Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > નાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું

નાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું

Published : 28 November, 2019 12:07 PM | IST | Mumbai

નાથુરામ ગોડસે તો દેશભક્ત: લોકસભામાં પ્રજ્ઞા ઠાકુરે કહ્યું

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર

સાધ્વી પ્રજ્ઞા ઠાકુર


બીજેપી તરફથી ભોપાલનાં સાંસદ પ્રજ્ઞા ઠાકુરે બુધવારે લોકસભામાં ચર્ચા દરમ્યાન મહાત્મા ગાંધીના હત્યારા નાથુરામ ગોડસેને દેશભક્ત કહ્યા હતા. આ નિવેદન પર વિપક્ષે આપત્તિ નોંધાવી હતી. હકીકતમાં ડીએમકેના એ. રાજાએ સદનમાં ગોડસેનું એક નિવેદન સંભળાવ્યું હતું જેમાં તેમણે જણાવ્યું હતું કે ગોડસેએ મહાત્મા ગાંધીને શા માટે માર્યા હતા.
તેના પર પ્રજ્ઞા ઠાકુરે તેમને અટકાવીને કહ્યું કે તમે એક દેશભક્તનું ઉદાહરણ ન આપી શકો. તેના પર રાજાએ કહ્યું, ગોડસેએ પોતે સ્વીકાર કર્યો હતો કે તેઓ ૩૨ વર્ષથી ગાંધીજી સાથે સહમત ન હતા. ત્યારબાદ તેમની હત્યાનું ષડ્‍યંત્ર રચ્યું હતું. લોકસભા ચૂંટણી પ્રચાર દરમ્યાન સાંસદ પ્રજ્ઞા ઠાકુરે ગોડસેને દેશભક્ત કહ્યા હતા.


Whatsapp-channel Whatsapp-channel

28 November, 2019 12:07 PM IST | Mumbai

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK