Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > હિન્દુ હિંસક હોવાની રાહુલ ગાંધીની ટિપ્પણીને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સમર્થન

હિન્દુ હિંસક હોવાની રાહુલ ગાંધીની ટિપ્પણીને શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદનું સમર્થન

Published : 09 July, 2024 12:16 PM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શંકરાચાર્યે જણાવ્યું હતું કે..

અવિમુક્તેશ્વરાનંદ

અવિમુક્તેશ્વરાનંદ


લોકસભામાં બોલતાં વિપક્ષના નેતા કૉન્ગ્રેસના સંસદસભ્ય રાહુલ ગાંધીએ હિન્દુઓનો ઉલ્લેખ કરીને જે નિવેદન કર્યું એને જ્યોતિર મઠના ૪૬મા શંકરાચાર્ય સ્વામી અવિમુક્તેશ્વરાનંદે સમર્થન આપ્યું છે. તેમણે કહ્યું કે મેં રાહુલ ગાંધીનું આખું પ્રવચન સાંભળ્યું હતું અને તેઓ સ્પષ્ટપણે ભાર મૂકે છે કે હિન્દુ ધર્મ હિંસાને નકારે છે.


સોશ્યલ મીડિયામાં વાઇરલ થયેલા વિડિયોમાં શંકરાચાર્યે જણાવ્યું હતું કે ‘રાહુલ ગાંધીના ભાષણના માત્ર અમુક અંશ બતાવવા એ ભ્રામક અને અનૈતિક છે. આમ કરવાથી તથ્યોને વિકૃત કરવામાં આવે છે. આ માટે જવાબદારોને સજા કરવામાં આવે.’



રાહુલ ગાંધીએ લોકસભામાં કહ્યું હતું કે ‘જે લોકો પોતાને હિન્દુ કહે છે તે લોકો ૨૪ કલાક હિંસા, હિંસા, હિંસા, નફરત, નફરત, નફરત, અસત્ય, અસત્ય, અસત્ય કરતા રહે છે. આ લોકો હિન્દુ છે જ નહીં’


Whatsapp-channel Whatsapp-channel

09 July, 2024 12:16 PM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK