Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > અદાલતે કુમાર વિશ્વાસ અને બગ્ગાની વિરુદ્ધના કેસ રદ કર્યા

અદાલતે કુમાર વિશ્વાસ અને બગ્ગાની વિરુદ્ધના કેસ રદ કર્યા

Published : 13 October, 2022 09:09 AM | IST | Chandigarh
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસ અને બીજેપીના તજિન્દર પાલ સિંહ બગ્ગાની વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા બે અલગ-અલગ એફઆઇઆરને ગઈ કાલે રદ કર્યા હતા.

કુમાર વિશ્વાસ

Kumar Vishwas

કુમાર વિશ્વાસ



ચંડીગઢઃ પંજાબ અને હરિયાણા હાઈ કોર્ટે આમ આદમી પાર્ટીના ભૂતપૂર્વ નેતા કુમાર વિશ્વાસ અને બીજેપીના તજિન્દર પાલ સિંહ બગ્ગાની વિરુદ્ધ પંજાબ પોલીસ દ્વારા દાખલ કરવામાં આવેલા બે અલગ-અલગ એફઆઇઆરને ગઈ કાલે રદ કર્યા હતા. આમ આદમી પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલની વિરુદ્ધ સ્ટેટમેન્ટ્સ આપવા બદલ કુમાર અને બગ્ગાની વિરુદ્ધ આ એફઆઇઆર દાખલ કરવામાં આવ્યો હતો. જસ્ટિસ અનૂપ ચિતકારાએ કહ્યું હતું કે વિશ્વાસના કેસમાં અદાલત હસ્તક્ષેપ ન કરે તો અન્યાય થાય, જ્યારે બગ્ગાની સામે અપરાધિક કાર્યવાહી સતત ચાલુ રાખવામાં આવે તો એ ન્યાયની પ્રક્રિયાનો દુરુપયોગ થાય. કેજરીવાલની વિરુદ્ધ ‘જ્વલનશીલ સ્ટેટમેન્ટ્સ’ બદલ પંજાબમાં રૂપનગર પોલીસ દ્વારા વિશ્વાસની વિરુદ્ધ કેસ દાખલ કરવામાં આવ્યો હતો, જ્યારે ‘કશ્મીર ફાઇલ્સ’ ફિલ્મ વિશે કેજરીવાલના નિવેદન બદલ તેમના નિવાસસ્થાનની બહાર વિરોધ-પ્રદર્શનના પગલે ઉશ્કેરણીજનક નિવેદન કરવા બદલ બગ્ગાની વિરુદ્ધ કેસ કરવામાં આવ્યો હતો.  


Whatsapp-channel Whatsapp-channel

13 October, 2022 09:09 AM IST | Chandigarh | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK
News Hub