Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ૮૦ લાખ ડ્રાઇવરો બેકાર થશે, હું ડ્રાઇવરલેસ કારને મંજૂરી નહીં આપું

૮૦ લાખ ડ્રાઇવરો બેકાર થશે, હું ડ્રાઇવરલેસ કારને મંજૂરી નહીં આપું

11 July, 2024 07:16 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

નીતિન ગડકરીની ચોખ્ખી વાત

નીતિન ગડકરી

નીતિન ગડકરી


કેન્દ્રીય રોડ ટ્રાન્સપોર્ટ અને હાઇવેઝના પ્રધાન નીતિન ગડકરીએ ભારતમાં ડ્રાઇવરલેસ કારનો વિરોધ કર્યો છે. તેમણે એક કાર્યક્રમમાં કહ્યું હતું કે હું ભારતમાં ડ્રાઇવર વિનાની કારને ક્યારેય મંજૂરી નહીં આપું, કારણ કે એ ઘણા ડ્રાઇવરોની નોકરી છીનવી લેશે અને એ હું કદી થવા નહીં દઉં. ભારતમાં આશરે ૮૦ લાખ ડ્રાઇવરો છે અને ડ્રાઇવરલેસ કાર આવે તો તેઓ બેકાર થવાની શક્યતા છે.
વડા પ્રધાન નરેન્દ્ર મોદી ડ્રાઇવરલેસ કાર બનાવતા ટેસ્લાના માલિક ઇલૉન મસ્કને ભારત આવવા માટે આમંત્રણ આપી રહ્યા છે એવા સમયે ગડકરીએ હિંમતભેર આ વાત કરી છે. ગડકરીએ કહ્યું હતું કે ભારતમાં ટેસ્લાનું સ્વાગત છે, પણ ભારતમાં ટેસ્લા કારનું વેચાણ કરવા માટે ચીનમાં ઉત્પાદન કરવાની વાત મને મંજૂર નથી, એ અશક્ય છે.


 



 


Whatsapp-channel Whatsapp-channel

11 July, 2024 07:16 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK