Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > જસ્ટિસ સંજીવ ખન્ના બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ મારી મંજૂરીની મહોર

જસ્ટિસ સંજીવ ખન્ના બનશે દેશના નવા ચીફ જસ્ટિસ, રાષ્ટ્રપતિએ મારી મંજૂરીની મહોર

Published : 25 October, 2024 11:27 AM | IST | New Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

હવે ૧૧ નવેમ્બરથી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧મા ચીફ જસ્ટિસ બનશે

જસ્ટિસ સંજીવ ખન્ના

જસ્ટિસ સંજીવ ખન્ના


દસમી નવેમ્બરે રિટાયર થઈ રહેલા ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા ડી. વાય. ચંદ્રચૂડે લૉ ઍન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રીને લેટર લખીને સુપ્રીમ કોર્ટના સૌથી સિનિયર જજ સંજીવ ખન્નાને તેમના અનુગામી બનાવવા માટે કરેલી ભલામણ કેન્દ્ર સરકારે સ્વીકારી લીધી છે અને એના પર રાષ્ટ્રપતિએ પણ મંજૂરીની મહોર મારી દીધી છે. હવે ૧૧ નવેમ્બરથી જસ્ટિસ સંજીવ ખન્ના દેશના ૫૧મા ચીફ જસ્ટિસ બનશે. જોકે તેઓ ૨૦૨૫ની ૧૩ મેએ રિટાયર થવાના હોવાથી ચીફ જસ્ટિસ બનશે તો પણ તેમનો કાર્યભાર ૬ મહિનાનો જ રહેશે. લૉ ઍન્ડ જસ્ટિસ મિનિસ્ટ્રીના પ્રધાન અર્જુન રામ મેઘવાલે કહ્યું હતું કે ભારતના બંધારણે આપેલી સત્તાની રૂએ રાષ્ટ્રપતિએ આદરણીય ચીફ જસ્ટિસ ઑફ ઇન્ડિયા સાથે વિચારવિમર્શ કર્યા બાદ ન્યાયમૂર્તિ સંજીવ ખન્નાની નવા ચીફ જસ્ટિસ તરીકે નિમણૂક કરી છે.


જસ્ટિસ સંજીવ ખન્નાની ખાસિયત એ છે કે તેઓ કોઈ પણ હાઈ કોર્ટના ચીફ જસ્ટિસ બન્યા વગર જ જાન્યુઆરી ૨૦૧૯માં સુપ્રીમ કોર્ટમાં જજ બન્યા હતા. 


Whatsapp-channel Whatsapp-channel

25 October, 2024 11:27 AM IST | New Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


X
ક્વિઝમાં ભાગ લો અને જીતો ગિફ્ટ વાઉચર
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK