Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નીતીશ કુમાર સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, બિહારમાં ૬૫ ટકા આરક્ષણ પર સ્ટે યથાવ‍ત‍્

નીતીશ કુમાર સરકારને સુપ્રીમ કોર્ટનો ઝટકો, બિહારમાં ૬૫ ટકા આરક્ષણ પર સ્ટે યથાવ‍ત‍્

30 July, 2024 08:38 AM IST | Bihar
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે આ કેસમાં સપ્ટેમ્બર મહિનામાં વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે

નીતીશ કુમાર

નીતીશ કુમાર


બિહારમાં પછાત વર્ગો માટે આરક્ષણ વધારીને ૬૫ ટકા કરવાના નીતીશ કુમાર સરકારના આદેશ પર ૨૦ જૂને પટના હાઈ કોર્ટે લગાવેલા સ્ટેને ગઈ કાલે સુપ્રીમ કોર્ટે કાયમ રાખ્યો હતો. સુપ્રીમ કોર્ટે પટના હાઈ કોર્ટના આદેશ પર સ્ટે આપવાનો ઇનકાર કરી દીધો હતો. હવે આ કેસમાં સપ્ટેમ્બર મહિનામાં વિસ્તૃત સુનાવણી હાથ ધરવામાં આવશે.


ગયા વર્ષે બિહાર સરકારે સરકારી નોકરી અને શિક્ષણ સંસ્થાનોમાં પછાત વર્ગ, અતિ પછાત વર્ગ, શેડ્યુલ કાસ્ટ અને શેડ્યુલ ટ્રાઇબ (SC અને ST) વર્ગના લોકો માટે આરક્ષણ ૫૦ ટકાથી વધારીને ૬૫ ટકા કરવાનો નિર્ણય લીધો હતો. બિહારમાં જાતિગત સર્વેક્ષણ બાદ આ નિર્ણય લેવાયો હતો. 


Whatsapp-channel Whatsapp-channel

30 July, 2024 08:38 AM IST | Bihar | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK