Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લહેરાયો તિરંગો

પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરમાં લહેરાયો તિરંગો

12 May, 2024 09:47 AM IST | Jammu and Kashmir
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સંપૂર્ણ આઝાદી અથવા ભારત સાથે જોડી દેવાની માગણી

રાવલકોટ

રાવલકોટ


પાકિસ્તાને પચાવી પાડેલા કાશ્મીરના રાવલકોટમાં ભારતીય તિરંગો લહેરાવવામાં આવ્યો હોવાનું જાણવા મળે છે. આ સિવાય ભારતતરફી સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યો હતો. આ પ્રદેશના લોકોની માગણી છે કે જો પાકિસ્તાન સરકાર અમને સંભાળી ન શકતી હોય તો અમને સંપૂર્ણ આઝાદી આપવી જોઈએ અથવા અમને ભારત સાથે જોડી દેવા જોઈએ. ભારત અમને પૂર્ણ રીતે સ્વીકારવા તૈયાર છે.


આ વિસ્તારમાં રહેતા લોકો મોંઘવારીથી ત્રસ્ત છે, તેમના પર વધારે ટૅક્સ લગાવવામાં આવે છે અને અપૂરતા વીજળીપુરવઠાને કારણે લોકો વિરોધ-પ્રદર્શનો કરી રહ્યા છે અને હવે આ વિરોધ-પ્રદર્શનોએ હિંસક રૂપ લીધું છે. લોકોનું કહેવું છે કે પાકિસ્તાનમાં જે વીજળીનું ઉત્પાદન થાય છે એ અમારા પ્રદેશમાં બાંધવામાં આવેલા ડૅમમાંથી મળે છે. પહેલાં ૨૪ કલાક વીજળી મળતી હતી, પણ હવે માત્ર બે કલાક મળે છે. વીજળી પરની સબસીડી પણ ખતમ કરી દેવામાં આવી છે.



આ પ્રદેશમાં રોજ માત્ર બે કલાક જ વીજળીપુરવઠો પૂરો પાડવામાં આવે છે, જ્યારે લોકોની માગણી છે કે દિવસમાં કમસે કમ ૬ કલાક વીજળીપુરવઠો પૂરો પાડવો જોઈએ. દેખાવો કરતા લોકોએ પાકિસ્તાની દળોના ઘણા જવાનોની પિટાઈ કરી છે એટલે તેમણે લોકોની ભીડને હટાવવા બળ-પ્રયોગ કર્યો હતો. પાકિસ્તાને આરોપ લગાવ્યો છે કે આ પ્રદેશમાં લોકોમાં રોષ ફેલાવવાનું કામ ભારતની ગુપ્તચર એજન્સી રિસર્ચ ઍન્ડ ઍનૅલિસિસ વિંગ (RAW) દ્વારા કરવામાં આવ્યું છે. ભારત સરકાર પાકિસ્તાનને તોડવાનું ષડ્યંત્ર ઘડી રહી છે.


Whatsapp-channel Whatsapp-channel

12 May, 2024 09:47 AM IST | Jammu and Kashmir | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK