંધાયા હતા. 2010 થી અત્યાર સુધીમાં અંદાજિત 6,500 લોકો ગરમી સંબંધિત બિમારીઓથી મૃત્યુ પામ્યા છે. IMD અનુસાર, 2023માં 1901 પછી સૌથી ગરમ ફેબ્રુઆરી જોવા મળ્યો હતો અને મહત્તમ તાપમાન 29.5 ડિગ્રી સેલ્સિયસ હતું.

2021માં પ્રકાશિત એક શોધમાં કહેવામાં આવ્યું હતું કે 1971-2019 સુધી દેશમાં હીટ વેવની 706 ઘટનાઓ ઘટી. આ પ્રમાણે, હીટવેવને ભારતમાં 50 વર્ષોમાં 17000થી વધારે લોકોના જીવ લઈ લીધા.

Whatsapp-channel Whatsapp-channel

19 June, 2023 05:57 PM IST | Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK