Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > તમે સામાન્ય માણસ નથી, મિનિસ્ટર છો

તમે સામાન્ય માણસ નથી, મિનિસ્ટર છો

Published : 05 March, 2024 09:40 AM | IST | Mumbai
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સનાતન ધર્મની સરખામણી ડેન્ગી અને મલેરિયા સાથે કરનારા ઉદયનિધિ સ્ટૅલિનની સુપ્રીમ કોર્ટે કાઢી ઝાટકણી

ઉદયનિધિ સ્ટૅલિન

ઉદયનિધિ સ્ટૅલિન


સનાતન ધર્મ નાબૂદ થવો જોઈએ એવી ટિપ્પણી કરનારા તામિલનાડુના પ્રધાન ઉદયનિધિ સ્ટૅલિનની સુપ્રીમ કોર્ટે ઝાટકણી કાઢી છે. જસ્ટિસ સંજીવ ખન્ના અને દીપાંકર દત્તાની બેન્ચે સ્ટૅલિન દ્વારા સુપ્રીમ કોર્ટમાં અરજી કરવાના નિર્ણય સામે પણ સવાલ ઉઠાવ્યો હતો.


કોર્ટે તામિલનાડુના પ્રધાનને ફટકાર લગાવતાં કહ્યું હતું કે ‘તમે બંધારણની કલમ ૧૯(૧)(એ) અને ૨૫ હેઠળ તમારા અધિકારનો દુરુપયોગ કરો છો અને હવે તમે કલમ ૩૨ (સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરવી) હેઠળ તમારા અધિકારનો ઉપયોગ કરી રહ્યા છો? તમે સામાન્ય માણસ નથી, પ્રધાન છો. તમે જે બોલો છો એનાં પરિણામથી તમારે વાકેફ હોવું જોઈએ.’ સુપ્રીમ કોર્ટે કેસની સુનાવણી ૧૫ માર્ચ સુધી મુલતવી રાખી હતી. તામિલનાડુના મુખ્ય પ્રધાન અને ડીએમકેના પ્રમુખ એમ. કે. સ્ટૅલિનના પુત્ર ઉદયનિધિ સ્ટૅલિને સપ્ટેમ્બર ૨૦૨૩માં એક કૉન્ફરન્સ દરમ્યાન સનાતન ધર્મની સરખામણી ડેન્ગી અને મલેરિયા જેવા રોગ સાથે કરી હતી અને એવું નિવેદન આપ્યું હતું કે સનાતન ધર્મ સામાજિક ન્યાય અને સમાનતાની વિરુદ્ધ છે અને એ નાબૂદ થવો જોઈએ.


Whatsapp-channel Whatsapp-channel

05 March, 2024 09:40 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK