Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > પાંચ વર્ષમાં તાજમહલે ટિકિટોના વેચાણ દ્વારા મેળવ્યા હાઇએસ્ટ ૨૯૭ કરોડ રૂપિયા

પાંચ વર્ષમાં તાજમહલે ટિકિટોના વેચાણ દ્વારા મેળવ્યા હાઇએસ્ટ ૨૯૭ કરોડ રૂપિયા

Published : 06 April, 2025 01:28 PM | IST | Agra
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં આ જાણકારી એક લેખિત સવાલના જવાબમાં આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે ASIને છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ સ્મારકોની પ્રવેશ-ટિકિટ વેચીને કેટલી રકમ મળી છે

તાજ મહલ

તાજ મહલ


આર્કિયોલૉજિકલ સર્વે ઑફ ઇન્ડિયા (ASI) દ્વારા સંરક્ષિત સ્મારકોમાં આગરાના મોગલકાલીન તાજ મહલે નાણાકીય વર્ષ ૨૦૧૯-’૨૦થી ૨૦૨૩-’૨૪ સુધીનાં પાંચ વર્ષમાં ટિકિટોના વેચાણના માધ્યમથી સૌથી વધારે ૨૯૭ કરોડ રૂપિયાની આવક મેળવી હતી.


કેન્દ્રીય સંસ્કૃતિપ્રધાન ગજેન્દ્ર સિંહ શેખાવતે રાજ્યસભામાં આ જાણકારી એક લેખિત સવાલના જવાબમાં આપી હતી. તેમને પૂછવામાં આવ્યું હતું કે ASIને છેલ્લાં પાંચ વર્ષમાં વિવિધ સ્મારકોની પ્રવેશ-ટિકિટ વેચીને કેટલી રકમ મળી છે.



આ સવાલના જવાબમાં વધુમાં જણાવવામાં આવ્યું હતું કે ટિકિટોના વેચાણથી આવકના મામલે વર્ષ ૨૦૧૯-’૨૦થી ૨૦૨૩-’૨૪ સુધી સતત પાંચ વર્ષ માટે તાજમહલ ટોચના સ્થાને રહ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

06 April, 2025 01:28 PM IST | Agra | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK