નરેન્દ્ર મોદી સરકારના બજેટ 2024માં બિહારને જુદી જુદી યોજનાઓ હેઠળ 58900 કરોડ રૂપિયાનું ફન્ડ આપવાની જોગવાઈ કરવામાં આવી છે. રાજ્યમાં ત્રણ એક્સપ્રેસવે અને એક પાવર પ્લાન્ટ બનાવાની જાહેરાત કરવામાં આવી છે.
નિર્મલા સીતારમણ
કી હાઇલાઇટ્સ
- યુનિયન બજેટ 2024માં બિહારને મળી ભેટ સોગાદો
- 3 એક્સપ્રેસવે, એક પાવર પ્લાન્ટ અને 58900 કરોડનું એલાન
- નિર્મલા સીતારમણે બિહારને આપી હજાર કરોડોની ભેટ
Union Budget 2024: કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારના ત્રીજા કાર્યકાળના પહેલા બજેટમાં બિહારને જુદી જુદી યોજનાઓ હેઠળ 58900 કરોડ રૂપિયા આપવાની જોગવાઈ કરવામાં આવી છે. આમાંથી 26 હજાર કરોડ રૂપિયાનું ફન્ડ બિહારની અંદરના રસ્તાઓ માટે ખર્ચ કરવામાં આવશે. રાજ્યમાં ત્રણ એક્સપ્રેસવે પણ બનાવવામાં આવશે. નાણામંત્રી નિર્મલા સીતારમણે બજેટ ભાષણમાં મંગળવારે આની જાહેરાત કરી. આ સિવાય પૂર નિયંત્રણ યોજના માટે 11500 કરોડ રૂપિયા અને પાવર પ્લાન્ટ માટે 21400 કરોડ રૂપિયાન જોગવાઈ કરવામાં આવી છે. આ સિવાય નાણામંત્રીએ બિહારમાં અનેક ઍરપૉર્ટ, મેડિકલ કૉલેજ, સ્ટેડિયમ, ઔદ્યોગિક હબ, મહાબોધિ કૉરિડોર, નાલંદા અને રાજગીરમાં પર્યટન સુવિધાના વિકાસની ઘોષણાઓ પણ કરી. આના પર ખર્ચવામાં આવેલી રકમ ઉપરોક્ત ભંડોળમાં શામેલ નથી.
નિર્મલા સીતારમણે તેમના બજેટ ભાષણમાં જાહેરાત કરી હતી કે પટનાથી પૂર્ણિયા, બક્સરથી ભાગલપુર અને બોધગયાથી રાજગીર, વૈશાલીથી દરભંગા સુધી ત્રણ એક્સપ્રેસ વે બનાવવામાં આવશે. બક્સરમાં ગંગા નદી પર બે લેનનો પુલ બનાવવામાં આવશે. બિહારમાં પૂરની સમસ્યાને લઈને ભારત સરકાર નેપાળ સાથે પણ વાત કરશે અને તેનો ઉકેલ શોધશે. ગયાના વિષ્ણુપદ મંદિર અને બોધ ગયાના મહાબોધિ મંદિરમાં કાશી વિશ્વનાથની તર્જ પર કોરિડોર બનાવીને ધાર્મિક પ્રવાસનનો વિકાસ કરવામાં આવશે. કેન્દ્ર સરકાર નાલંદા અને રાજગીરને પ્રવાસન સ્થળો તરીકે વિકસાવવા માટે પણ મદદ કરશે. તેમણે કહ્યું કે કેન્દ્ર સરકાર અમૃતસર-કોલકાતા ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બિહારના ગયામાં ઔદ્યોગિક વિકાસને પ્રોત્સાહન આપશે. આનાથી પૂર્વ વિસ્તારમાં વિકાસને વેગ મળશે.
ADVERTISEMENT
Union Budget 2024 રજૂ કરતી વખતે નાણામંત્રીએ કહ્યું કે કેન્દ્ર સરકાર બિહારમાં ઘણા એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રાસ્ટ્રક્ચરની સ્થાપના કરશે. જો કે, નવા એરપોર્ટ અને મેડિકલ કોલેજ ક્યાં બનશે તેનો કોઈ ઉલ્લેખ નહોતો. પીરપેઈન્ટીમાં 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનાવવામાં આવશે, જેના માટે 21400 કરોડ રૂપિયાની જોગવાઈ કરવામાં આવી છે. બિહારને મૂડી રોકાણ દ્વારા વધારાનું ભંડોળ આપવામાં આવશે. મલ્ટી ઇન્વેસ્ટમેન્ટ બેંક દ્વારા બિહારને મદદ ઝડપી કરવામાં આવશે. બજેટ ભાષણ હજુ ચાલુ છે, તેથી બિહાર માટે વધુ જાહેરાતો થઈ શકે છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણના બજેટ ભાષણમાં બિહારને શું મળ્યું તેના પર નાખો એક નજર
- બિહારમાં રોડ પ્રોજેક્ટ માટે કેન્દ્રીય બજેટમાં 26 હજાર કરોડ રૂપિયાની જોગવાઈ
- પટનાથી પૂર્ણિયા અને બક્સરથી ભાગલપુર વચ્ચે એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- બોધગયાથી દરભંગા વાયા રાજગીર, વૈશાલી એક્સપ્રેસ વે બનાવવામાં આવશે.
- બક્સરમાં ગંગા નદી પર બે લેન પુલનું નિર્માણ.
- ગયામાં ઈન્ડસ્ટ્રીયલ હબનો વિકાસ થશે
- બિહારમાં પૂરની સમસ્યાને લઈને ભારત સરકાર નેપાળ સાથે વાત કરશે
- પૂર નિયંત્રણ માટે કેન્દ્રીય બજેટમાં 11500 કરોડ રૂપિયાનું ફંડ
- બોધગયામાં મહાબોધિ કોરિડોર વિકસાવવામાં આવશે
- નાલંદા, રાજગીરમાં પ્રવાસન સુવિધાઓ વિકસાવવામાં આવશે
- બિહારમાં અનેક એરપોર્ટ બનાવવામાં આવશે, મેડિકલ કોલેજ અને સ્ટેડિયમ પણ બનાવવામાં આવશે.
- ભાગલપુરના પીરપેન્ટીમાં 2400 મેગાવોટનો પાવર પ્લાન્ટ બનશે.
- ઉર્જા ક્ષેત્રના વિકાસ માટે બિહારને 21400 કરોડ રૂપિયાની ભેટ
- બિહારને ઇન્વેસ્ટમેન્ટ બેંક માટે વધારાનું ફંડ આપવામાં આવશે
તમને જણાવી દઈએ કે ભાજપના સહયોગી મુખ્યમંત્રી નીતિશ કુમારની પાર્ટી જનતા દળ યુનાઈટેડ (JDU) સતત બિહારને વિશેષ રાજ્યનો દરજ્જો આપવાની માંગ કરી રહી હતી. પરંતુ એક દિવસ પહેલા જ જેડીયુને જવાબ આપતાં કેન્દ્ર સરકારે કહ્યું હતું કે હાલમાં બિહારને વિશેષ દરજ્જો આપવાની કોઈ યોજના નથી. વિશેષ દરજ્જો નકાર્યા બાદ બિહારના લોકોને આશા છે કે બિહાર માટે વિશેષ પેકેજની જાહેરાત કરવામાં આવે. નાણાપ્રધાન નિર્મલા સીતારમણે બિહારને વિવિધ પ્રોજેક્ટ હેઠળ જંગી ભંડોળ આપવાની જાહેરાત કરી છે.