Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ન આપ્યા

સુપ્રીમ કોર્ટે અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ન આપ્યા

15 August, 2024 07:59 AM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કરેલી વચગાળાના જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો જવાબ માગ્યો છે

અરવિંદ કેજરીવાલ

અરવિંદ કેજરીવાલ


સુપ્રીમ કોર્ટે દિલ્હીના મુખ્ય પ્રધાન અરવિંદ કેજરીવાલને દિલ્હી શરાબ કૌભાંડના એક કેસમાં વચગાળાના જામીન આપવાનો ઇનકાર કરી દીધો હતો. આમ આદમી પાર્ટી (AAP)ના નેતાએ કરેલી વચગાળાના જામીન માટેની અરજી પર સુપ્રીમ કોર્ટે હવે સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI)નો જવાબ માગ્યો છે. આ કેસની સુનાવણી ૨૩ ઑગસ્ટે થશે. કેજરીવાલના વકીલ અભિષેક મનુ સિંઘવીએ કોર્ટમાં દલીલ કરતાં કહ્યું હતું કે આ બહુજ આશ્ચર્યજનક કેસ છે, જેમાં ત્રણ વાર જામીન મળ્યા છે, પણ આરોપીને છૂટવા મળ્યું નથી. જોકે કોર્ટે તેમની દલીલ માની નહોતી અને જ​સ્ટિસ સૂર્યકાંત અને જ​સ્ટિસ ઉજ્વલ ભૂયાને આ કેસ ૨૩ ઑગસ્ટ પર મુલતવી રાખ્યો હતો.


Whatsapp-channel Whatsapp-channel

15 August, 2024 07:59 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK