Gujarati Mid-day
Happiest Places to Work

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ

બ્રેકિંગ સમાચાર

App banner App banner
હોમ > સમાચાર > રાષ્ટ્રીય સમાચાર > આર્ટિકલ્સ > RBIએ સતત બીજી વાર વ્યાજદરમાં ૦.૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો, લોન સસ્તી થશે, EMI ઘટશે

RBIએ સતત બીજી વાર વ્યાજદરમાં ૦.૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો, લોન સસ્તી થશે, EMI ઘટશે

Published : 10 April, 2025 08:31 AM | Modified : 11 April, 2025 06:56 AM | IST | Delhi
Gujarati Mid-day Correspondent | feedbackgmd@mid-day.com

RBI રેપો રેટ ૫.૫ ટકા સુધી ઘટાડે એવી શક્યતા છે. આ નિર્ણયના પગલે લોન સસ્તી થશે અને EMIમાં ઘટાડો થશે.

ગઈ કાલે મીડિયાને સંબોધન કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.

ગઈ કાલે મીડિયાને સંબોધન કરતા RBIના ગવર્નર સંજય મલ્હોત્રા.


રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયા (RBI)ના ગવર્નર સંજય મલ્હોત્રાએ ગઈ કાલે મૉનિટરી પૉલિસી કમિટી (MPC)ની બેઠક બાદ રેપો રેટમાં ૦.૨૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કરીને ૬ ટકા કરવાનો નિર્ણય જાહેર કર્યો હતો. RBIએ સતત બીજી વાર રેપો રેટમાં ઘટાડો કર્યો છે. ફેબ્રુઆરીમાં રેપો રેટ ૦.૨૫ ઘટાડીને ૬.૨૫ ટકા કરવામાં આવ્યો હતો, જે મે ૨૦૨૦ પછી પહેલો ઘટાડો હતો. અર્થશાસ્ત્રીઓ માને છે કે RBI રેપો રેટ ૫.૫ ટકા સુધી ઘટાડે એવી શક્યતા છે. આ નિર્ણયના પગલે લોન સસ્તી થશે અને EMIમાં ઘટાડો થશે.


હું સંજય છું, પણ મહાભારતનો નહીં



રેપો રેટ ક્યાં સુધી ઘટાડવામાં આવશે એ મુદ્દે જવાબ આપતાં RBIના ગવર્નર સંજય મલ્હોત્રાએ જણાવ્યું હતું કે ‘મને લાગે છે કે તમે હાલમાં બજેટ જોયું હશે. એમાં ઘણા ઉપાય કરવામાં આવ્યા છે. કૅપેક્સ વધારવામાં આવ્યું છે, પર્સનલ ઇન્કમ-ટૅક્સમાં ઘણી છૂટછાટ આપવામાં આવી છે. હવે અમે રેપો રેટ ઓછા કર્યા છે જેનો મતલબ એ છે કે પૉલિસી રેપો રેટની દિશા નીચેની તરફ છે, પણ એ ક્યાં સુધી પહોંચશે એ જાણતો નથી. હું સંજય છું, પણ મહાભારતનો સંજય નથી જે એટલે દૂર સુધીનું જોઈ શકે. મારી પાસે એ દિવ્ય દૃષ્ટિ નથી જે તેમની પાસે હતી.’


Whatsapp-channel Whatsapp-channel

11 April, 2025 06:56 AM IST | Delhi | Gujarati Mid-day Correspondent

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK