Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અયોધ્યાની બળાત્કાર-પીડિત કિશોરીના ગર્ભપાત માટે પરિવાર સંમત

અયોધ્યાની બળાત્કાર-પીડિત કિશોરીના ગર્ભપાત માટે પરિવાર સંમત

09 August, 2024 07:23 AM IST | Ayodhya
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેસની જડ સુધી પહોંચવા માટે અયોધ્યા પોલીસ ભ્રૂણની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવવાનું વિચારી રહી છે.

પ્રતીકાત્મક તસવીર

પ્રતીકાત્મક તસવીર


અયોધ્યામાં સામૂહિક બળાત્કારને કારણે સગર્ભા બનેલી ૧૨ વર્ષની કિશોરીનો પરિવાર ગર્ભપાત કરાવવા તૈયાર થયો છે. જોકે લખનઉમાં તેની સારવાર કરી રહેલા ડૉક્ટરોના મતે પીડિતાનો મેડિકલ રિપોર્ટ જોયા પછી જ ગર્ભપાતનો નિર્ણય લેવામાં આવશે. બીજી તરફ કેસની જડ સુધી પહોંચવા માટે અયોધ્યા પોલીસ ભ્રૂણની ડીઑક્સિરિબૉ ન્યુક્લેઇક ઍસિડ (DNA) ટેસ્ટ કરાવવાનું વિચારી રહી છે.


અયોધ્યાની આ ઘટના વિશે ખાસ્સો રાજકીય વિવાદ ચાલી રહ્યો છે. અયોધ્યામાં સમાજવાદી પાર્ટીના સ્થાનિક નેતા મોઇદ ખાનની બેકરી છે ત્યાં પીડિત કિશોરી કામ કરતી હતી. મોઇદ ખાન અને તેના કર્મચારીએ બળાત્કાર કરતાં કિશોરી સગર્ભા થઈ હતી. આ ઘટનાનો વિડિયો પણ બનાવવામાં આવ્યો હતો. ૨૯ જુલાઈએ ફરિયાદ નોંધાતાં પોલીસે ૩૦મીએ બળાત્કારીઓની ધરપકડ કરી હતી. અયોધ્યાના મુખ્ય આરોગ્ય અધિકારીએ કહ્યું કે ‘કિશોરીના પરિવારે ગર્ભપાત માટે મંજૂરી આપી દીધી છે અને હવે તેની સારવાર કરી રહેલા તબીબો ગર્ભપાત માટેનાં આગામી પગલાં લેશે.’


Whatsapp-channel Whatsapp-channel

09 August, 2024 07:23 AM IST | Ayodhya | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK