Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


Aarti and bhajan Aarti and bhajan
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિન્દુ સંગઠનોનો વિરોધ ચાલુ, આજે બજારો બપોર સુધી બંધ

શિમલામાં મસ્જિદ વિરુદ્ધ હિન્દુ સંગઠનોનો વિરોધ ચાલુ, આજે બજારો બપોર સુધી બંધ

12 September, 2024 01:06 PM IST | Shimla
Gaurav Sarkar

મસ્જિદ ગેરકાયદે હશે તો તોડી પાડી પાડવાની સરકારે ખાતરી આપી

ગઈ કાલે શિમલામાં મસ્જિદની દિશામાં આગેકૂચ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો

ગઈ કાલે શિમલામાં મસ્જિદની દિશામાં આગેકૂચ કરી રહેલા હિન્દુ સંગઠનના કાર્યકરો પર પોલીસે લાઠીચાર્જ કર્યો હતો


હિમાચલ પ્રદેશની રાજધાની શિમલામાં સંજોલી મસ્જિદના વિરોધમાં હિન્દુ સંગઠનોએ વિરોધ-પ્રદર્શનો કર્યાં છે અને પોલીસ બૅરિકેડ્સ તોડી નાખ્યાં છે. પોલીસે લાઠીચાર્જ કરીને લોકોને વિખેરવાની કોશિશ કરી હતી, પણ આ વિરોધ ખતમ થવાનું નામ લઈ રહ્યો નથી. ગઈ કાલે લાઠીચાર્જમાં પાંચ પોલીસો સહિત ૧૦ જણ ઘાયલ થયા હતા. આજે શિમલાના મૉલ રોડ પર વેપારીઓ બપોરે એક વાગ્યા સુધી દુકાનો બંધ રાખીને વિરોધ નોંધાવશે.


હિન્દુ સંગઠનોએ માગણી કરી છે કે આ મસ્જિદ ગેરકાયદે છે અને એને તાત્કાલિક તોડી પાડવામાં આવે. બીજી તરફ રાજ્યના પ્રધાન વિક્રમાદિત્યે એક નિવેદન આપતાં કહ્યું હતું કે ‘દરેકને શાંતિપૂર્ણ રીતે વિરોધ કરવાનો અધિકાર છે. કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિને બગડવા દેવામાં આવશે નહીં. આ મુદ્દે કોર્ટમાં કેસ ચાલુ છે અને જો એ બાંધકામ ગેરકાયદે જણાશે તો એની સામે કાર્યવાહી થશે અને તોડી પાડવામાં આવશે.’


Whatsapp-channel Whatsapp-channel

12 September, 2024 01:06 PM IST | Shimla | Gaurav Sarkar

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK