Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી હતા : નરેન્દ્ર મોદી

જમ્મુ અને કાશ્મીરના લોકોને વિશ્વાસમાં લેવા જરૂરી હતા : નરેન્દ્ર મોદી

06 August, 2024 09:02 AM IST | Srinagar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આર્ટિકલ 370 નાબૂદ થયો એને પાંચ વર્ષ થયાં

ગઈ કાલે શ્રીનગરમાં આર્ટિકલ 370 નાબૂદ થયાની પાંચમી ઍનિવર્સરી ઊજવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો

ગઈ કાલે શ્રીનગરમાં આર્ટિકલ 370 નાબૂદ થયાની પાંચમી ઍનિવર્સરી ઊજવતા ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો


નૉન-પ્રૉફિટ સંસ્થા બ્લુક્રાફ્ટ ડિજિટલ ફાઉન્ડેશન દ્વારા રિસર્ચ બાદ લખાયેલા અને પેન્ગ્વિન એન્ટરપ્રાઇઝ દ્વારા પ્રકાશિત ‘370 : અનડૂઇંગ ધ અનજસ્ટ, અ ન્યુ ફ્યુચર ફૉર જમ્મુ અને કાશ્મીર’ નામના પુસ્તકની પ્રસ્તાવના નરેન્દ્ર મોદીએ લખી છે જેમાં તેમણે એમ જણાવ્યું હતું કે અમે ઇચ્છતા હતા કે જ્યારે પણ આ નિર્ણય લેવાય ત્યારે એ લોકો પર લાદવાના બદલે લોકોની સંમતિથી લેવામાં આવે.


આ બુકમાં એનો વિગતવાર ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે વડા પ્રધાન મોદી તેમણે નક્કી કરેલા લક્ષ્યને હાંસલ કરવામાં કેવી રીતે સફળ રહ્યા હતા. આ બુક આ મહિને રિલીઝ થશે. એમાં ભારતના ઇતિહાસમાં અશક્ય લાગતી આ વાતને કેવી રીતે સિદ્ધ કરવામાં આવી અને વડા પ્રધાન મોદીએ કેવી રીતે એ શક્ય બનાવ્યું એની આંતરિક વાતો રજૂ કરવામાં આવી છે. આર્ટિકલ 370ને નાબૂદ કર્યાને પાંચ વર્ષ થયાં છે.


Whatsapp-channel Whatsapp-channel

06 August, 2024 09:02 AM IST | Srinagar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK