Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > ભવિષ્યમાં આવું ન થવું જોઈએ: ખેડૂતોના આંદોલન અંગેના નિવેદન પર કંગના રનૌતને પાર્ટીની સલાહ

ભવિષ્યમાં આવું ન થવું જોઈએ: ખેડૂતોના આંદોલન અંગેના નિવેદન પર કંગના રનૌતને પાર્ટીની સલાહ

26 August, 2024 06:31 PM IST | New Delhi
Gujarati Mid-day Online Correspondent | gmddigital@mid-day.com

ભારતીય જનતા પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી."

કંગના રનૌતની ફાઇલ તસવીર

કંગના રનૌતની ફાઇલ તસવીર


ભાજપે ખેડૂતોના આંદોલન પર કંગના રનૌત (Kangana Ranaut)ના નિવેદનથી દૂરી બનાવી છે. એટલું જ નહીં, બીજેપીએ તેમને ભવિષ્યમાં આવા નિવેદન ન કરવાની સલાહ આપી છે. પાર્ટીએ આ સંદર્ભમાં એક નિવેદન જાહેર કરીને કહ્યું છે કે કંગના રનૌતને ન તો નીતિ વિષયક બાબતો પર બોલવાની મંજૂરી છે અને ન તો તે નિવેદન આપવા માટે અધિકૃત છે. પાર્ટીએ એક નિવેદન જાહેર કરીને કહ્યું કે, “ભાજપ સાંસદ કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનના સંદર્ભમાં આપવામાં આવેલ નિવેદન પાર્ટીનો અભિપ્રાય નથી. કંગના રનૌતના નિવેદનથી ભાજપે અસહમતિ વ્યક્ત કરી છે. કંગના રનૌતને ન તો પાર્ટી વતી બીજેપીના નીતિ વિષયક મુદ્દાઓ પર બોલવાની મંજૂરી છે અને ન તો તે નિવેદનો આપવા માટે અધિકૃત છે.”


તેમણે કહ્યું કે, “ભાજપ દ્વારા કંગના રનૌત (Kangana Ranaut)ને ભવિષ્યમાં આવું કોઈ નિવેદન ન આપવાનો નિર્દેશ આપવામાં આવ્યો છે. ભારતીય જનતા પાર્ટી (Bharatiya Janata Party) `સબકા સાથ, સબકા વિકાસ, સબકા વિશ્વાસ અને સબકા પ્રયાસ` અને સામાજિક સમરસતાના સિદ્ધાંતોને અનુસરવા કટિબદ્ધ છે.” આ રીતે, પાર્ટીએ કંગના રનૌતના નિવેદનથી પોતાને દૂર રાખ્યા છે, જેમાં તેમણે કહ્યું હતું કે ખેડૂતોના આંદોલન દરમિયાન પંજાબને બાંગ્લાદેશ બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, પરંતુ સરકારની સતર્કતાને કારણે આવું બન્યું ન હતું.



કંગના રનૌતના નિવેદન (Kangana Ranaut)ને લઈને ઘણો વિવાદ થયો હતો. આ પહેલાં પણ ખેડૂતોના આંદોલન દરમિયાન તેમણે આવી ઘણી ટિપ્પણીઓ કરી હતી, જેના કારણે તેમના વિરુદ્ધ ગુસ્સો ભડકી ગયો હતો. આટલું જ નહીં ચંદીગઢ એરપોર્ટ પર કુલવિંદર કૌર નામના સીઆઈએસએફ જવાન પર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે, તેની માતા પણ ખેડૂતોના આંદોલનમાં સામેલ હતી અને કંગનાએ વિરોધ કરી રહેલી મહિલાઓ વિશે કહ્યું હતું કે તેઓ દરેક 100 રૂપિયા માટે આવી હતી.


કંગના રનૌતે શું કહ્યું, જેના પર આવી પાર્ટીની સલાહ?

કંગના રનૌતે કહ્યું હતું કે, “પંજાબમાં ખેડૂતોના આંદોલનના નામે બદમાશો હિંસા ફેલાવી રહ્યા છે. ત્યાં બળાત્કાર અને હત્યાઓ થતી હતી. કેન્દ્ર સરકારે ખેડૂત બિલ પાછું ખેંચ્યું નહીંતર આ બદમાશોની બહુ લાંબી યોજના હતી. તેઓ દેશમાં કંઈપણ કરી શકે છે.” બીજેપી સાંસદ અને બોલિવૂડ અભિનેત્રી કંગના રનૌત દ્વારા ખેડૂતોના આંદોલનને લઈને આપવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદન પર પંજાબ કૉંગ્રેસના પૂર્વ મંત્રી રાજકુમાર વેરકાએ માગ કરી છે કે કંગના રનૌતને રાષ્ટ્રીય સુરક્ષા કાયદા હેઠળ રાખવામાં આવે અને તેને આસામની ડિબ્રુગઢ જેલમાં મોકલવામાં આવે. તેમણે કહ્યું કે, “કંગના રનૌત દરરોજ પંજાબના નેતાઓ સામે ઝેર ઓકે છે.”


Whatsapp-channel Whatsapp-channel

26 August, 2024 06:31 PM IST | New Delhi | Gujarati Mid-day Online Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK