Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > મનીષ સિસોદિયાની ત્રીજી જામીનઅરજી પર સુપ્રીમ કોર્ટે EDને મોકલી નોટિસ : ૨૯ જુલાઈએ સુનાવણી

મનીષ સિસોદિયાની ત્રીજી જામીનઅરજી પર સુપ્રીમ કોર્ટે EDને મોકલી નોટિસ : ૨૯ જુલાઈએ સુનાવણી

17 July, 2024 12:34 PM IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

દિલ્હી શરાબ કૌભાંડમાં મની લૉન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને પકડવામાં આવ્યા છે

મનીષ સિસોદિયા

મનીષ સિસોદિયા


દિલ્હી શરાબ કૌભાંડમાં છેલ્લા ૧૬ મહિનાથી જેલમાં બંધ આમ આદમી પાર્ટી (AAP)ના નેતા અને દિલ્હીના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયાની ત્રીજી જામીનઅરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટરેટ (ED)ને નોટિસ મોકલી છે. આ કેસ માટે સુપ્રીમ કોર્ટે ત્રણ નવા સભ્યો જસ્ટિસ બી. આર. ગવઈ, સંજય કરોલ અને કે. વી. વિશ્વનાથનની બેન્ચ તૈયાર કરી છે જે બે અઠવાડિયાં બાદ ૨૯ જુલાઈએ સુનાવણી હાથ ધરશે.


દિલ્હી શરાબ કૌભાંડમાં મની લૉન્ડરિંગ કેસમાં મનીષ સિસોદિયાને પકડવામાં આવ્યા છે. આ કેસમાં ED અને સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) તપાસ કરી રહી છે. તેમની જામીનઅરજીના મુદ્દે સુપ્રીમ કોર્ટે EDનો જવાબ માગ્યો છે જે ૨૯ જુલાઈ પહેલાં આપવાનો રહેશે.



મનીષ સિસોદિયાના વકીલ ઍડ્વોકેટ વિવેક જૈને કહ્યું હતું કે ‘સિસોદિયા સામેનો ખટલો ગોકળગાય ગતિથી ચાલી રહ્યો છે. સિસોદિયાની ધરપકડ ૨૦૨૩ની ૨૬ ફેબ્રુઆરીએ થઈ હતી અને આ કેસમાં કોઈ પ્રગતિ થઈ નથી. આ કેસ એ જ સ્ટેજમાં છે જે ઑક્ટોબર ૨૦૨૩માં હતો.’


Whatsapp-channel Whatsapp-channel

17 July, 2024 12:34 PM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK